Rahu Ketu 2023: ગજકેસરી યોગ પર ભારે પડશે રાહુ-કેતુ, આ 3 રાશિઓને ભોગવવુ પડશે ભારે નુકશાન
Gajkesari Yog September 2023: જ્યોતિષમાં રચાયેલ ગજકેસરી યોગ ખૂબ જ શુભ અને ફળદાયી માનવામાં આવે છે. આ યોગ બનવાથી લોકોને ઘણા ફાયદા થાય છે. વ્યક્તિને દરેક કાર્યમાં સફળતા, સુખ, સમૃદ્ધિ અને આર્થિક લાભ મળે છે.
તમને જણાવી દઈએ કે 17 સપ્ટેમ્બરે રાત્રે 11.07 કલાકે ચંદ્ર મેષ રાશિમાં પ્રવેશ કરશે. 20 સપ્ટેમ્બરે સવારે 8:44 સુધી ચંદ્ર આ રાશિમાં રહેશે. ગુરુ મેષ રાશિમાં પહેલેથી હાજર છે. આવી સ્થિતિમાં ગુરુ અને ચંદ્રના સંયોગથી ગજકેસરી યોગ બનશે.

જો કે રાહુ પણ મેષ રાશિમાં છે અને કેતુ પણ તુલા રાશિમાં છે. આ કારણે કેટલાક લોકોને ગજકેસરી યોગની નકારાત્મક અસરોનો સામનો કરવો પડી શકે છે. ચંદ્ર અને ગુરુની વચ્ચે રાહુ અને કેતુની હાજરીને કારણે તે અશુભ અસર આપવા લાગે છે. ચાલો જાણીએ ગજકેસરી યોગને પ્રભાવિત કરનાર રાહુ કેતુને કારણે કઈ ત્રણ રાશિઓને સૌથી વધુ નુકસાન થઈ શકે છે.
મેષ
મેષ રાશિના જાતકોને રાહુ કેતુની અસરથી ગજ કેસરી યોગને કારણે નુકસાન સહન કરવું પડી શકે છે. આ સમયગાળા દરમિયાન તમારે આર્થિક નુકસાનનો પણ સામનો કરવો પડી શકે છે. તમને સમજદારીપૂર્વક પૈસા ખર્ચવાની સલાહ આપવામાં આવે છે. ઘરમાં તમારા માતા-પિતાના સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખો. આ સમયગાળા દરમિયાન ઘરની શાંતિમાં ખલેલ પડવાનો ભય છે.આ રાશિના વિદ્યાર્થીઓનું અભ્યાસમાં ધ્યાન ઓછું રહેશે જેના કારણે તમે ધાર્યા પ્રમાણે પરિણામ મેળવી શકશો નહીં.
તુલા
રાહુ કેતુના પ્રભાવને કારણે તુલા રાશિના લોકોએ ગજ કેસરી યોગની નકારાત્મક અસરોનો સામનો કરવો પડશે. આ સમયગાળા દરમિયાન તમને આર્થિક નુકસાન થશે. સમાજ અને પરિવારમાં તમારું સન્માન પણ ઘટશે. વિવાહિત જીવનમાં મતભેદ થશે, ધીરજ નહિ રાખો તો મામલો બગડી શકે છે. આ સમય દરમિયાન, તમારે ઓફિસમાં પણ સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તમારે વધારે તણાવ લેવાનું ટાળવું જોઈએ નહીંતર તમારા સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર થઈ શકે છે.
ધન
મેષ રાશિમાં ગજકેસરી યોગ બનવાના કારણે ધન રાશિના લોકોને પણ નકારાત્મક પ્રભાવનો સામનો કરવો પડી શકે છે. આ રાશિના વેપારીઓને સાવધાન રહેવાની સલાહ છે. કોઈપણ પ્રકારના દસ્તાવેજને વાંચ્યા વિના સહી ન કરો. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ આવશે. આ રાશિના બેરોજગાર લોકોને નોકરી માટે થોડી રાહ જોવી પડી શકે છે. તમને સલાહ આપવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
