Dhanteras 2022: ધનતેરસની રાતે ઘરમાં આ જગ્યાએ જરુરથી પ્રગટાવો દીવા, થશે ધનવર્ષા
જો તમે કુબેરને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ધનતેરસની રાતે દીવો પ્રગટાવવાના ઉપાય કરવા જોઈએ. જાણો વિગત.
Dhanteras 2022: ધનતેરસથી દીવાળી સુધીના ત્રણ દિવસ મહાલક્ષ્મી અને યક્ષરાજ કુબેરને પ્રસન્ન કરવાના અદ્ભુત ચમત્કારિક દિવસો છે. આ દિવસોમાં બ્રહ્માંડ શક્તિઓ એવી રીતે જાગ્રત થાય છે કે જો તમે સાચી શ્રદ્ધા અને વિધિઓથી ઉપાય કરો તો તમારી મનોકામના ચોક્કસપણે પૂર્ણ થાય છે.

દીવાળીની મહાનિશાની જેમ ધનતેરસની રાત પણ કુબેરને પ્રસન્ન કરવા માટે હોય છે. ધનતેરસની પૂજાનુ વિધાન પણ પ્રદોષકાળ દરમિયાન કરવામાં આવે છે. તેથી જો તમે કુબેરને પ્રસન્ન કરવા માંગતા હોવ તો ધનતેરસની રાતે દીવો પ્રગટાવવાના ઉપાય કરવા જોઈએ. શાસ્ત્રોમાં વર્ણન છે કે જ્યાં ધનતેરસની રાતે જે જગ્યાએ રોશની હોય, દીપકનો ઉજાશ હોય ત્યાં કુબેર દેવતાની દ્રષ્ટિ પડે છે અને તે પોતાના આલોકથી તે સ્થાનને પ્રકાશિત કરી દે છે. એટલે કે એ જગ્યાએ તેઓ પોતાની કૃપા વરસાવે છે. એવી ઘણી જગ્યાઓ હોય છે જ્યાં ધનતેરસની રાતે અનિવાર્યપણે દીવા પ્રગટાવવા જોઈએ.
પ્રાચીન અને નિર્જન સ્થળના શિવ મંદિરમાં
શિવ મહાપુરાણમાં એક જગ્યાએ એવુ વર્ણન કરવામાં આવ્યુ છે કે એક અવુ શિવ મંદિર જે નિર્જન હોય, જે જંગલમાં હોય, જ્યાં ઘણા દિવસો સુધી કોઈ આવતુ-જતુ ન હોય, તે શિવમંદિરમાં આખી રાત બળતો અખંડ દીવો પ્રગટાવવાથી. ધનતેરસની રાત્રિએ શિવની કૃપા પ્રાપ્ત થાય છે. શિવના આદેશથી કુબેર પણ તે મનુષ્યના ધનના ભંડાર ભરી દે છે.
ગરીબ-દીન-દુઃખીના ઘર
ધનતેરસની રાતે ગરીબ, દીન-દુઃખી, નિઃશક્ત, વિકલાંગ, રક્તપિત્ત, વિકલાંગ, નેત્રહીન વ્યક્તિના ઘરે દીવો પ્રગટાવવાથી માતા લક્ષ્મી અને કુબેરની કૃપા પ્રાપ્ત થાય છે.
આ જગ્યાઓએ પણ પ્રગટાવો દીવો
- ધનતેરસની રાતે કુબેર અને તુલાની પૂજા કરીને પૂજા સ્થાનમાં આખી રાત ચાલતો અખંડ દીવો પ્રગટાવો.
- ઘરની તિજોરી, દુકાનનો ગલ્લો જ્યાં તમે પૈસા રાખો છો, સોનાના ઘરેણા રાખો છો, એવી જગ્યાએ દીવો પ્રગટાવો.
- ધનતેરસની રાતે કૂવાના પાળા પર લોટના સાત દીવા બનાવીને પ્રગટાવવાથી કુબેર અને વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે.
- પીપળાના ઝાડ નીચે લોટના 11 દીવા બનાવીને અને તેલ ભરીને પ્રગટાવો. ત્યાં બેસીને શ્રીસૂક્ત, વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. વિષ્ણુ-લક્ષ્મીની સાથે કુબેરની કૃપા પણ પ્રાપ્ત થાય છે.
- તુલસી, શમી, વડ-લીમડા-પીપળાની ત્રિવેણીમાં દીવો પ્રગટાવો.
-
માર્ચ મહિનાની શરૂઆત સાથે જ હિટવેવની આગાહી, આ જિલ્લાઓમાં વાતાવરણ બગડશે -
India vs England: ઈંગ્લેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરત એરપોર્ટ પર નકલી પાસપોર્ટ સાથે એક વ્યક્તિ ઝડપાયો -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
Gold Rate Today: ધૂળેટીના દિવસે ઘટ્યા સોનાના ભાવ, જાણો લેટેસ્ટ કિંમત -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
IND vs ENG: શું 5 નહીં હવે 6 માર્ચે રમાશે ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ? ICCએ આપ્યું અપડેટ









Click it and Unblock the Notifications
