Mahashivratri 2023 : મહાશિવરાત્રી પર બનશે દુર્લભ સંયોગ, શનિ પ્રદોષ થશે મોટા લાભ
Mahashivratri 2023 : 18 ફેબ્રુઆરીના રોજ શનિવાર હોવાથી તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ રીતે શનિ પ્રદોષના દુર્લભ સંયોગમાં શિવભક્તો રાત્રે 9 કલાકથી ચાર કલાક સુધી પૂજા કરવાનું શરૂ કરે છે.
Mahashivratri 2023 : મહાશિવરાત્રીનો તહેવાર આ વખતે એક દુર્લભ સંયોગ લઈને આવી રહ્યો છે. શનિવારના રોજ પ્રદોષ એટલે કે, ત્રયોદશી સાથે જોડાયેલી ચતુર્દશીને જ્યોતિષ અને ધર્મશાસ્ત્રોમાં ખૂબ જ મહત્વપૂર્ણ ગણાવવામાં આવી છે.

આ દુર્લભ સંયોગમાં કરવામાં આવેલી પૂજા ક્યારેય વ્યર્થ જતી નથી. આમ, ફાલ્ગુન કૃષ્ણ ત્રયોદશી 17મી ફેબ્રુઆરીની રાત્રે શરૂ થશે અને 18મી ફેબ્રુઆરીની સાંજ સુધી ચાલશે અને જે બાદ ચતુર્દશીની તિથિ શરૂ થશે.
18 ફેબ્રુઆરી શનિવાર હોવાથી તેને શનિ પ્રદોષ કહેવામાં આવે છે. આ રીતે શનિ પ્રદોષના દુર્લભ સંયોગમાં શિવભક્તો રાત્રે 9 કલાકથી ચાર કલાક સુધી પૂજા કરવાનું શરૂ કરે છે. ઘણા લોકો આ તહેવારને ભગવાન શિવ અને પાર્વતીના મિલન એટલે કે લગ્ન ઉત્સવ તરીકે ઉજવે છે.
ઘણી જગ્યાએ મહાશિવરાત્રીના પાવન પર્વે શિવ બારાતના ભવ્ય કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં શિવ પાર્વતી અને અન્ય દેવતાઓની ઢોલ-નગારાના તાલે આકર્ષક ટેબ્લો કાઢવામાં આવે છે.
પૂજા અને અર્ચના
શિવરાત્રીના દિવસે સવારે વહેલા ઊઠીને અને રોજિંદા કામમાંથી પતાવ્યા બાદ, મંદિરની સામે કે ઘરમાં ભગવાન શિવની મૂર્તિને દૂધ, દહીં, ઘી, મધ, ગંગાનું પાણી વગેરેથી અભિષેક કરીને સ્નાન કરવું જોઇએ. જે બાદ ચંદન, ફૂલ, સુગંધ અને મિઠાઈ વગેરે અર્પણ કરવા સાથે શિવર્ચન કરો.
શિવચરણમાં શિવ ચાલીસા, રૂદ્રાષ્ટકમ, શિવ તાંડવ સ્તોત્ર, શિવ ચાલીસા વગેરેનો પાઠ કરી શકાય છે. આ દિવસે ખોરાક ન લેવો જોઈએ, તેથી ફળો ખાવા શ્રેષ્ઠ છે. રાત્રે નવ કલાક બાદ જે લોકો શક્ય હોય તો તેમણે રાતના ચારેય કલાક પૂજા કરવી જોઈએ. શિવ-પાર્વતીની પૂજામાં પરિવારના સભ્યો સામૂહિક રીતે ભજન-કીર્તન પણ કરી શકે છે.
-
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી







Click it and Unblock the Notifications
