Farmer Unique Id : શું છે ફાર્મર યુનિક આઈડી? જાણો ફાર્મર રજીસ્ટ્રીથી ખેડૂતોને શું ફાયદો થશે?
Farmer Unique Id Online : ભારત સરકાર દ્વારા દેશના તમામ ખેડૂતોને એક મંચ પર લાવવા માટે ફાર્મર યુનિક આઈડી માટે નોંધણી શરૂ કરાઈ છે.
આ પહેલ હેઠળ ખેડૂતોને 11 આંકડાનો એક યુનિક નંબર મળશે. આ નંબર ખેડૂતોની ઓળખનું કામ કરશે. આના માટે ખેડૂતોએ લાઈફ ટાઈમ એક જ વખત નોંધણી કરાવવાની રહેશે.

Farmer Unique Id : ફાર્મર યુનિક આઈડી
ફાર્મર રજીસ્ટ્રી દ્વારા ખેડૂતોને આધાર નંબર જેમ જ ખેડૂત યુનિક આઈડી આપવામાં આવશે. આનાથી ભવિષ્યમાં સરકારની યોજનાઓમાં ખેડૂતોને સરળતાથી જોડી શકાશે. આનાથી ખેડૂતોને ખેતી સાથે જોડાયેલા ધિરાણમાં પણ આસાની રહેશે.
અહેવાલો અનુસાર, ફાર્મર યુનિક આઈડીને આગામી સમયમા પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ, લઘુત્તમ ટેકાના ભાવ, કિસાન ક્રેડીટ કાર્ડ, નેશનલ એગ્રીકલ્ચર માર્કેટ તેમજ પ્રધાનમંત્રી ફસલ બીમા યોજના માટે ફરજીયાત બનાવી શકાય છે. આનાથી ખેડૂતોની ઓળખ કરવામાં આસાની રહેશે.
Farmer Registration : ફાર્મર રજીસ્ટ્રી ક્યાં અને કેવી રીતે કરાવવી?
ફાર્મર રજીસ્ટ્રી માટે ગ્રામ પંચાયતમાં ઈ-ધરા કેન્દ્ર પર VCE મારફતે નોંધણી કરાવી શકશે. આ સિવાય ખેડૂત પોતે જ https://gjfr.agristack.gov.in ફાર્મર રજીસ્ટ્રી પોર્ટલ પર રજીસ્ટ્રેશન કરી શકે છે.
Farmer Registration Documents : ફાર્મર રજીસ્ટ્રી માટે જરૂરી ડોક્યુમેન્ટ
- આધાર કાર્ડ
- આધાર કાર્ડ સાથે લીંક મોબાઈલ નંબર
- જમીનના 7/12 અને 8/અની નકલ
જણાવી દઈએ કે, જો કિસાન સમ્માન નિધિના આગામી હપ્તા માટે ખેડૂત રજીસ્ટ્રી ફરજીયાત છે. જો રજીસ્ટ્રી નહીં કરાવેલી હોય તો હપ્તો જમા નહીં થાય.
પ્રધાનમંત્રી કિસાન સમ્માન નિધિ યોજનાના ખેડૂત લાભાર્થીએ તારીખ 25 નવેમ્બર 2024 સુધીમાં નોંધણી કરાવવી ફરજીયાત છે. આ સિવાય બાકીના ખેડૂત ખાતેદારોએ તારીખ 31/3/2025 સુધીમાં ખેડૂત નોંધણી ફરજીયાત કરાવી શકે છે. સંયુકત ખાતેદારોની સ્થિતીમાં સામેલ પરિવારના તમામ લોકોએ નોંધણી કરાવવી ફરજીયાત છે.
-
ગુજરાતના ખેડૂતોને હાલ માવઠાની રાહત નહીં, હવામાન વિભાગની મોટી આગાહી -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ










Click it and Unblock the Notifications
