સૌરાષ્ટ્રમાં તરણેતરનો મેળો ધરાવે છે પૌરાણિક મહત્વ, જાણો ઇતિહાસ
સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે ઘણા મેળાઓ યોજાય છે જેવાકે માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, કાલાવડ રણુજાનો મેળો, દાણીધારનો મેળો વગેરે. ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે. આમ બધી જગ્યાએ યોજાતા મેળા પોતાની એક આગવી છાપ ધરાવે છે, પરંતુ સૌરાષ્ટ્રના ખોળામાં ભરાતા આ તરણેરના મેળાનું અલાયદુ મહત્વ છે.
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમા ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય માને છે. અને આ દિવસેજ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદીર ઉપર બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. તરણેતરનાં મેળાની ત્રણ વિશેષતાઓ છે. સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. આ સૌરાષ્ટ્રની સમૃધ્ધ લોકસંસ્કૃતિ છે. જેને આ તરણેતરનાં મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.
આ મેળો આ વખતે 29 ઓગષ્ટના રોજથી શરૂ થઇ રહ્યો છે જે 31 ઓગષ્ટ સુધી ચાલશે. આ વખતે આ મેળાને માણવાનું રખે ચૂકતા. એ પહેલા તસવીરોમાં માણો તરણેતરના મેળાનું મહત્વ તેનો ઇતિહાસ અને અન્ય રસપ્રદ માહિતી તસવીરો સાથે...
ત્રીનેત્રેશ્વરનો મેળો
સૌરાષ્ટ્રમાં ઋતુ પ્રમાણે ઘણા મેળાઓ યોજાય છે જેવાકે માધવપુરનો મેળો, ભવનાથનો મેળો, તરણેતરનો મેળો, કાલાવડ રણુજાનો મેળો, દાણીધારનો મેળો વગેરે. ઋષિપંચમીના દિવસે ભરાતો તરણેતરનો મેળો યૌવન, રંગ, રૂપ, મસ્તી, લોકગીત, દુહા અને લોકનૃત્યનો મેળો છે. સૌરાષ્ટ્રની સમૃધ્ધ લોકસંસ્કૃતિને જોવા, જાણવા અને માણવા માટે તરણેતરનો મેળો એક માત્ર સ્થાન છે. આમ બધી જગ્યાએ યોજાતા મેળા પોતાની એક આગવી છાપ ધરાવે છે, પરંતુ સૌરાષ્ટ્રના ખોળામાં ભરાતા આ તરણેરના મેળાનું અલાયદુ મહત્વ છે.
તરણેતર ગામમાં આયોજીત થાય છે
તરણેતર ગામમાં આયોજીત થાય છે. સુરેન્દ્રનગરના જિલ્લામાં ચિલોડાથી ગુજરાતમાં ૩૯ કિ.મી. દૂર લોકપ્રિય મેળો ત્રિનેત્રેશ્વર મહાદેવ મેળાના રૂપમાં ઉજવવામાં આવે છે. જેનું આયોજન ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરની પાસે થાય છે.
જીવનસાથીની પસંદગી
આ ભર મહિનાના પહેલા અઠવાડિયા (સપ્ટેમ્બર અને ઓકટોબર) દરમિયાન આયોજીત થાય છે. આ મેળાના મુખ્યરૂટે ‘‘એક લગ્નનું બજાર છે.'' અહીં આદિવાસી યુવક-યુવતીઓ પોતાના જીવનસાથીને શોધે છે.
શીવને સમર્પિત છે મેળો
આ મેળો ત્રણ હિન્દુ દેવોમાંના એક ભગવાન શીવને સમર્પિત છે. ત્રિનેત્રેશ્વર મંદિરની પાસે આવેલ જળાશય માટેની એમ માન્યતા છે કે આ પાણીમાં ડૂબકી લગાવી એ પવિત્ર ગંગામાં ડૂબકી લગાડવા સમાન છે. તે પાપોને ધોઇ નાંખે છે.
પૌરાણિક મહત્વ
આ વિસ્તારનું પૌરાણિક મહત્વ પણ ખૂબ છે એમ માનવામાં આવે છે કે દ્રૌપદીનો જન્મ અહીં થયો હતો. લોકકથાઓ પ્રમાણે અહીં અર્જુને માંછલીમાં આંખમાં બાણ મારવાનું અધુરું કામ કર્યું હતું. જેનું આયોજન તરણેતર તળાવની આસપાસ જ થયેલું હતું.
સ્વયંવરની પરંપરા જીવંત છે
અત્યારે પણ સ્વયંવરની પરંપરા જીવંત છે. ભરવાડ અને અન્ય આદિવાસી સમૂહના પુરૂષો અને મહિલાઓ આ મેળા દરમિયાન પોતાના માટે જીવનસાથીની શોધ કરે છે.
દેશ-વિદેશના પ્રવાસીઓ
પશુ પ્રદર્શન જેવા અન્ય કાર્યક્રમોમાં સામિલ ઓલમ્પિક, બેલગાડી દોડ અને ઘોડા દોડ તરણેતરમાં આયોજીત કરવામાં આવે છે તેની સાથે જ આ પ્રવાસીઓ માટેનું એક આકર્ષણ પણ છે. સ્થાનીય કળા અને શિલ્પ પ્રદર્શિત એક યુગલનું વ્યાપારિક આકર્ષણ છે.
ટેંટ અને ઘરોની સુવિધા
પ્રવાસીઓ હુડો અને માલધારી સમુદાયના રાસનૃત્યને શીખવવાનો અવસર પણ આપે છે. પારંપરિક સ્મારકોનું એક સ્થળ પણ જોવા લાયક છે. તરણેતરના મેળાની જગ્યાએ પ્રવાસીઓ માટે ટેંટ અને ઘરોની સુવિધાઓ પણ આપવામાં આવે છે
ગંગામાં નાહ્યાનું પુણ્ય
તરણેતરનો મેળો ત્રીજ, ચોથ અને પાંચમ એમ ત્રણ દિવસ ચાલે છે. જેમા ભાદરવા સુદ પાંચમ એટલે કે ઋષિપંચમીનો દિવસ શ્રેષ્ઠ માનવામાં આવે છે. જેથી પાંચાળ પ્રદેશની પ્રજા દુર ન જઈને તરણેતરને ગંગા અને હરદ્વાર માનીને તરણેતરમાં આવેલ ત્રણેય કુંડમાં પોતાના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ પધરાવી, કુંડમાં નાહીને ગંગામાં નાહ્યાનું પુણ્ય માને છે.
રાતથી માંડીને સવાર સુધી
સામસામા બોલાતા દુહા, વહેલી રાતથી માંડીને સવાર સુધી ચાલતી ભજનની લહેર અને ૨૦૦-૨૦૦ ભાઈ-બહેનોના એક સાથે લેવાતા હુડા અને હાજા રાસ. આ સૌરાષ્ટ્રની સમૃધ્ધ લોકસંસ્કૃતિ છે. જેને આ તરણેતરનાં મેળાએ હજુ સુધી સાચવીને રાખી છે.