Durga Ashtami 2023: દુર્ગાષ્ટમીના દિવસે કરો આ 4 ઉપાય, જાણો મુહૂર્ત અને પૂજાવિધિ
Durga Ashtami 2023: આજે નવરાત્રીની આઠમ છે. આજે ઘણા લોકો માતાજીને નેવૈધ ધરાવે છે. જેને દુર્ગાષ્ટમી કે મહા અષ્ટમી કહેવામાં આવે છે. આ દિવસે માતા અંબાના મહાગૌરી સ્વરૂપની પૂજા કરવામાં આવે છે. મહાગૌરીના સંપૂર્ણ વસ્ત્ર સફેદ અને આભૂષણ શ્વેત રંગના હોય છે.
મહાગૌરીને ચાર હાથ છે, તેમના ઉપરના જમણા હાથમાં અભય મુદ્રા છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે. ઉપરના ડાબા હાથમાં ડમરુ અને નીચેના ડાબા હાથમાં વર-મુદ્રા છે.

આ વર્ષે નવરાત્રીની અષ્ટમી તિથિ 21 ઓક્ટોબરની રાત્રે 9.54 વાગ્યાથી શરૂ થઈ રહી છે. 22મીએ ઉદયા તિથિ છે, તેથી આ દિવસે મહાઅષ્ટમીની પૂજા કરવામાં આવશે. અષ્ટમીના દિવસે અનેક ઘરોમાં કન્યા પૂજા પણ કરવામાં આવે છે. માતા ગૌરીની પૂજા કરતી વખતે કેટલીક વાતોનું ધ્યાન રાખવાથી મનવાંછિત ફળ મળે છે.
માતા મહાગૌરીની પૂજા કરવાથી લાભ થાય છે - મહાગૌરીની પૂજા કરવાથી તમામ નવ દેવીઓ તરફથી અપાર આશીર્વાદ મળે છે. માતા મહાગૌરી પ્રેમનું મૂર્ત સ્વરૂપ છે, તેથી તે પોતાના ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરે છે.
મહાગૌરીનો મંત્ર
યા દેવી સર્વભૂતેષુ માઁ ગૌરી રૂપેણ સંસ્થિતા
નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમસ્તસ્યૈ નમો નમઃ।
મહાઅષ્ટમી કન્યા પૂજાનો શુભ સમય - મહાઅષ્ટમીના દિવસે, 22 ઓક્ટોબરે, કન્યાની પૂજા કરવાનો શ્રેષ્ઠ સમય સવારે 7:51 થી 9:16 સુધીનો છે. આ સિવાય તમે અમૃતકાલ દરમિયાન સવારે 10.41 થી 12.01 વાગ્યા સુધી કન્યાની પૂજા પણ કરી શકો છો.
મહાઅષ્ટમીના દિવસે કરવાના ઉપાયો
- મહાષ્ટમીના દિવસે મા દુર્ગાની પૂજામાં લવિંગ અને લાલ ફૂલ ચઢાવો, તેનાથી મા દુર્ગા જલ્દી પ્રસન્ન થાય છે.
- શારદીય નવરાત્રીના અષ્ટમીના દિવસે લાલ રંગની ચુનરીમાં સિક્કો અને બાતાશા રાખીને મા મહાગૌરીને અર્પણ કરો. આમ કરવાથી તમને ઈચ્છિત પરિણામ મળે છે.
- મહાષ્ટમીના દિવસે વ્રત રાખનારા ભક્તો પર માતા ગૌરીના અપાર આશીર્વાદ છે. કહેવાય છે કે, બધા અટકેલા કાર્યો પૂર્ણ થવા લાગે છે.
- જો તમે મહાષ્ટમીના દિવસે છોકરીઓની પૂજા કરો છો, તો 9 છોકરીઓ સાથે એક છોકરો બેસાડવો. બાળકને ભૈરવનું સ્વરૂપ માનવામાં આવે છે.












Click it and Unblock the Notifications
