Holashtak 2024 Upay: આર્થિક સ્થિતિ સુધરશે, જાણી લો હોળાષ્ટકના ઉપાય
Holashtak 2024 Upay: પંચાગમાં જણાવ્યા અનુસાર, આ વર્ષે હોળીનો તહેવાર 25 માર્ચના રોજ ઉજવવામાં આવશે. આના 8 દિવસ પહેલા એટલે કે 17 માર્ચ, 2024 હોળાષ્ટકની શરૂઆત થઇ ગઇ છે. આ સમયગાળા દરમિયાન કોઇપણ પ્રકારના શુભ કાર્ય જેવા કે, લગ્ન, મુંડન, નવો વેપાર કે શુભ કાર્ય કરવામાં આવતા નથી.
એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ કરવાથી શુભ ફળ નથી મળતું. હોળાષ્ટક દરમિયાન લેવાના ઉપાયો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે. આ ઉપાયોને અનુસરવાથી વ્યક્તિને જીવનની ઘણી સમસ્યાઓમાંથી મુક્તિ મળે છે. આ અહેવાલમાં આપણે જણીશું કે, હોળાષ્ટક દરમિયાન કયા ઉપાયો કરવા જોઇએ.

હોળાષ્ટકના ઉપાય
જો તમે જીવનમાં આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હોવ, તો હોળાષ્ટકમાં અક્ષત, પીળી સરસવ અને કાનેરના ફૂલ સાથે હવન કરો. એવું માનવામાં આવે છે કે, આ વસ્તુઓ સાથે હવન કરવાથી આર્થિક સ્થિતિમાં સુધારો થાય છે અને ધનની પ્રાપ્તિ થાય છે.
કરિયરમાં સફળતા મેળવવા માટે હોળાષ્ટકમાં તલ, સાકર અને જવનો હવન કરવો. એવું માનવામાં આવે છે કે, આ ઉપાય કરવાથી પ્રગતિના માર્ગો ખુલે છે, અને વ્યક્તિને ઈચ્છિત કારકિર્દી મળે છે.
આ સિવાય શ્રી હરિ, ભગવાન નરસિંહ અને હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરો. આ દરમિયાન મહામૃત્યુંજય મંત્રનો જાપ કરો. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી ગ્રહોની હાનિકારક અસર ઓછી થાય છે.
મહામૃત્યુંજય મંત્ર - ઓમ હૂં જૂન સહ ઓમ ભુર્ભુવહ સ્વાહ ઓમ ત્રયંબકમ યજામહે સુગંધી પુષ્ટિવર્ધનમ ઉર્વારુકામિવ બંધનાનમ્રી ત્યોર્મુક્ષીય મામૃતત ઓમ સ્વાહ ભુવહ હુ ઓમ સહ જુન હૂં ઓમ
આ દિવસથી શરૂ થાય છે હોળાષ્ટક - પંચાંગ અનુસાર, હોળાષ્ટક દર વર્ષે હોળી પહેલા એટલે કે ફાગણ માસના શુક્લ પક્ષની અષ્ટમી તિથિના દિવસે શરૂ થાય છે. હોળીના 8 દિવસ પહેલા હોળાષ્ટક શરૂ થાય છે. આ વખતે હોળાષ્ટક આજથી એટલે કે 17મી માર્ચથી શરૂ થઈ ગયું છે, અને તે 24મી માર્ચના રોજ સમાપ્ત થશે.
નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ અહેવાલ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.












Click it and Unblock the Notifications
