Chaitra Navratri 2022: આ રાશિઓ પર થશે મા દુર્ગાની વિશેષ કૃપા, મળશે પ્રમોશન, ધન-લાભ
આવો, જાણીએ આ વખતે આ નવરાત્રિ કઈ રાશિઓ માટે ખુશખબરી લઈને આવી રહી છે...
નવી દિલ્લીઃ મા દુર્ગાના પવિત્ર દિવસો એટલે કે ચૈત્ર નવરાત્રિનો પ્રારંભ 2 એપ્રિલ, 2022થી થઈ રહ્યો છે. આ વખતે નવરાત્રિ 11 એપ્રિલ, 2022ના રોજ સમાપ્ત થશે. નવરાત્રિનો પ્રારંભ શનિવારે થઈ રહ્યો છે. માટે દેવીના આગમનની સવારી 'અશ્વ' હશે. ચૈત્ર મહિનાથી હિંદુ નવવર્ષ પણ પ્રારંભ થાય છે. આવો, જાણીએ આ વખતે આ નવરાત્રિ કઈ રાશિઓ માટે ખુશખબરી લઈને આવી રહી છે...
મેષઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ મેષ રાશિવાળા માટે ઘણી શુભ છે. મા દુર્ગાની વિશેષ કૃપા સાથે આ વખતે આ રાશિવાળાનુ નસીબ ચમકશે. આ લોકોને બધા કામમાં સફળતા મળશે. નોકરીમાં પ્રશંસા થશે, પ્રમોશન થઈ શકે છે અને મુસાફરી પણ થઈ શકે છે.
વૃષભઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ વૃષભ માટે ઘણી શુભ છે. તેમને પણ ધનલાભ થશે અને તેમની પણ પ્રગતિ થશે. પ્રમોશનના યોગ દેખાઈ રહ્યા છે.
કર્કઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ કર્ક રાશિના જાતકો માટે પ્રગતિ લઈને આવી રહી છે. જે લોકોના લગ્ન નથી થયા, તેમના પણ લગ્નના યોગ છે.
સિંહઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ સિંહ રાશિ માટે ગુડ ન્યૂઝ લઈને આવી રહી છે. તેમને પ્રમોશન મળી શકે છે અને ધનલાભ થઈ શકે છે. જૂના સમયથી ચાલી આવતી મુશ્કેલીઓનો પણ અંત થશે.
કન્યાઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ કન્યા રાશિ માટે ઘણી શુભ છે. તેમને પણ ધનની પ્રાપ્તિ થઈ શકે છે અને તેમને પ્રમોશન મળી શકે છે.
તુલાઃ પંડિત જ્ઞાનેન્દ્ર શાસ્ત્રીના જણાવ્યા મુજબ આ વખતની ચૈત્ર નવરાત્રિ તુલા રાશિના જાતકો માટે શુભ છે. લાંબા સમયથી ચાલી આવતા કષ્ટોનો અંત થશે. આવકના નવા રસ્તા મળશે, અટકેલા કામેમાં સફળતા મળશે. ધન લાભના પણ યોગ છે.
નવરાત્રિ મા દુર્ગાના નવ રુપોનો તહેવાર
તમને જણાવી દઈએ કે મા દુર્ગાના નવ રુપોનો તહેવાર છે. મા પોતાના બાળકોને ખૂબ પ્રેમ કરે છે. માટે નવરાત્રિ ક્યારેય પણ કોઈ રાશિ માટે ખરાબ ન હોઈ શકે. માટે સાચા મનથી માની આરાધના કરો. મા દુર્ગા પોતાના દરેક ભક્તોને સાંભળે છે અને તેમની દરેક રીતે રક્ષા કરે છે અને તે તેમને બધુ આપે છે જેમની ઈચ્છા તેમના બાળકો તેમની પાસે કરે છે.