Ganesha Chaturthi 2022: આ 4 રાશિઓ પર થશે બાપ્પાની વિશેષ કૃપા, જાણો તમારી રાશિ પર શું થશે અસર
ગણેશ ચતુર્થીએ આ 4 રાશિઓ પર થશે ગણપતિ બાપ્પાની વિશેષ કૃપા. જાણો તમારી રાશિ પર શું થશે અસર
નવી દિલ્લીઃ ભક્તિ, શક્તિ, પ્રેમ અને બલિદાનનો તહેવાર ગણેશ ચતુર્થી 31 ઓગસ્ટના રોજ છે. જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. લોકો પોતપોતાના ઘરે ગણપતિ લાવવાના પ્રયાસમાં વ્યસ્ત છે. કેટલાક લોકો ઘરની સજાવટ કરી રહ્યા છે તો કેટલાક બાપ્પા કેવી રીતે આવશે તે વિચારી રહ્યા છે. એકંદરે બાળકોના લાડકા અને સૌના પ્રિય એવા ગજાનનના જન્મદિવસને ખાસ બનાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
આ 4 રાશિ પર વિશેષ કૃપા
આમ તો, વિઘ્નહર્તાનો જન્મદિવસ દરેકને દરેક રીતે સુખ, શાંતિ અને સમૃદ્ધિ આપનાર છે પરંતુ આ વખતે 31 ઓગસ્ટે શુક્રનુ રાશિ પરિવર્તન થવા જઈ રહ્યુ છે. શુક્ર પ્રેમ, સુખ અને કીર્તિનો કારક છે. તે 31 ઓગસ્ટે કર્ક રાશિમાંથી સિંહ રાશિમાં પ્રવેશ કરશે. તેથી આ વખતે ચતુર્થી કેટલીક રાશિઓ માટે સારા સમાચાર લઈને આવી શકે છે. મેષ, વૃષભ, સિંહ અને કુંભ રાશિના લોકોને બાપ્પા વિશેષ આશીર્વાદ આપવા જઈ રહ્યા છે, ગણેશ ચતુર્થીના દિવસથી આ ચાર રાશિના શુભ દિવસ શરૂ થવા જઈ રહ્યા છે. જો કે, ગણપતિ બાપ્પા દરેક રાશિ માટે કંઈક ને કંઈક લઈને આવ્યા છે.
મેષથી કન્યા સુધી અસર
- મેષઃકોઆ શુભ સમાચાર મળશે. જેના કારણે થોડી માનસિક શાંતિ પ્રાપ્ત થશે.
- વૃષભ: બજારમાં રોકાયેલુ નાણુ પાછુ મળશે. જેનાથી તમને ખુશી મળશે.
- મિથુનઃ પ્રગતિ થવાના શુભ સંકેત છે. બાપ્પા પ્રગતિના આશીર્વાદ આપી રહ્યા છે.
- કર્કઃ સુખ, શાંતિ અને પ્રેમની વર્ષા થશે. તમે પ્રસન્ન રહેશો.
- સિંહઃ શિક્ષણની દિશામાં કરેલા પ્રયાસો ફળદાયી સાબિત થશે.ધનલાભ થશે.
- કન્યાઃ ગણેશ ચતુર્થી ખૂબ જ શુભ રહેવાની છે.
તુલાથી મીન રાશિ પર અસર
- તુલાઃ પ્રગતિના નવા માર્ગો ખુલશે, તમે પ્રસન્ન રહેશો.
- વૃશ્ચિકઃ વ્યાપારિક સંબંધો મજબૂત રહેશે.
- ધનઃ રાજકીય માન-સમ્માન તેમજ પ્રતિષ્ઠામાં વધારો થશે.
- મકરઃ તમને પરેશાનીઓ અને દેવાથી મુક્તિ મળશે અને મન પ્રસન્ન રહેશે.
- કુંભઃ નવા લોકો મળશે જે પ્રગતિનો માર્ગ મોકળો કરશે.
- મીનઃ મનમાં શાંતિ રહેશે અને લોકો તરફથી તમને પ્રશંસા મળશે.