Agriculture news: ભરૂચના ખેડૂતે કરી સફરજનની ખેતી, જાણો કેવી રીતે?
Agriculture news: ભરૂચ જિલ્લામાં આવેલા અંદાડા ગામના એક ખેડૂતે સફરજનની સફળતાપૂર્વક ખેતી કરી છે, જે સામાન્ય રીતે કાશ્મીર અને હિમાચલ પ્રદેશ જેવા ઠંડા પ્રદેશોમાં ઉગાડવામાં આવે છે.
ત્રણ વર્ષ પહેલાં કચ્છમાં પણ એવું જ થતું હોવાનું જાણ્યા પછી શશિકાંત પરમારને સફરજનની ખેતી કરવાનો વિચાર આવ્યો હતો. સંશોધન કર્યા પછી, તેમણે સફરજનની એક જાતિ વિશે જાણ્યું જે 40º સેલ્સિયસ સુધીના તાપમાનમાં ઉગાડી શકાય છે.
ઉલ્લેખનીય છે કે, કચ્છના ખેડૂતે સફળતાપૂર્વક ઠંડા પ્રદેશ શિમલાના સફરજનની કચ્છના ગરમ રણ પ્રદેશમાં ખેતી કરીને સફળતા મેળવી છે.

નખત્રાણા તાલુકાના ખીરસરા-રોહામાં રહેતા ખેડૂત શાંતિલાલ દેવજી માવાણીએ સતત ચાર-પાંચ વર્ષ સુધી અનેક પ્રયોગો કર્યા બાદ આખરે સફરજન ઉગાડ્યા છે.
જે કારણે શશિકાંત પરમાર ત્રણ વર્ષ પહેલાં બેંગ્લોરથી 50 સફરજનના રોપા લાવ્યા હતા, અને માત્ર પાણી પીવડાવીને જાળવ્યા હતા. હવે તે 50 છોડમાંથી 20 છોડ 5-7 ફૂટની ઉંચાઈ સુધી ઉગી ગયા છે, અને ખીલ્યા છે.
આ છોડને ફૂલ અને ફળ આવ્યા પછી શશિકાંત પરમાર આશ્ચર્ય અને ખુશ થયા હતા. હવે, તેઓ આ સફરજનને સ્થાનિક બજારમાં વેચવા ઈચ્છે છે.












Click it and Unblock the Notifications
