Vastu Tips : અપનાવો મની પ્લાન્ટના આ ઉપાયો, થશે મોટા આર્થિક લાભ
ઘણા છોડને વાસ્તુ શાસ્ત્રમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થઇ જાય છે અને સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે.
Vastu Tips : વાસ્તુ શાસ્ત્રમાં વાસ્તુ શાસ્ત્રમાં ઘર સજાવટ માટે ઘણા સૂચનો કરવામાં આવ્યા છે. જેનાથી તમને નાણાકીય લાભ મળે છે. આ સમયે ઘણા છોડને વાસ્તુ શાસ્ત્રમાં ખુબ જ મહત્વ આપવામાં આવ્યું છે. આ છોડથી ઘરની નેગેટિવ એનર્જી દૂર થઇ જાય છે અને સકારાત્મક એનર્જીનો સંચાર થાય છે.
સુખ અને સમૃદ્ધિનો છોડ છે મની પ્લાન્ટ
વાસ્તુ શાસ્ત્રમાં મની પ્લાન્ટને સુખ અને સમૃદ્ધિનો છોડ માનવામાં આવે છે. તેને ઘરમાં લગાવવાથી આવકના નવા સ્ત્રોત ખુલે છે અને આર્થિકસ્થિતિ મજબૂત બને છે.
આજના આર્ટિકલમાં અમે મની પ્લાન્ટ સાથે જોડાયેલા કેટલાક ખાસ ઉપાય વિશે જણાવીશું, જે ચમત્કારિક રીતે જીવનમાં સકારાત્મક પરિવર્તન લાવે છે.
લાલ રિબિન
જો ઘરમાં મની પ્લાન્ટ રાખ્યો હોય, તો તેના પર લાલ રંગની રિબિન અથવા રેશમી દોરો બાંધો. આમ કરવાથી કરિયરમાં ઝડપી વૃદ્ધિ થાયછે. ધન પ્રાપ્તિની શક્યતાઓ વધે છે અને સમાજમાં માન-પ્રતિષ્ઠામાં ઝડપથી વધારો થાય છે.
સાચી દિશા
ઘરની દક્ષિણ દિશામાં હંમેશા મની પ્લાન્ટ લગાવો જોઇએ. આમ કરવાથી તમને ઝડપી પરિણામ મળે છે. મની પ્લાન્ટ માટીના વાસણમાં અથવા લીલા રંગની કાચની બોટલમાં લગાવવો જોઈએ. આમ કરવાથી સફળતાના દરવાજા ખુલવા લાગે છે.
દૂધ મિશ્રિત પાણી
જો મની પ્લાન્ટ વધી રહ્યો હોય તો તેને કોઈપણ વસ્તુથી ટેકો આપીને ઉપરની તરફ ઉંચો રાખવો. મની પ્લાન્ટનો વેલો ઉપરની તરફ જાય તો પ્રગતિ થાય છે.
ભૂલથી પણ તેને જમીન પર ફેલાવવા ન દો. શુક્રવારના દિવસે મની પ્લાન્ટમાં કાચું દૂધ મિશ્રિત પાણી રેડવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે.