Garuda Purana : ભૂલથી પણ ન વાપરો મૃત લોકોની આ વસ્તુ, નહીં તો લાગશે પિતૃદોષ
Garuda Purana : ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની કેટલીક વસ્તુઓનો ઉપયોગ ન કરવો જોઈએ. અન્યથા પિતૃ દોષોની અસર ઘણી પેઢીઓને ભોગવવી પડશે.
Garuda Purana : હિન્દુ ધર્મમાં ચાર વેદ 18 પુરાણ છે. આ અઢાર પુરાણોમાં જીવનના ઘણા રહસ્યો જણાવવામાં આવ્યા છે. આ પુરાણોમાંથી એક એવા ગરુડ પુરાણમાં જણાવેલી વાતો વિશે જાણીશું. ગરુડ પુરાણમાં આત્માના સફર વિશે વાત કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, ગરુડ પુરાણના 271 અધ્યાય અને 18 હજાર શ્લોકમાં વિસ્તારપૂર્વક જીવન-મૃતના તમામ પાસા વિશે તેમજ પાપ-પુણ્ય, સ્વર્ગ-નર્ક વિશે જણાવવામાં આવ્યું છે.
ગરૂડ પુરાણ મૃત વ્યક્તિના અંતિમ સંસ્કાર અને તેની સાથે જોડાયેલી વિધિઓ વિશે પણ જણાવે છે. ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિની વસ્તુઓના ઉપયોગ અંગે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ અહેવાલમાં એ વિશે જાણીશું.
મૃત વ્યક્તિની આ વસ્તુઓ ન વાપરો

કપડા
ગરુડ પુરાણ મુજબ ભૂલથી પણ મૃત વ્યક્તિના કપડાનો ઉપયોગ ન કરો. નહીં તો મૃત વ્યક્તિની આત્મા તે વ્યક્તિ સાથે જોડાયેલી હોય છે.
મૃત વ્યક્તિની યાદો તેને સતત સતાવે છે. જેના કારણે તે વ્યક્તિને સતત માનસિક અને શારીરિક પીડા સહન કરવી પડે છે.
તેથી વધુ સારું રહેશે કે, મૃત વ્યક્તિના કપડા જરૂરિયાતમંદોને દાન કરો. આમ કરવાથી મૃત વ્યક્તિની આત્માને પણ શાંતિ મળે છે. નહીં તો પિતૃ દોષ લાગે છે.

ઘરેણા
ગરુડ પુરાણ અનુસાર મૃત વ્યક્તિના ઘરેણાનો પણ ઉપયોગ ન કરવો જોઈએ. મૃત વ્યક્તિની ઊર્જા આભૂષણોમાં રહે છે. આવા કિસ્સામાં મૃત વ્યક્તિના ઘરેણાં ક્યારેય ન પહેરવા જોઈએ.
જો કોઈ અન્ય વ્યક્તિ મૃતકના ઘરેણાં પહેરે છે, તો તે અસ્વસ્થતા અનુભવે છે. આ સાથે મૃત વ્યક્તિની આત્માને પણ મોક્ષ મળતો નથી, પરંતુ મૃત્યુલોકમાં ભટકતી રહે છે. આ સાથે પરિવારને પિતૃદોષ પણ લાગે છે.

ઘડિયાળ
ભૂલથી પણ ક્યારેય મૃત વ્યક્તિની ઘડિયાળ ન પહેરો. મૃતકની ઉર્જા પણ ઘડિયાળમાં રહે છે. મૃતકની ઘડિયાળ કોઈને દાન કરવી વધુ સારું રહેશે. નહીં તો આખા પરિવારને પિતૃ દોષ લાગે છે.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા








Click it and Unblock the Notifications
