For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Guru Purnima 2022 : ગુરુ પૂર્ણિમા પર રચાઈ રહ્યા છે 4 રાજયોગ! જાણો શુભ મૂહુર્ત, સામગ્રી અને પૂજા વિધિ

આ વર્ષે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈ, 2022 (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે. તે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે, વેદોના રચયિતા વેદ વ્યાસની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

|
Google Oneindia Gujarati News

Guru Purnima 2022 : આ વર્ષે ગુરુ પૂર્ણિમા 13 જુલાઈ, 2022 (બુધવાર)ના રોજ ઉજવવામાં આવશે. તે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. આ દિવસે, વેદોના રચયિતા વેદ વ્યાસની જન્મજયંતિ ઉજવવામાં આવે છે અને તેમની વિશેષ પૂજા કરવામાં આવે છે.

વેદ વ્યાસને પ્રથમ ગુરુ માનવામાં આવે છે. તેમણે માનવજાતને વેદોનું જ્ઞાન આપ્યું હતું. આ સિવાય વેદ વ્યાસને પણ ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે, તેથી ગુરુ પૂર્ણિમાના દિવસે ભગવાન વિષ્ણુની પણ પૂજા કરવામાં આવે છે. આ ઉપરાંત લોકો આ દિવસે પોતપોતાના ગુરુઓની પૂજા અને સન્માન પણ કરે છે.

ગુરુ પૂર્ણિમા 2022 પર રચાશે 4 રાજયોગ

ગુરુ પૂર્ણિમા 2022 પર રચાશે 4 રાજયોગ

ગુરુ પૂર્ણિમાનું જેટલું ધાર્મિક મહત્વ છે એટલું જ તેનું જ્યોતિષીય મહત્વ છે. આ વખતે ગુરુ પૂર્ણિમા જ્યોતિષની દૃષ્ટિએ વધુ વિશેષ બની છે.આ ગુરુ પૂર્ણિમામાં ગ્રહોની સ્થિતિ ખૂબ જ શુભ હોય છે. ગુરુ પૂર્ણિમા 2022 ના દિવસે મંગળ, બુધ, ગુરુ અને શનિ ખૂબ જ શુભ સ્થિતિમાં રહેશે.

જેના કારણે ગુરુ પૂર્ણિમાના દિવસે રૂચક, ભદ્રા, હંસ અને ષશ નામના 4 રાજયોગ બની રહ્યા છે. આ સિવાય સૂર્ય અને બુધ એક જ રાશિમાંહોવાના કારણે બુધાદિત્ય યોગ પણ રહેશે. એકંદરે, ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવતી પૂજા-ઉપાયો ખૂબ જ શુભ ફળ આપશે.

ગુરુ પૂર્ણિમાનો શુભ સમય, પૂજા પદ્ધતિ

ગુરુ પૂર્ણિમાનો શુભ સમય, પૂજા પદ્ધતિ

હિંદુ કેલેન્ડર મુજબ, અષાઢ મહિનાની પૂર્ણિમાની તારીખ 13 જુલાઈની સવારે 04:00 વાગ્યાથી શરૂ થશે અને 13 જુલાઈની રાત્રે 12:06 સુધીરહેશે. આ રીતે, આખો દિવસ ગુરુની ઉપાસના કરવા, જ્યોતિષીય ઉપાયો કરવા માટે શુભ સમય રહેશે.

ગુરુ પૂર્ણિમાના દિવસે સવારે વહેલા સ્નાન કરો અને સ્વચ્છ વસ્ત્રો પહેરો. ઘરના મંદિરમાં જ દેવી-દેવતાઓની પૂજા કરો. ભગવાન વિષ્ણુ અનેવેદ વ્યાસની પૂજા કરો.

જે બાદ તમારા ગુરુને તિલક કરો, માળા પહેરો. જો ગુરુને મળવાનું શક્ય હોય તો તેમને મળવા જાવ અને તેમનાઆશીર્વાદ મેળવો. તમારી ક્ષમતા અનુસાર ગુરૂ દક્ષિણા આપી તેમનું સન્માન કરો.

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

ગુરુ પૂર્ણિમાનું મહત્વ

હિન્દુ ધર્મમાં ગુરુ પૂર્ણિમાના દિવસે ગુરુની પૂજા કરવાની પરંપરા છે. શાસ્ત્રોમાં ગુરુને ભગવાનથી ઉપરનો દરજ્જો છે. આવી સ્થિતિમાં, ગુરુપૂર્ણિમાના દિવસે, વ્યક્તિએ પોતાના ગુરુ અને વડીલોના આશીર્વાદ લેવા જોઈએ. તેમજ ગુરુ પૂર્ણિમાના અવસરે ગુરુઓની પૂજા અને આદરકરવો જોઈએ અને તેમના આશીર્વાદ લેવા જોઈએ.

English summary
4 RajYog is being formed on Guru Purnima 2022!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X