Agriculture news : નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે ખુશખબર, ચોમાસુ સિઝન માટે એક મહિનો વહેલું પાણી મળશે
Agriculture news : ગુજરાત સરકારે ચોમાસુ સિઝન માટે ખેતીને લઈને મોટી જાહેરાત કરી છે. આનાથી આ વખતે ખેડૂતો ચોમાસુ વાવેતર વહેલી તકે કરી શખશે.
આ વર્ષે ખરીફ પાકોની વાવણી અને ઉત્પાદન વધે તે હેતુથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી નિયમિત સમયગાળાથી એક મહિનો વહેલું એટલે કે 15 મેના રોજથી આપવામાં આવશે.

આ નિર્ણયથી અંદાજે 13 લાખ જેટલા ખેડૂતોને સીધો લાભ મળશે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સરદાર સરોવર યોજનાથી 15 જૂનથી પાણી છોડવામાં આવે છે, પરંતુ આ વખતે પાણી વહેલું છોડી દેતા ખેડૂતો કપાસ, મગફળી જેવા મુખ્ય ખરીફ પાકોની પૂર્વ તૈયારી કરી શકશે.
આ પગલાથી પાકોની વાવણી સમયસર થઈ શકશે અને ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય સરકારે આ નિર્ણયથી ખેતીમાં સમયસૂચકતા અને પાણીના સુધારેલા ઉપયોગ તરફ વધુ મજબૂત પગલાં લીધા છે.
ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે આ નિર્ણય કૃષિ ઉત્પાદકતામાં વધારો લાવવાનો એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.
જણાવી દઈએ કે, ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ચોમાસાની શરૂઆત પહેલા જ મગફળી અને કપાસ સહિતના પાકોની વાવણી કરી લેતા હોય છે. આવા આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોને વહેલુ પાણી મળવાથી મોટો ફાયદો થશે.












Click it and Unblock the Notifications
