આ ખેડૂતોને નહીં મળે કિસાન સન્માન નિધિનો 16 મોં હપ્તો, જાણો કેમ?

કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ દ્વારા ખેડૂતોને સીધા ખાતામાં વર્ષે 6 હજાર રૂપિયા આપે છે. આ રૂપિયા ખેડૂતોને 3 હપ્તામાં મળે છે. જો કે હવે 16 માં હપ્તા પહેલા તેને લઈને એક મોટા સમાચાર સામે આવ્યા છે.

નવેમ્બર મહિનામાં સરકારે ખેડૂતોના ખાતામાં 15મો હપ્તો જારી કર્યો હતો. હવે દેશના કરોડો ખેડૂતો 16મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. સરકાર હપ્તાની રકમ સીધી ખેડૂતોના ખાતામાં જમા કરે છે.

Kisan Samman Nidhi
  • સરકારે આ યોજના વર્ષ 2019માં શરૂ કરી હતી. ઘણા ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો નથી. સરકારે આ યોજનાના નિયમો અને શરતો કડક બનાવી છે.
  • જો કોઈ ખેડૂત ભાડે જમીન લઈને ખેતી કરે છે તો તેને આ યોજનાનો લાભ નહીં મળે. જે ખેડૂતો પાસે પોતાની જમીન છે તે જ આ યોજનાનો લાભ લઈ શકશે.
  • જો કોઈ ખેડૂત અથવા તેના પરિવારના સભ્યો વરિષ્ઠ પદ પર કામ કરતા હોય તો તેઓ પણ આ યોજનાથી વંચિત રહેશે.
  • ડોકટરો, એન્જીનીયર, વકીલો જેવા પ્રોફેશનલ્સ પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.
  • 10,000 રૂપિયાથી વધુ માસિક પેન્શન મેળવતા નિવૃત્ત કર્મચારીઓ પણ આ યોજનાનો લાભ મેળવી શકતા નથી.

પીએમ કિસાન યોજનાની અરજીની સ્થિતિ તપાસવા તમે ટોલ ફ્રી નંબર 155261 પર સંપર્ક કરી શકો છો. આ નંબર પરથી તમે આ નંબર પર સંપર્ક કરીને જાણી શકો છો કે ઈ-કેવાયસી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે કે નહીં, તમારું નામ લાભાર્થીની યાદીમાં છે કે નહીં, તમારા ખાતામાં પૈસા આવશે કે નહીં વગેરે વગેરે.

પીએમ કિસાન એપ
તમે પીએમ કિસાન મોબાઈલ એપ દ્વારા પણ આ યોજના વિશે જાણી શકો છો. આ એપને ગૂગલ પ્લે સ્ટોર પરથી સરળતાથી ડાઉનલોડ કરી શકાય છે. તમે આ એપ દ્વારા રજીસ્ટ્રેશન પણ કરાવી શકો છો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X