નેતાઓનું જન્મ સ્થળ કહેવાય છે મહારાષ્ટ્રનું આ શહેર
વધતા ઔદ્યોગિક કેન્દ્રોની સાથો-સાથ અમરાવતી મહારાષ્ટ્રની સંસ્કૃતિ અને સાહિત્યના સંદર્ભમાં એક મહત્વપૂર્ણ ભાગ છે. ગોપાલ નલીકંઠ ડાંડેકર અને સુરેશ ભટ્ટ આ ક્ષેત્રની કેટલીક મહાન હસ્તિઓ છે. કહેવામાં આવે છે કે, ભગત સિંહ, પ્રતિષ્ઠિત ક્રાન્તિકારી સેનાની, અમરાવતીમાં ત્રણ દિવસ રોકાયા હતા. આ ઉપરાંત અમારવતી અનેક ઉલ્લેખનીય લોકોનું ઘર પણ કહેવાય છે. અનેક સંતો, સામાજિક અને રાજકિય કાર્યકર્તાઓ, કલાકારો અને સ્વતંત્રતા સેનાનીઓ અહીંના છે. અન્ય એક રસપ્રદ વાત છે કે અમરાવતી અનેક નેતાઓનું જન્મસ્થળ છે. આપણા પૂર્વ રાષ્ટ્રપતિ શ્રીમતી પ્રતિભા પાટિલ પણ અમરાવતીના જ છે.
ધર્મ અંગે વાત કરવામાં આવે તો ધર્મ પ્રત્યે આસ્થા રાખનારા લોકોનો દાવો છે કે, અમરાવતી લોકપ્રિય રીતે બધા જ દેવતાઓના રાજા ઇન્દ્રનું નિવાસ હતું. હિન્દુ પૌરાણિક કથાઓ અનુસાર શહેરમાં સ્થિત પ્રસિદ્ધ અમ્બા દેવી મંદિરથી ભગવાન કૃષ્ણ દેવી રુકમણીને તેમના લગ્ન સમારોહમાંથી ભગાડીને લઇ ગયા હતા. વિદર્ભ ક્ષેત્રમાં સ્થિત અમ્બા દેદી મંદિર, ભારતના આધ્યાત્મિક વાસ્તુકળાના આકર્ષણની અભિવ્યક્તિ છે. ભગવાન કૃષ્ણ દ્વારા રુકમણીને ભગાડવા માટે જે સુરંગનો ઉપયોગ કરવામાં આવ્યો તેની શોધ અનેક ટીમો દ્વારા કરવામાં આવી રહી છે, પરંતુ તેઓ હજુ સુધી એ સુરંગની લંબાઇને શોધી શક્યા નથી. તો ચાલો તસવીરોમાં જોઇએ આ ઐતિહાસિક સ્થળને.

અમરાવતી
મહારાષ્ટ્રનું ઉભરતું શહેર અમરાવતી

અમ્બાદેવી મંદિર
અમરાવતીમાં આવેલું અમ્બાદેવી મંદિર

ગાવિલગઢ ફોર્ટ
અમરાવતીમાં આવલું ગાવિલગઢ ફોર્ટ

ફોર્ટની શાનદાર તસવીર
અમરાવતીમાં આવેલા ગાવલગઢની એક શાનદાર તસવીર
-
SRH vs LSG IPL 2026: હૈદરાબાદ પિચ રિપોર્ટ અને હવામાનની આગાહી | આજની મેચ -
ઈસ્ટર સન્ડે 2026: મહત્વ, શુભેચ્છાઓ અને ખાસ સંદેશા | Easter Sunday 2026 -
Mumbai Gold Siver Rate Today: બજાર ખુલતાં જ સોનું થયું ધડામ, ચાંદીનો ભાવ પણ ઘટ્યો -
ટ્રમ્પની ઈરાનને ચેતવણી: ટ્રમ્પે ઈરાનને આપી 'તબાહી'ની છેલ્લી ચેતવણી! કેમ વધારી 24 કલાકની ડેડલાઇન? -
Weather Update: વાવાઝોડા અને વરસાદ સાથે કરા પડશે; UP-MP સહિત 9 રાજ્યોમાં તોફાનની આશંકા, એલર્ટ જાહેર







Click it and Unblock the Notifications
