Guru Asta 2025: નવા વર્ષે ગુરુ થશે અસ્ત, ત્રણ રાશિઓને મળી શકે છે પ્રમોશન
Guru Asta 2025: જ્યોતિષશાસ્ત્રમાં જણાવ્યા અનુસાર તમામ ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરે છે. જે ગ્રહ ગોચર કહેવામાં આવે છે. આ ગ્રહ ગોચર કરવા માટે અલગ અલગ અવધી લે છે.
આ ગ્રહોના રાશિ પરિવર્તનની અસર તમામ રાશિના જાતકો પર થાય છે. વર્ષ 2025 તમામ રાશિઓ માટે શુભ રહેવાનું છે. વર્ષની શરૂઆતમાં ઘણા મોટા ગ્રહો પોતાની રાશિમાં પરિવર્તન કરવા જઈ રહ્યા છે. જેનાથી
જાતકોની મનોકામના પૂરી થશે. વર્ષની શરૂઆતમાં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. આ સાથે ગુરુ ગ્રહ પણ મિથુન રાશિઓમાં અસ્ત થશે.
જ્યોતિષ પંચાંગ મુજબ, 12 જૂન, 2025 ના રોજ ગુરુ મિથુન રાશિમાં અસ્ત થશે. ગુરુ અસ્ત થયા બાદ ત્રણે રાશિઓના નસીબમાં સુધારો થશે.
જ્યોતિષમાં જણાવ્યા અનુસાર, ગુરુને ભાગ્ય, જ્ઞાન, સંતાન, લગ્ન, સંપત્તિ, શિક્ષણ અને કારકિર્દીનો કારક માનવામાં આવે છે.

મેષ રાશિ પર ગુરુ અસ્તની અસર - જ્યોતિષીય ગણતરીઓ અનુસાર, ગુરુનો અસ્ત તમારા માટે શુભ રહેશે. તમારી સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે.
ગુરુની કૃપાથી ઘરમાં કોઈ પણ શુભ કાર્ય થઈ શકે છે. કોર્ટના કેસોમાં પણ તમારા પક્ષમાં નિર્ણય આવવાના સંકેત જણાઈ રહ્યા છે.
આ સમય દરમિયાન આર્થિક પાસું મજબૂત રહેશે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સમય શુભ રહેશે. ધર્માદા સંબંધિત કાર્ય કરવાથી ઇચ્છિત પરિણામ મળશે. વિદ્યાર્થીઓની પરીક્ષાનું પરિણામ આવશે. ગ્રહોના શુભ પ્રભાવને કારણે તમારું દાંપત્ય જીવન પણ ખુશહાલ રહેશે.
વૃષભ રાશિ પર ગુરુ અસ્તની અસર - ગુરુ અસ્ત થવા પર તમારી બધી સમસ્યાઓનો અંત આવશે. નોકરી શોધી રહેલા લોકોને સારા સમાચાર મળવાની સંભાવના છે.
કરિયર સંબંધિત કોઈ નિર્ણય લેશો. સારી રીતે વિચારેલી વ્યૂહરચના વ્યવસાયમાં અસરકારક સાબિત થશે. તમારા કામમાં તમારા સહકર્મીઓ તમને પૂરો સાથ આપશે.
આ સમયગાળા દરમિયાન તમે વૈભવી વસ્તુઓ પર સારી રકમ ખર્ચ કરશો. તમે કોઈ કામ માટે લાંબા અંતરની યાત્રા પર જઈ શકો છો, જે તમારા માટે ફાયદાકારક રહેશે.
ગુરુના અસ્ત થવાથી તમને વ્યવસાયમાં તમારી કોઈપણ જૂની યોજનાઓમાંથી સારો નફો મળશે, જે તમને ખુશ કરશે.
મીન રાશિ પર ગુરુ અસ્તની અસર - વર્ષ 2025માં જ્યારે ગુરુ અસ્ત થશે ત્યારે તમારી ઘર, વાહન કે અન્ય કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા પૂર્ણ થશે.
વિદ્યાર્થીઓને ભણવામાં આવતી સમસ્યાઓનો પણ અંત આવશે. વિવાહ લાયક લોકોના લગ્ન નિશ્ચિત થવાની સંભાવના છે.
આ સમયગાળા દરમિયાન સરકારી વિભાગોમાં કામ કરતા લોકોના પગારમાં વધારો થશે. તમારા બાળકને થોડું સન્માન મળશે, જેનાથી સમાજમાં તમારો પ્રભાવ વધશે. નવા યુગલ માટે આ સમય ખૂબ જ શુભ છે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
