Agriculture : બે ટુકડા થયા બાદ પણ કેવી રીતે જીવતા રહે છે અળસિયા? જાણો શું કહે છે સાયન્સ?
Agriculture : અળસિયાને ખેડૂતોના મિત્ર માનવામાં આવે છે. ખેતરમાં અળસિયાની હાજરી ઉત્પાદન વધારવામાં મદદ કરે છે. તમને જાણીને નવાઈ લાગશે કે અળસિયાના જેટલા ટુકડા થાય તેટલા નવા અળસિયા બને છે.
અહીં તમને સવાલ થાય કે આખરે અળસિયા ટુકડા થયા બાદ પણ કેવી રીતે જીવતા રહે છે? આમ થવા પાછળ આખરે શું કારણ છે?

અળસિયા પોતાનામાં એક અજીબ જીવ છે. તેની ખાસ શારીરિક રચના અને જીવનશૈલીને તેને ખાસ બનાવે છે. અળસિયા બે ટુકડા થયા બાદ પણ જીવિત કેવી રીતે રહે છે તેની પાછળ ખાસ કારણ છે.
જણાવી દઈએ કે અળસિયું એક એવો જીવ છે જેનું શરીર ખંડમાં એટલે કે ઘણા ભાગોમાં વહેંચાયેલું હોય છે. તેના શરીરમાં 100 થી 150 સેગમેન્ટ્સ હોય છે અને દરેક સેગમેન્ટ તેમની વચ્ચે નાના જોડાણો દ્વારા જોડાયેલા હોય છે.
અળસિયાના દરેક ભાગમાં કેટલાક મહત્વના અંગો આવેલા હોય છે. આ અળસિયાના જીવન માટે જરૂરી છે. તેના શરીરમાં બે મુખ્ય ભાગો આગળ અને પાછળનો ભાગ છે. આગળનો ભાગ ખોરાક ખાવા માટે વપરાય છે અને પાછળનો ભાગ શરીરના વિવિધ ભાગોની ગતિશીલતા માટે હોય છે.
અળસિયા તુટે ત્યારે તેનું શરીર તૂટી શકે છે પરંતુ તેનો આગળનો ભાગ અને ક્યારેક પાછળનો ભાગ જીવંત રહે છે. તેનું મુખ્ય કારણ એ છે કે તેનું શરીર ભાગોમાં વહેંચાયેલું છે અને દરેક ભાગની પોતાની સ્વતંત્ર ક્ષમતા છે.
અળસિયાના શરીરની રચના એવી હોય છે કે શરીરના કોઈપણ એક અંગને નુકસાન થાય તો શરીરના બાકીના ભાગમાં પોતાને જીવિત રાખવાની ક્ષમતા છે.
જો અળસિયાનો પાછળનો અડધો ભાગ કાપી નાખવામાં આવે તો તે તેના બીજા અડધા ભાગથી જીવિત રહેવા માટે જરૂરી પોષણ મેળવી શકે છે.
જો કે તેનું માથું કાપી નાખવામાં આવે તો અળસિયું મૃત્યુ પામે છે. માથામાં તેનું મગજ અને અન્ય મહત્વપૂર્ણ અવયવો હોય છે જે તેના જીવનને જાળવી રાખવા માટે જરૂરી છે.












Click it and Unblock the Notifications
