Dussehra 2022: દશેરા પર કરો અપરાજિતા સ્તોત્રનો પાઠ, ક્યારેય હાર નહિ થાય
લંકા પર વિજય મેળવતા પહેલા ભગવાન શ્રી રામે દુર્ગાના સ્વરૂપ અપરાજિતા દેવીની પૂજા કરી હતી. જાણો વિગત.
નવી દિલ્લીઃ ભગવાન રામે રાક્ષસ રાવણનો વધ કરીને પૃથ્વીને અત્યાચાર અને પાપથી મુક્ત કરાવી હતી. રાવણ સામે રામનુ યુદ્ધ માત્ર સીતાને મુક્ત કરવા માટે જ નહોતુ પરંતુ સમગ્ર સૃષ્ટિને રાવણના અત્યાચારોથી મુક્ત કરાવવા માટેનુ હતુ. રાવણ પણ ઓછો શક્તિશાળી ન હતો. તેથી શ્રી રામને તેના પર વિજય મેળવવા માટે વિશેષ પ્રયત્નો કરવા પડ્યા. લંકા પર વિજય મેળવતા પહેલા ભગવાન શ્રી રામે દુર્ગાના સ્વરૂપ અપરાજિતા દેવીની પૂજા કરી હતી. અપરાજિતા એટલે કે જે સર્વત્ર વિજયી છે જેને કોઈ હરાવી શકતુ નથી.

આજે પણ વિજયાદશમી પર અપરાજિતા દેવીની પૂજા કરવાનુ વિધાન છે. જે વ્યક્તિ આ દિવસે અપરાજિતા દેવીની પૂજા કરે છે અને ભક્તિભાવથી અપરાજિતા સ્તોત્રનો પાઠ કરે છે તેનો ક્યારેય પરાજય થતો નથી. તેને સંસારમાં સર્વત્ર વિજય મળે છે. દેવી અપરાજિતાની પૂજા કરવાથી ચારેય દિશામાં વિજયના આશીર્વાદ મળે છે.
અપરાજિતા પૂજા અને સ્તોત્ર પાઠ કેવી રીતે કરવુ
- વિજયાદશીના દિવસે સવારે સ્નાન કરીને નિવૃત્ત થઈને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરો.
- હાથમાં જળ, અક્ષત, ફૂલ, સોપારી, ધન લઈને અપરાજિતાની પૂજા કરવાનો સંકલ્પ લો.
- આ પછી બપોરે દેવી અપરાજિતાની પૂજા કરો.
- અપરાજિતા સ્તોત્રનો પાઠ કરો.
- ફળ અને મીઠાઈનો નૈવેદ્ય ચઢાવો.
- પૂજા સમયે માળાથી ઓમ અપરાજિતાય નમઃ મંત્રનો જાપ કરો.
- આ પછી વ્યક્તિ દેવી સૂક્ત, દેવી કવચ વગેરેનો પાઠ કરી શકે છે.
પુજન મુહૂર્ત
વિજય મુહૂર્ત બપોરે 2.13 થી 3.01, સમયગાળો 48 મિનિટ
અપરાજિતા પૂજન અને સ્તોત્ર પાઠના ફાયદા
- વિજયાદશમી પર અપરાજિતા દેવીની પૂજા કરીને અપરાજિતા સ્તોત્રનો પાઠ કરવાથી સર્વત્ર વિજય પ્રાપ્ત થાય છે.
- જે શત્રુઓ કામમાં હાનિ પહોંચાડવાનો કે અવરોધ કરવાનો પ્રયાસ કરે છે તેઓ શમી જાય છે.
- જો કોઈ કામ અટક્યુ હોય તો વિજયાદશમીના દિવસે અપરાજિતા સ્તોત્રનો પાઠ કરવાથી કામમાં આવતી અડચણો દૂર થાય છે.
- તે અચાનક અને અણધાર્યા જોખમો સામે રક્ષણ આપે છે.
- આર્થિક કાર્યમાં જો ધન પ્રાપ્તિમાં અવરોધ હોય તો તે પણ દૂર થાય છે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ









Click it and Unblock the Notifications
