Agriculture news : નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે ખુશખબર, ચોમાસુ સિઝન માટે એક મહિનો વહેલું પાણી મળશે

Agriculture news : ગુજરાત સરકારે ચોમાસુ સિઝન માટે ખેતીને લઈને મોટી જાહેરાત કરી છે. આનાથી આ વખતે ખેડૂતો ચોમાસુ વાવેતર વહેલી તકે કરી શખશે.

આ વર્ષે ખરીફ પાકોની વાવણી અને ઉત્પાદન વધે તે હેતુથી નર્મદા કમાન્ડ વિસ્તારમાં સિંચાઈ માટેનું પાણી નિયમિત સમયગાળાથી એક મહિનો વહેલું એટલે કે 15 મેના રોજથી આપવામાં આવશે.

Agriculture news

આ નિર્ણયથી અંદાજે 13 લાખ જેટલા ખેડૂતોને સીધો લાભ મળશે. સામાન્ય રીતે આ વિસ્તારોમાં સરદાર સરોવર યોજનાથી 15 જૂનથી પાણી છોડવામાં આવે છે, પરંતુ આ વખતે પાણી વહેલું છોડી દેતા ખેડૂતો કપાસ, મગફળી જેવા મુખ્ય ખરીફ પાકોની પૂર્વ તૈયારી કરી શકશે.

આ પગલાથી પાકોની વાવણી સમયસર થઈ શકશે અને ખેડૂતોને ફાયદો થશે. રાજ્ય સરકારે આ નિર્ણયથી ખેતીમાં સમયસૂચકતા અને પાણીના સુધારેલા ઉપયોગ તરફ વધુ મજબૂત પગલાં લીધા છે.

ખાસ કરીને નર્મદા કમાન્ડ વિસ્તારના ખેડૂતો માટે આ નિર્ણય કૃષિ ઉત્પાદકતામાં વધારો લાવવાનો એક મોટો પ્રયાસ માનવામાં આવી રહ્યો છે.

જણાવી દઈએ કે, ગુજરાતમાં મોટાભાગના ખેડૂતો ચોમાસાની શરૂઆત પહેલા જ મગફળી અને કપાસ સહિતના પાકોની વાવણી કરી લેતા હોય છે. આવા આગોતરૂ વાવેતર કરતા ખેડૂતોને વહેલુ પાણી મળવાથી મોટો ફાયદો થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X