ગણેશ મહોત્સવ 2017 : બાપ્પાને ઘરે લાવતા પહેલા જાણો આ..
આ વર્ષે ગણેશ ચતુર્શી 25 ઓગસ્ટના આવી રહી છે. આ વર્ષે લાવો ગણેશને તમારા ઘરે અને કરો વિધિવત પૂજા. આ અંગે વધુ વાંચો અહી..
ગણેશ ભક્તોનો સૌથી પ્રિય તહેવાર ગણેશ ચતુર્થી છે જે આ વર્ષે 25 ઓગસ્ટે આવી રહ્યો છે. પૂરાં 11 દિવસ ચાલતા આ ઉત્સવ માટે ભક્તોની તૈયાર પૂરજોરમાં ચાલી રહી છે. હિંદુ ધાર્મિક કેલેન્ડર પ્રમાણે ગણેશ ચતુર્થી દર વર્ષે ભાદ્રપદની ચોથા દિવસે ઉજવવામાં આવે છે. એવી માન્યતા છે કે ભગવાન ગણેશનો આ દિવસે જન્મ થયો હતો. ચતુર્થીના દિવસે ઘણા લોકો ભગવાન ગણેશની મૂર્તિને પોતાના ઘરે પણ લાવે છે અને વિધિ-વિધાન સાથે તેની સ્થાપના કરી, તેમની 10 દિવસ પૂજા અર્ચના કરે છે અને 11માં દિવસે તેમનું વિસર્જન કરવામાં છે. ગજરાજની સ્થાપના યોગ્ય મુહૂર્તમાં થાય અને થોડી સાવચેતી રાખવામાં આવે તો પૂજાનું બમણું ફળ પ્રાપ્ત થાય છે. આજે અમે ગણપતિની સ્થાપના માટે વિશે કેટલીક બાબતો જણાવીશું. જે કરવાથી તમે બાપ્પાને ખુશ કરી શકશો.

ગણેશ ચતુર્થી પૂજા મુહૂર્ત
- સવારે 11:25 થી 1 વાગ્યાને 57 મિનિટે
- 24 ઓગસ્ટે ચંદ્ર ન જોવાનો સમય 20: 27 વાગ્યાથી સાંજ 21:02 વાગ્યા સુધી
- 25 ઓગસ્ટે ચંદ્રને ન જોવાનો સમય 09: 00 થી 21: 41 વાગ્યા સુધી
ગણેશ વિસર્જન માટે શુભ ચોઘડિયા
- સવારનું મુહૂર્ત (ચાર, લાભ, અમૃત)- 09:32 થી 14:11 બપોર સુધી
- બપોરનું મુહૂર્ત (શુભ) = 15: 44 થી 17:17 વાગ્યા સુધી
- સાંજનું મુહૂર્ત(પ્રયોગ) = 20:17 થી 21: 44 વાગ્યા સુધી
- રાતનું મુહૂર્ત(શુભ, અમૃત, ચાર) = 23:11 વાગ્યે
ગણેશ પૂજન દરમિયાન ધ્યાનમાં રાખવાની કેટલીક બાબતો વિશે પણ જાણો

ઘરની સફાઈ
ગણેશ સ્થાપના કરતા પહેલા આખા ઘરની સફાઈ કરો અને ત્યારબાદ ગણેશ ચતુર્થીની સવારે સ્નાન પતાવી ઘરના ખૂણે ખૂણામાં ધૂપ-અગરબત્તી કરો. જેથી ઘરનું શુદ્ધિકરણ થઈ જાય.

ફૂલ, ધૂપ, દિપથી પૂજા કરો
એક કળશમાં પાણી ભર્યા બાદ તેના મોઢાને લાલ રંગના કપડાથી ઢાંકી દેવું જોઈએ. કળશમાં રોલી અને ચોખાને પણ રાખી મુકી. હવે કળશને ગણપતિની બાજુમાં મુકી દો. ગણપતિને ફૂલ અને નવા વસ્ત્રોથી સજાવો. રોલી, ફૂલ સુગંધિત ધૂપ અને દીપથી ગણપતિની પૂજા કરવી જોઈએ.

મંત્ર જાપ
ત્યારબાદ મોદક કે લાડવાનો ભોગ લગાવો જોઈએ. પૂજા દરમિયાન "गं गणपतये नमः" મંત્રનો જાપ કરવો જોઈએ. ગણપતિની આરાધના કર્યા બાદ આરતી કરવી જોઈએ અને પ્રસાદનું લોકોમાં વિતરણ કરવું જોઈએ.

ગણપતિનો સમયગાળો
જાતક ઉપર આધાર રાખે છે કે, તે બાપ્પાને પોતાના ઘરમાં કેટલા દિવસો સુધી રાખશે. સામાન્ય રીતે લોકો બપ્પાને 1 દિવસ કે 3 દિવસ કે 5 દિવસ કે 7 દિવસ માટે લાવે છે અને ક્યાંક ક્યાંક તો તે પૂરાં 10 દિવસ સુધી વિરાજે છે.

ગણપતિ વિસર્જન
ગણપતિ વિસર્જન આપણને શીખવે છે કે, માટીના બનેલા શરીરને એક દિવસ માટીમાં જ ભળી જવાનું છે. ગણેશની પ્રતિમા માટીની બનેલી હોય છે અને પૂજા બાદ તે માટીમાં ભળી જાય છે. ગણપતિ વિસર્જન હંમેશા તળાવ કે નદીમાં ઘરના કોઈ પુરુષના હાથોથી જ કરાવવું.
-
T20 World Cup : વર્લ્ડ કપ જીત્યા બાદ ઈશાન કિશને ગર્લફ્રેન્ડ સાથે ઉજવણી કરી, જુઓ ફોટો -
T20 world cup : સુર્યકુમાર યાદવ નિવૃતિ લેશે? જાણો ખુદ શું કહ્યું? -
IND vs NZ: કોહલી સાથે ખાસ ક્લબમાં સંજુ સેમસન સામેલ, ટીમ ઈન્ડિયાએ બનાવ્યો ઐતિહાસિક વર્લ્ડ રેકોર્ડ -
ઈરાન-અમેરિકા યુદ્ધમાં ભારત કયા પક્ષમાં? સંસદમાં શું કહ્યું સરકારે? -
પરસેવો પાડવા તૈયાર થઈ જાવ, હવામાન વિભાગની હિટવેવની આગાહી -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી







Click it and Unblock the Notifications
