રાઈના દાણા તમારી કિસ્મત પલટી શકે, જાણો અચૂક ટોટકા
રાઈના દાણા તમારી કિસ્મત પલટી શકે, જાણો અચૂક ટોટકા
જીવનમાં દુખ, તકલીફો, પરેશાનીઓ લાગી રહે છે, પરંતુ કેટલીયવાર નકારાત્મકતા એટલી વધી જાય છે કે બધા જ બનેલા કાર્ય બગડવા લાગે છે. જો તમે પણ આ દુર્ભાગ્યને સૌભાગ્યમાં બદલવા માંગો છો તો કેટલાય જ્યોતિષીય ઉપાયો તમારી મદદ કરી શકે છે. તમારી કિસ્મત બદલવાની ચાહ રાખો છો તો તમારે રસોડામાં રાખેલા રાઈના દાણાની જરૂર પડશે. જી હા, તમે આ મસાલાની મદદથી ઘરમાં સુખ સમૃદ્ધિ લાવવાના ઉપાયો કરી શકો છો. અહીં જાણો કેટલાક જ્યોતિષીય ટોટકા...
ટોટકા નંબર 1
જો ઘરમાં બાળકોને ખરાબ નજર લાગ ગઈ હોય તો રાઈના સાત દાણા લો. સાથે મીઠાના સાત નાના નાના ટુકડા, સાત લાલ મરચાં લો અને બાળકના માથા પરથી સાત વાર ફેરવો. જે બાદ તરત આ સામગ્રીને સળગતી આગમાં નાખી દો. આગ સળગાવવા માટે તમે આંબાના લાકડાનો ઉપયોગ કરો. આ ઉપાય બંધ હાથે કરો.
ટોટકા નંબર 2
જો કોઈ વ્યક્તિ દરિદ્રતા, ગરીબી, રોગ, દુર્ભાગ્યથી પરેશાન છે તો તેના માટે એક ઘડામાં પાણી લો અને તેમા ંરાઈના પત્તાન ાખી દો. વ્યક્તિ શનિવારે આ જળથી સ્નાન કરે. આ ઉપાયથી કિસ્મતનો સાથ મળવા લાગશે.
ટોટકા નંબર 3
જો કોઈ વ્યક્તિની વાત-વ્યવહારમાં ચિડચિડિયાપણું વધી ગયું છે તો તેને શાંત કરવામાં આ ઉપાય તમને મદદરૂપ થશે. આના માટે તમે રાઈ અને મરચમાં ઉપરથી ફેરવીને સળગાવી દો. એ વ્યક્તિને આ સળગતી રાઈ જોવા માટે કહો.
ટોટકા નંબર 4
જો વેપાર અથવા દુકાનમાં તમને નુકસાન થઈ રહ્યું છે તો તમે રવિવારના દિવસે અલગ અલગ વાસણમાં રાઈ, કાળું તેલ અને સાબુત ધનિયા નાખી તમારા કાર્યસ્થળે રાખી દો. આ ઉપાયથી તમને લાભ મળવા લાગશે.
ટોટકા નંબર 5
રાઈનું દાન કરવું પણ શુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે તમે રાઈનું દાન કરો.
સોશિયલ મીડિયા પર છવાયા સલમાન ખાન અને તેમનું ગીત "ભાઈ ભાઈ"- અહીં જુઓ