સુખ, ધન અને સમૃદ્ધિના દિપોત્સવનો પ્રારંભ એટલે ધનતેરસ
દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે.
દિવાળી પાંચ દિવસનો તહેવાર છે જેની શરૂઆત ધનતેરસથી થાય છે. આ વખતે ધનતેરસ 5 નવેમ્બર 2018 ના દિવસે સોમવારે મનાવવામાં આવશે. આ દિવસે લોકો ઘર માટે વાસણ અને સોનુ-ચાંદી ખરીદે છે. ધનતેરસના દિવસે કુબેર ઉપરાંત યમની પણ પૂજા કરવામાં આવે છે. ધનતેરસના દિવસે યમની પૂજાની વિશેષ માન્યતા છે કારણકે તેમની પૂજાથી કસમય મોતનો ભય રહેતો નથી.

ધનતેરસ 2018 ના મૂહુર્ત
ધનતેરસ પૂજા મૂહૂર્ત-
સાંજે - 6-05 થી 8.01
સમયગાળો - 1 કલાક 55 મિનિટ
પ્રદોષ કાળ - 5.29 PM થી 8.07 PM
વૃષભ કાળ - 6:05 PM થી 8:01 PM
ત્રયોદશી તિથિ આરંભ - 5 નવેમ્બર, 01:24 AM
ત્રયોદશી તિથિ ખતમ - 5 નવેમ્બર, 11.46 PM

ધનવંતરિની પણ પૂજા
ધનતેરસ સુખ, ધન અને સમૃદ્ધિનો તહેવાર માનવામાં આવે છે. આ દિવસે ધનવંતરિની પણ પૂજા કરવામાં આવે છે. ધનવંતરિ ચિકિત્સાના દેવતા પણ છે. એટલા માટે તેમની પાસે આરોગ્યની પણ કામના કરવામાં આવે છે.

ચાંદી ખરીદવી શુભ
ધનતેરસના દિવસે લોકો ઘરેલુ વાસણો ખરીદે છે. આ દિવસે ચાંદી ખરીદવી પણ શુભ માનવામાં આવે છે કારણકે ચંદ્રમાનું પ્રતીક માનવામાં આવે છે અને ચંદ્રમા શીતળતાનું માનક છે એટલા માટે ચાંદી ખરીદવાથી મનમાં સંતોષ રૂપી ધનનો વાસ થાય છે કારણકે જેની પાસે સંતોષ છે તો જ ખરા અર્થમાં સ્વસ્થ, સુખી અને ધનવાન છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
