જાણો પૂજાને કેવી રીતે સંપૂર્ણ બનાવે છે પાન?
પાનને પૂજામાં સામેલ કરવા પાછળ કેટલાક ધાર્મિક અને વૈજ્ઞાનિક તથ્યો છે.
હિંદુ શાસ્ત્રોમાં પૂજામાં પ્રકૃતિનો સમાવેશ સામાન્ય વાત છે, જેનું ઉદાહરણ છે પાન. ઘાટ્ટો લીલો, ચળકાટવાળો પાન હિંદુ પૂજામાં ચઢાવામાં આવતી પૂજા સામગ્રીઓમાંની મહત્વની સામગ્રી છે. આપણે ત્યાં પૂજાની શરૂઆત જ પાન, સોપારી અને પતાશા દ્વારા સ્થાપના કરવાની સાથે થાય છે. મહત્વની વાતએ છે કે પૂજાનું પાન માત્ર પૂજનની સામગ્રીનો એક ભાગ માત્ર નથી. પૂજામાં ઉપયોગમાં લેવાતા પાનનું વિશેષ સાંકેતિક અર્થ અને ઉદેશ્ય છે. પાન પોતે ઉત્પતિથી જ ધર્મનો એક ભાગ છે. આવો આ પાન વિશે ચર્ચા કરીએ..

પાન વિશે કેટલીક રસપ્રદ જાણકારી
પાનને સંસ્કૃતમાં તાંબૂલ અને અંગ્રેજીમાં બીટલ લીફ કહેવામાં આવે છે. પાન ધરતી પર ક્યારે આવ્યુ આ અંગે ઘણી મહત્વની વાતો સ્કન્દ પુરાણમાં વાંચવા મળે છે. જે પ્રમાણે જ્યારે દેવો અને અસુરોએ મળી સમુદ્ર મંથન કર્યુ, ત્યારે બધી દૈવીય વસ્તુઓ સાથે પાન પણ નિકળ્યુ હતુ. સૌથી પહેલા ભગવાન શિવ અને માતા પાર્વતીએ તેનું સેવન કર્યુ હતુ. ત્યારથી જ તેને દૈવીય વસ્તુઓમાં સ્થાન મળ્યુ છે.

દેવો માટે સર્વશ્રેષ્ઠ આસન
પાનને દેવો માટેનું સર્વશ્રેષ્ઠ આસન માનવામાં આવે છે. આપણે ત્યાં પૂજાની શરૂઆતમાં જ્યારે ભગવાનની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે સૌથી પહેલા સ્થાનને જળથી પવિત્ર કરી ચોખાના ઢગલા પર પાન મુકી તેના પર સોપારી મુકવામાં આવે છે. કળશ સ્થાપનામાં પણ અનેક સ્થાને કળશના મુખ પર પાંચ પાન અને તેના પર ઉભુ નારિયળ મુકી પૂજા શરૂ કરવામાં આવે છે. એવું મનાય છે કે પાનમાં પાણીને શુધ્ધ કરનારુ તત્વ છે. હિંદુ ધર્મમાં એવું મનાય છે કે પાનમાં દરેક દેવી-દેવનો વાસ હોય છે.

પાન અને દેવોના સંબંધ વિશે પુરાણો કંઈક આમ કહે છે....
- પાનના ઉપરના ભાગમાં શુક્ર અને ઈન્દ્ર વિરાજમાન છે.
- પાનના વચ્ચેના ભાગમાં સરસ્વતીનો વાસ હોય છે.
- પાનના નીચેના ભાગમાં માતા લક્ષ્મી વિરાજે છે.
- જ્યાં પાન ડાંડી સાથે જોડાયેલો છે તે સ્થાન જયેષ્ઠા લક્ષ્મીનું હોય છે.
- પાનમાં ભગવાન વિષ્ણુ પોતે સમાયેલા છે.
- પાનની બહારની કિનારએ ભગવાન શંકર અને કામદેવ નિવાસ કરે છે.
- પાનના પાછળના ભાગે માતા પાર્વતી અને મંગળાદેવીનું સ્થાન મનાય છે.
- પાનના જમણા ભાગમાં ભૂમિદેવ નિવાસ કરે છે.
- સંપૂર્ણ પાનને ભગવાન સૂર્યનારાયણનું પ્રતિક માનવામાં આવે છે.

પાનનું વૈજ્ઞાનિક મહત્વ
પાનનું માત્ર ધાર્મિક જ નહિં, પણ તેને પૂજામાં સામેલ કરવા પાછળ કેટલાક વૈજ્ઞાનિક તથ્યો પણ છે. પાનને તાજગી અને સમૃધ્ધિનો સ્ત્રોત માનવામાં આવે છે. મહત્વની વાત તો એ છે કે પાનમાં પાચક રસોનો ભંડાર હોય છે. પૂજાની સમાપ્તિ થતા સામાન્ય રીતે તળેલું ભોજન પિરસવામાં આવે છે. આવા ભોજનને પચાવવામાં પાન મદદરૂપ થાય છે. સાથે જ આ સુગંધિત પાન સારુ માઉથ ફ્રેશનરનું કામ કરે છે. આ જ કારણે શાસ્ત્રોમાં જમાડ્યા બાદ બ્રાહ્મણને પાનની સાથે દક્ષિણા આપવાનું વિધાન છે. પોષણની દ્રષ્ટિએ જોઈએ તો પાનમાં વિટામીન એ અને સી નો ભંડાર હોય છે. તેની સાથે જ પાનમાં જીવાણુંઓનો ખાતમો કરવાની શક્તિ હોય છે. તે મોઢાને શુધ્ધ, અવાજને દમદાર અને જીભ અને દાંતનું રક્ષણ કરે છે.

આરોગ્યની દ્રષ્ટિએ મહત્વ
તમે જાણ્યું તે પ્રમાણે પાન માત્ર ધાર્મિક જ નહિ પણ આરોગ્યની દ્રષ્ટિએ પણ ઘણું મહત્વનું છે. પ્રકૃતિએ દરેક વસ્તુ મનુષ્યને ઉપયોગમાં આવી શકે તેવી જ બનાવી છે. આપણે માત્ર તેનો ઉપયોગ જાણવાની અને તેને અપનાવવાની જરૂર છે. આ બાબતો જાણ્યા બાદ તમે તમારા જીવનમાં ધાર્મિક અને દૈનિક જીવનમાં તેને શામેલ કરો અને પૂજાને સંપૂર્ણ અને જીવનને સ્વસ્થ બનાવો.
-
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11







Click it and Unblock the Notifications
