શાંત અને નિર્મળ ગોવાનો નજારો બક્ષે છે પેરનેમ
મહારાષ્ટ્ર-ગોવા બોર્ડર પર થતા રાજમાર્ગથી થોડેક જ દૂર સ્થિત પેરનેમ એક નાનુ અમથું શાંત શહેર છે, જ્યાં પ્રવાસી સમુદ્ર તટ પર આખો દિવસ વિતાવવા આવવાનું પસંદ કરે છે. સ્થાનીક લોકોની જીવનશૈલી અંગે જાણીને અને તેમની સાથે માછલી પકડીને તમારી તેમની સાથે મિત્રતા થઇ શકે છે. પેરનેમ, ગોવાની વર્ષો જૂની આબેહૂબ તસવીર પ્રસ્તુત કરે છે.
મુંબઇ અને પૂણેથી ગોવા આવનારા પ્રવાસીઓ માટે પેરનેમ એક પ્રાકૃતિક ઠહરાવ છે, ગોવાનો વિશેષ અનુભવ પ્રદાન કરવા છતાં પણ તેને જોઇએ તેટલું મહત્વ આપવામાં આવ્યું નથી. અહીં આવો ત્યારે બે સ્થળો પર જરૂરથી જાઓ, શ્રી ભગવતી મંદિર અને દેશપ્રભુ હાઉસ. દેશપ્રભુ હાઉસ જે એક વિશાળ ભવન છે, વિશ્વના એકમાત્ર હિન્દુ વિસ્કાઉન્ટનું નિવાસ સ્થાન છે. તમારામાંના જે લોકો નથી જાણતા, તેમના માટે, વિસ્કાઉન્ટ, યુરોપિયન સભ્યતામાં એક ઓહદ્દા તથા સન્માન છે.
હાથીઓના સ્મારકોથી સુસજ્જિત, શ્રી ભગવતી મંદિરની ભવ્યતા આ ક્ષેત્રના વિશેષ આકર્ષણોમાનું એક છે. ઉત્તર દિશા તરફથી ગોવા આવતા પેરનેમ પહોંચવુ સહેલું છે. આ રાજ્યમાં પ્રવેશ કરો ત્યારે આ સૌથી પહેલું સ્થાન છે. આ રાજધાની પણજીથી લગભગ 25 કિમી દૂર છે, તથા તમે અહીં આવવા માટે ટેક્સી પણ ભાડે કરી શકો છો. તેમ છતાં ટેક્સી કરતી વખતે સાવધાન રહો, અહીં તમારી પાસે વધારે ભાડુ લેવામાં આવી શકે છે. તો ચાલો તસવીરો થકી જાણીએ ગોવાના પેરનેમને.
તિરકોલ કિલ્લો
ગોવાના પેરનેમમાં આવેલો તિરકોલ કિલ્લો
સ્વતંત્ર સેનાનીઓને સમર્પિત
ગોવાનો તિરકોલ કિલ્લો સ્વતંત્ર સેનાનીઓને સમર્પિત છે
ચર્ચ
ગોવાના પેરનેમમાં આવેલા તિરકોલ કિલ્લાનું ચર્ચ
પેરનેમનું ફાર્મ
ગોવામાં આવેલા પેરનેમનું ફાર્મ