જાણો આપના જીવનમાં મંગળદોષનો પ્રભાવ કેવો પડશે...
[જ્યોતિષશાસ્ત્ર] ઘણીવાર મંગળ ગ્રહનું નામ માત્ર સાંભળીને લોકો બનતો સંબંધ પણ તોડી નાખે છે, જોકે એવું જરૂરી નથી કે મંગળ દોષ હંમેશા નુકસાન જ પહોંચાડે. જ્યોતિષ વિજ્ઞાન અનુસાર મંગળદોષનો પ્રભાવ વત્તા ઓછો પણ થઇ શકે છે. અને ઘણી વાર મંગળનો યોગ દામ્પત્ય જીવનને સર્વસુખમય બનાવી દે છે.
મંગળની દશા અને જીવન પર પ્રભાવ
માંગલિક દોષ લગ્ન, ચંદ્રમાં અથવા શુક્રથી પ્રથમ, ચતુર્થ, અષ્ઠમ અને દ્વાદશ સ્થાનોમાં પાપ ગ્રહ હોવા પર થાય છે. પરંતુ આ યોગનો પ્રભાવ એક જેવો નથી રહેતો, ક્યારેક આ યોગમાં વૃદ્ધિ પણ હોય છે. આ યોગ લગ્નથી બને છે તો તેનો દુષ્પ્રભાવ અપેક્ષાકૃત વધતો ઘટતો રહે છે.
મંગળનો પ્રભાવ
લગ્નમાં પાપ ગ્રહ હોવા પર આ માંગલિક યોગના દુષ્પ્રભાવની માત્રા કંઇક ઓછી થઇ જાય છે. તેમાં ઓછું દુષ્પ્રભાવ ચતુર્થ સ્થાનમાં પાપ ગ્રહ હોવા પર, તેનાથી પણ ઓછો દુષ્પ્રભાવ અષ્ટમ સ્થાનમાં હોવા પર તથા સૌથી ઓછો દુષ્પ્રભાવ બારમાં સ્થાનમાં હોવા પર હોય છે. એટલે કહેવામાં આવે છે કે સપ્તમ, લગ્ન, ચતુર્થ, અષ્ટમ અને વ્યય સ્થાનોમાં પાપ ગ્રહ હોવા પર બનનારા માંગલિક યોગોનો દુષ્પ્રભાવ ઉત્તરોત્તર ઓછો થતો જાય છે.
જ્યોતિષ શાસ્ત્રનો એક સર્વસામાન્ય નિયમ છે કે સ્વરાશિ, મૂળ ત્રિકોણ રાશિ તથા ઉચ્ચરાશિમાં સ્થિત ગ્રહ તે રાશિનો નાશ નથી કરતો, પરંતુ તે એ ભાવની ફળની વૃદ્ધિ કરે છે. પરંતુ નીચ રાશિ અથવા શત્રુ રાશિમાં સ્થિત ગ્રહ ભાવને નષ્ટ કરી દે છે. માટે માંગલિક યોગ ગ્રહ, સ્વરાશિ, મૂળ ત્રિકોણ રાશિ તથા ઉચ્ચ રાશિમાં હોવા પર દોષદાયક નથી હોતું. પરંતુ આ યોગને બનાવનાર ગ્રહ નીચ રાશિ અથવા શત્રુ રાશિમાં હોય તો અધિક દોષ દાયક હોય છે.
સ્લાઇડરમાં જુઓ અને જાણો કે ક્યારે ક્યારે થાય છે માંગલિક દોષનો પ્રભાવ...

મંગળદોષના વિશે
આગળ વાચતા પહેલા આપ આપની કુંડળી ખોલીને બેસી જાવ.

દુષ્પ્રરભાવ વધારે થાય છે
ચન્દ્રમાથી મંગળી યોગ થવાથી તેનો દુષ્પ્રભાવ વધારે હોય છે. કારણ એ છે કે લગ્નનો સંબંધ શરીર સાથે હોય છે અને ચન્દ્રમાનો સીધો સંબંધ મન સાથે હોય છે. એટલે એવું થવા પર આપના જીવનમાં મુશ્કેલીઓ હાવી થઇ જાય છે.

શુક્રનો સંબંધ શરીર સાથે
શુક્રથી મંગલી યોગ હોવા પર તેનો દુષ્પ્રભાવ સર્વાધિક હોય છે. કારણ એ છે કે શુક્રનો સંબંધ શરીરથી હોય છે. એટલે લગ્ન બાદ આપને કોઇ એવો રોગ લાગી શકે છે, જેના કારણ કે જીવનભર દવાઓ પાછળ ખર્ચ કરવો પડે.

કંઇક ઓછો પ્રભાવ નાખે છે
આ યોગ મંગળ, શનિ, સૂર્ય, રાહુ અને કેતુ આ પાંચ ગ્રહોથી બનતા પાપ ગ્રહોમાં મંગળ શનિ સૂર્ય રાહુ અને કેતુ ઉત્તરોઉત્તર ઓછા પાપી માનવામાં આવ્યા છે. એટલે મંગળથી બનનારા યોગની તુલનામાં શનિથી બનનારા યોગ ઓછો પ્રભાવ પાડે છે.

દુષ્પ્રભાવ સૌથી ઓછો હોય છે
સૂર્ય, રાહુ અને કેતુ આ ગ્રહોથી થનાર દુષ્પ્રભાવ ઉત્તરોઉત્તર ઓછો થાય છે. આ પ્રકારે મંગળથી બનનારા યોગ દુષ્પ્રભાવ ઉત્તરોઉત્તર સર્વાધિક તથા કેતુથી બનનારા યોગ દુષ્પ્રભાવ સૌથી ઓછો હોય છે.

વધારે હાનિકારક હોય છે
માંગલિક યોગ લગ્ન ચતુર્થ, સપ્તમ, અષ્ટમ, અને દ્વાદશ સ્થાનોમાં પાપ ગ્રહોના બેસવાથી બને છે. સપ્તમ સ્થાન સાક્ષાત દામ્પત્ય સુખનું પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થાનમાં પાપ ગ્રહ હોવા પર આ યોગ વધારે હાનિકારક હોય છે.
-
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ -
ગુજરાતમાં ગરમીના પ્રકોપ વચ્ચે માવઠાની આફત: 4 એપ્રિલ સુધી આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી -
VerSe ઇનોવેશને પી.આર. રમેશની સ્વતંત્ર ડિરેક્ટર અને ઓડિટ સમિતિના અધ્યક્ષ તરીકે નિમણૂક કરી -
5 રાજ્યોની ચૂંટણી ભાજપ માટે સત્તાનો જંગ કે ભવિષ્યનો રોડમેપ?









Click it and Unblock the Notifications
