Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Exclusive : મળો કચ્છની મીઠી ખારેકની ઓર્ગેનિક ખેતીથી લાખોની કમાણી કરતા ખેડૂત દંપતિને

Kharek ni Kheti : ખેતી દિવસે દિવસે મોંઘી થઈ રહી છે. એક તરફ પરંપરાગત પાકોમાં નફાની ટકાવારીમાં ઘટાડો થઈ રહ્યો છે તો બીજી તરફ દવાના કારણે ખર્ચમાં વધારો અને જમીન બંજર થતી જાય છે.

મોંઘી ખેતીના આ સમયમાં કેટલાક એવા લોકો પણ જે કે નવો ચીલો ચીતરે છે અને પરંપરાગત ખેતીથી હટીને પ્રાકૃતિક રીતે બાગાયતી ખેતી કરીને લાખોની કમાણી કરતા થયા છે.

Kharek ni Kheti

આજે આપણે આવા જ એક ખેડૂત દંપતિ વિશે વાત કરવાના છીએ. આ દંપતિએ કચ્છની મીઠી ખારેકની ખેતી કરીને લાખો રૂપિયાની કમાણી કરી છે એટલુ જ નહીં પ્રાકૃતિક ખેતી દ્વારા ઝીરો ખર્ચમાં ખેતી કરતા થયા છે.

મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ઈશ્વરનગર નામનું એક નાનુ ખોબા જેવડુ ગામ આવેલુ છે. આ દિવસોમાં અહીંનું એક દંપતિ તેની ખારેકની ખેતી માટે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બન્યુ છે.

પ્રવિણભાઈ ધર્મપત્નિ નયનાબેન સાથે મળીને બગીચાની સાચવણી કરે છે

ઈશ્વરનગર ગામમાં રહેતા પ્રવિણભાઈ પટેલ પાસે 45 વિધા જમીનમાં ખારેકનો બચીગો છે. આ બગીચામાં તેમને વિવિધ વેરાયટીની ખારેકનું વાવેતર કરેલું છે.

Kharek ni Kheti

પ્રવિણભાઈ તેમના ધર્મપત્નિ નયનાબેન સાથે મળીને આ બગીચાને સંભાળે છે. નયનાબેન જણાવે છે કે આ સમયમાં ગૃહિણીઓ ગાયોથી દુર થતી જાય છે ત્યારે તે ગાયો રાખે છે અને તેના છાણ અને મુત્રમાંથી વિવિધ પ્રકારની દવાઓ બનાવીને ખારેકના બગીચામાં ઉપયોગ કરે છે.

સંપુર્ણ ઓર્ગેનિક રીતે ખારેક તૈયાર થાય છે
આ જ કારણ છે કે પ્રવિણભાઈ અને નયનાબેનનો બગીચો બીજા કરતા ઘણો અલગ છે. બજારમાં ઘણી મીટી વેરાયટીની ખારેક મળે છે પરંતુ તેમના બચીચાની ખારેકની ખાસિયત તેને તૈયાર કરવાની સંપુર્ણ ઓર્ગેનિક પ્રદ્ધતિ છે.

પ્રવિણભાઈ તેમના બચીગા વિશે વાત કરતા જણાવે છે કે, તેઓ તેમના બગીચામાં કોઈપણ પ્રકારના રાણાયણિક દવા કે ખાતરનો ઉપયોગ કરતા નથી. તેમના ખેતરમાં માત્ર ગાય આધારિત છાણીયા ખાતર અને ગૌમુત્રથી તૈયાર થયેલા જીવામૃતનો ઉપયોગ કરે છે.

વગર ખર્ચની ખેતી અને વિઘે 1 થી 1.5 લાખ સુધીનું ઉત્પાદન
મોટા ખર્ચા બાદ પણ ખેતી પાકો નિષ્ફળ જઈ રહ્યાં છે ત્યારે પ્રવિણભાઈ જણાવે છે કે એક વખત તેમનો ખારેકનો બચીગો તૈયાર થઈ ગયા પછી ઉતારવા અને કટિંગ જેવા લેબર ખર્ચ સિવાય કોઈપણ પ્રકારનો ખર્ચ લાગતો નથી.

પ્રવિણભાઈ ઉત્પાદનના આંકડા વિશે વાત કરતા જણાવે છે આ બગીમાં વિધે એકથી દોઢ લાખ રૂપિયાનું ઉત્પાદન લઈ લે છે. આ સિવાય ખારેકની સિઝન પુરી થયા બાદ બગીચામાં ઓર્ગેનિક રીતે બટાટાનું વાવેતર કરીને મોટી કમાણી રહ્યાં છે.

પ્રવિણભાઈની ખારેક હાથોહાથ સારા ભાવે વેચાય છે
હવે લોકો આરોગ્ય પ્રત્યે જાગૃત થયા છે ત્યારે પ્રવિણભાઈના બગીચામાં તૈયાર થતી ખારેકની વિશેષ માંગ રહે છે. પ્રવિણભાઈ જણાવે છે કે તેમની ખારેક બીજી ખારેક કરતા સારા ભાવે વેચાય છે. તેમની ખારેક અમદાવાદ સુધી જાય છે.

Kharek ni Kheti

માર્કેટિંગ વિશે વાત કરતા પ્રવિણભાઈ જણાવે છે કે એક વખત તેમની ખારેક ખાધા પછી માર્કેટિંગની જરૂર રહેતી નથી અને લોકો સામેથી ઓર્ડર આપે છે. પ્રવિણભાઈ સપ્લાય માટે કિલોના બોક્સનો ઉપયોગ કરે છે અને પેકિંગ કરીને ખારેક પહોંચાડે છે.

અહીં ખેડૂતોને એ પણ જણાવી દઈએ કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારની પ્રાકૃતિક ખેતી તેમજ બાગાયત ખેતી માટેની વિવિધ યોજનાઓનો લાભ પ્રવિણભાઈ લે છે. આ યોજનાઓથી તેમને બગીચાના વિકાસમાં મોટી મદદ મળી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X