Former Protest : કોણ છે સર્વન સિંહ પંઢેર? જે ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહ્યા છે

ખેડૂતો ફરીથી એક વખત દિલ્હી તરફ આગળ વધી રહ્યા છે. મોદી સરકારની ખેડૂત વિરોધી નીતિઓ સામેના આંદોલનનું નેતૃત્વ આ વખતે સર્વન સિંહ પંઢેર કરી રહ્યા છે.

દિલ્લી ચલો આંદોલનમાં જોડાઈને સેંકડો ખેડૂતો રાષ્ટ્રીય રાજધાની દિલ્હી તરફ કૂચ કરી રહ્યા છે. તેઓ તેમની માંગણીઓ પૂરી કરવા માટે સરકાર સામે વિરોધ પ્રદર્શનમાં વ્યસ્ત છે.

Sarvan Singh Pandher

અહેવાલો અનુસાર, વિરોધ કરી રહેલા ખેડૂતો પંજાબ-હરિયાણા બોર્ડર પર શંભુ પહોંચ્યા તો પોલીસે તેમના પર ટીયર ગેસના શેલ છોડ્યા છે. દિલ્હીમાં કલમ 144 લાગુ કરવામાં આવી છે.

આ પ્રદર્શનમાં ખેડૂતોના ઘણા સંગઠનો સામેલ થયા છે. અહીં ઘણા લોકોના મનમાં પ્રશ્ન છે કે આ વખતે ખેડૂતોના આંદોલનની તાકાત કોના અવાજમાં છે? જેની વિનંતી પર સેંકડો લોકોએ દિલ્હી તરફ કૂચ કરી છે?

કેન્દ્ર સરકાર દ્વારા માંગણીઓ પુરી ન કરવાને કારણે ગુસ્સે ભરાયેલા ખેડૂતોને જગાડનાર અન્ય કોઈ નહીં પણ ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર છે. તેમની અપીલ પર વિવિધ સ્થળોએથી ખેડૂત જૂથો દિલ્હી ચલો અભિયાનમાં જોડાયા છે. તે પંજાબના અમૃતસરના રહેવાસી છે અને કિસાન મજદૂર સંઘર્ષ સમિતિના મહાસચિવ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, ખેડૂત નેતા સર્વન સિંહ પંઢેર અમૃતસર જિલ્લાના રહેવાસી છે. તેcણે 10મા ધોરણ સુધીનું શિક્ષણ પૂર્ણ કર્યું છે. તેઓ પોતાના મંતવ્યો મજબૂત રીતે રજૂ કરી શક્યા છે.

જણાવી દઈએ કે 2007માં સતનામ સિંહ પન્નુ દ્વારા કિસાન મજદૂર સંઘર્ષ સમિતિની રચના કરવામાં આવી હતી. આ સંસ્થા ખાસ કરીને અમૃતસરના ખેડૂતો માટે કામ કરે છે. આ સંગઠન પંજાબના 7 થી 8 જિલ્લામાં મજબુત સંગઠન ધરાવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X