Buddha Purnima 2021: જાણો ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ અને જીવન વિશેના વિચારો
આવો જાણીએ ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ, જીવન અને ખુશી વિશેના વિચારો..
આ વર્ષે બુદ્ધ જયંતિ બુધવાર એટલે કે 26 મેના રોજ મનાવવામાં આવશે. દુનિયાભરના બૌદ્ધ અને હિંદુ ગૌતમ બુદ્ધના જન્મને બુદ્ધ જયંતિ રૂપે મનાવે છે. બુદ્ધનો જન્મ સિદ્ધાર્થ ગૌતમ, એક રાજકુમાર તરીકે, પૂર્ણિમા તિથિ પર 563 ઈસા પૂર્વમાં પૂનમના દિવસે થયો હતો. લુંબિની(આધુનિક નેપાળમાં એક ક્ષેત્ર)માં એટલા માટે તેમની જયંતિના દિવસે બુદ્ધ પૂર્ણિમા કે વૈસાક તરીકે ઓળખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ગૌતમ બુદ્ધને બોધગયામાં જ્ઞાન પ્રાપ્ત થયુ હતુ અને તેમણે સૌથી પહેલા સારનાથમાં ધર્મની દિક્ષા આપી હતી. આવો જાણીએ ગૌતમ બુદ્ધના શાંતિ, પ્રેમ, જીવન અને ખુશી વિશેના વિચારો..

ગૌતમ બુદ્ધના શાંતિ વિશેના વિચારો
- જે કંઈ પણ તમારી પાસે છે તેને વધારીને ન બતાવો, બીજાની ઈર્ષા ન કરો, જે બીજાની ઈર્ષા કરે છે તેને મનની શાંતિ ક્યારેય નથી મળતી.
- શાંતિ આપણી અંદર છે. જ્યારે મન ભટકવાનુ બંધ કરી દે છે ત્યારે શાંતિ અનુભવાય છે.
- કંઈ પણ સ્થાયી નથી.
- જેણે પોતાને વશમાં કરી લીધો છે તેની જીતને દેવતા પણ હારમાં ફેરવી નથી શકતા.

ગૌતમ બુદ્ધના પ્રેમ વિશેના વિચારો
- નફરતથી નફરત જ ફેલાય છે, નફરતને પ્રેમથી ખતમ કરી શકાય છે. આ જ શાશ્વત છે.
- કોઈ પણ વ્યક્તિ આપણા મિત્ર કે શત્રુ બનીને સંસારમાં નથી આવતા.. આપણો વ્યવહાર અને શબ્દ જ લોકોને મિત્ર અને શત્રુ બનાવે છે..
- તમે તમારા ક્રોધ માટે દંડ નહિ મેળવો પરંતુ તમારા ક્રોધ દ્વારા દંડ મેળવશો.
- જે તમારી ખુશી માટે પોતાની હાર માની લેતા હોય તેનાથી તમે ક્યારેય જીતી ના શકો.

ગૌતમ બુદ્ધના ખુશી અને જીવન વિશેના વિચારો
- ના જાતિથી, ના વંશથી, ના જન્મથી કોઈ મનુષ્ય અપવિત્ર થાય છે, જેમાં સત્ય નથી, સદાચાર નથી, શીલવાન નથી એ જ મનુષ્ય અપવિત્ર છે.
- જીભ એક તેજ ધાર ચાકૂ જેવી છે જે લોહી કાઢ્યા વિના મારી દે છે.
- મનુષ્ય ગમે તેટલો ગોરો હોય પરંતુ તેનો પડછાયો સદૈવ કાળો જ હોય છે. હું શ્રેષ્ઠ છુ એ આત્મવિશ્વાસ છે! પરંતુ માત્ર હું જ શ્રેષ્ઠ છુ એ અહંકાર છે.
- જ્યારે કોઈની સંગતથી તમારા વિચારો શુદ્ધ થવા લાગે ત્યારે સમજજો કે એ કોઈ સાધારણ વ્યક્તિ નથી.
- જો તમે બીજાના માટે દીવો પ્રગટાવશો તો એ તમારા રસ્તાને પણ રોશન કરી દે છે.












Click it and Unblock the Notifications
