For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

અન્યની ખુશી અને સફળતા સહન કરી શકતા નથી આ 5 રાશિના જાતકો, ચેતી જજો

જ્યોતિષમાં રાશિચક્ર દ્વારા સ્વભાવ અને ભવિષ્ય જાણવાનો માર્ગ જણાવવામાં આવ્યો છે. આ મુજબ કેટલાક લોકો એવા હોય છે, જે બીજાની ખુશી અને પ્રગતિ સહન કરવામાં અસમર્થ હોય છે. તેઓ બીજા સફળ લોકોની હંમેશા ઈર્ષ્યા કરે છે.

|
Google Oneindia Gujarati News

જ્યોતિષમાં રાશિચક્ર દ્વારા સ્વભાવ અને ભવિષ્ય જાણવાનો માર્ગ જણાવવામાં આવ્યો છે. આ મુજબ કેટલાક લોકો એવા હોય છે, જે બીજાની ખુશી અને પ્રગતિ સહન કરવામાં અસમર્થ હોય છે. તેઓ બીજા સફળ લોકોની હંમેશા ઈર્ષ્યા કરે છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 5 રાશિવાળા લોકોમાં આ ખરાબ ટેવ હોય છે.

મેષ - Aries :

મેષ - Aries :

મેષ રાશિના લોકો ખૂબ જ મહત્વાકાંક્ષી હોય છે અને તેઓ જે કામ કરે છે, તેમાં આગળ રહેવાનું પસંદ કરે છે. તેમની આ આદત તેમને સફળતા અપાવે છે, પરંતુ જ્યારેતેઓ કોઈની પાછળ પડી જાય છે, ત્યારે તે તેમના માટે અસહ્ય બની જાય છે. તેઓ બીજાને પોતાના કરતા આગળ જતા જોઇ શકતા નથી અને તેમની ઈર્ષ્યા કર્યા કરેછે.

વૃષભ - Taurus :

વૃષભ - Taurus :

વૃષભ રાશિના લોકો બુદ્ધિશાળી, મહેનતુ અને પ્રામાણિક હોય છે. તેમને સફળતા મળે છે, પરંતુ આ માટે તેમને ઘણો સંઘર્ષ કરવો પડે છે. તેથી, જ્યારે સખત મહેનતનુંસંપૂર્ણ પરિણામ નથી મળતું, ત્યારે બીજાઓને ઝડપથી સફળ થતા જોઈને તેઓ તેમની બળતરા કરવા લાગે છે. જોકે, તેઓ પણ સાફ દિલના હોય છે, તેથી જો તે જવ્યક્તિ તેમની પાસે કોઈ મદદ માગે તો તેઓ ના પાડી શકતા નથી.

કન્યા - Virgo :

કન્યા - Virgo :

કન્યા રાશિના લોકો માત્ર તેમનાથી આગળ રહેલા લોકોથી જ ઈર્ષ્યા કરતા નથી, પરંતુ કેટલીકવાર તેઓ તેમના વિશે ખરાબ વિચારવાથી પણ પાછળ રહેતા નથી.

વૃશ્ચિક - Scorpio :

વૃશ્ચિક - Scorpio :

વૃશ્ચિક રાશિના લોકો પણ બીજાની ખુશી સહન કરી કરતા નથી. બીજાને ખુશ જોઈને તેમની ઈર્ષ્યા કરવા લાગે છે. આટલું જ નહીં, તેઓ તેમને પાછળ પાડવા માટે અનેકયુક્તિઓ પણ અજમાવતા હોય છે.

કુંભ - Aquarius :

કુંભ - Aquarius :

કુંભ રાશિના લોકોમાં અસુરક્ષાની લાગણી ઝડપથી ઘર કરી જાય છે. જે કારણે તેઓ ઝડપથી ઈર્ષ્યા કરવા લાગે છે, તેઓ તેમના અસુરક્ષિત અનુભવવા લાગે છે. જ્યારેકુંભ રાશિના લોકો શનિના પ્રભાવને કારણે સખત મહેનત કરવાવાળા હોય છે અને સફળતા મેળવે છે.

કર્ક રાશિના લોકો હોય છે ખૂબ જ વિશ્વાસપાત્ર

કર્ક રાશિના લોકો હોય છે ખૂબ જ વિશ્વાસપાત્ર

કર્ક રાશિના જાતકો ભરોસાપાત્ર હોય છે. આ સાથે તેઓ ખૂબ જ લાગણીશીલ પણ માનવામાં આવે છે. મિત્ર કે જીવન સાથી તરીકે આ રાશિના લોકો ખૂબ સારા હોય છે. હમસફરના રૂપમાં આ રાશિના વ્યક્તિનો સાથ કોઈ ભેટથી ઓછો નથી. કર્ક રાશિના લોકો ભરોસાપાત્ર હોય છે, તેમજ સુખ-દુઃખમાં સાથે આપે છે.

English summary
Happiness and success of others cannot be tolerated By this zodiac sign.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X