For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

જો તમારા હાથમાં આ નિશાન હશે તો તમને ઘર મળશે જ! જાણો કઈ ઉંમરે પૂરી થાશે આ ઈચ્છા

સામાન્ય રીતે દરેક વ્યક્તિ આલીશાન ઘરની ઈચ્છા રાખે છે. જેની પૂર્તિ માટે માણસ વ્યસ્ત રહે છે. હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની કેટલીક રેખાઓ દર્શાવે છે કે, વ્યક્તિના જીવનમાં ઘર છે કે નહીં.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી : સામાન્ય રીતે દરેક વ્યક્તિ આલીશાન ઘરની ઈચ્છા રાખે છે. જેની પૂર્તિ માટે માણસ વ્યસ્ત રહે છે. હસ્તરેખાશાસ્ત્રમાં હથેળીની કેટલીક એવી રેખાઓ દર્શાવે છે કે, વ્યક્તિના જીવનમાં ઘર છે કે નહીં. જો કોઈ વ્યક્તિની હથેળીમાં આ રેખાઓ હોય તો તે વ્યક્તિને ચોક્કસપણે પોતાના જીવનમાં મકાનનું સુખ પ્રાપ્ત થાય છે. તો આવો આજે અમે તમને આ હસ્તરેખાશાસ્ત્ર અનુસાર ઘર મળશે કે કેમ અને કઇ ઉમરે મળશે તે વિશે જણાવીશું.

rekha shastra

આ રેખાઓ અને નિશાનો ઘરની ખુશીનું પ્રતિનિધિત્વ કરે છે

  • હસ્તરેખાશાસ્ત્ર અનુસાર જો હાથનો શનિ પર્વત મજબૂત હોય અને હૃદય રેખા પર ત્રિકોણનું નિશાન હોય તો આવા લોકોને જીવનમાં ઘરનું સુખ ચોક્કસ મળે છે. આ સાથે ઘણી વખત આવા લોકોને એકથી વધુ ઘરનું સુખ પણ મળે છે.
  • આ સિવાય જો આ ત્રિકોણને પાતળી રેખા કાપતી હોય તો વ્યક્તિને પોતાનું ઘર તો મળી જાય છે, પરંતુ તેમાં રહેવાનો આનંદ નથી મળતો. જોકે આનું કારણ કંઈપણ હોઈ શકે છે.
  • હસ્તરેખા શાસ્ત્ર અનુસાર જો ભાગ્ય રેખા પર સ્પષ્ટ ત્રિકોણનું નિશાન બનેલું હોય તો વ્યક્તિને ઘરનું સુખ પણ પ્રાપ્ત થાય છે. આવા લોકોને મન પ્રમાણે ઘરમાં રહેવાનો આનંદ મળે છે.
  • હસ્તરેખાશાસ્ત્રમાં, આ ત્રિકોણને મની ત્રિકોણ તરીકે ઓળખવામાં આવે છે. જો ભાગ્ય રેખા પાતળી અને અસ્પષ્ટ હોય અને ત્રિકોણનું નિશાન હોય તો જીવનમાં ખૂબ સંઘર્ષ કર્યા બાદ વ્યક્તિને ઘરનું સુખ મળે છે.
  • જો હથેળીમાં ભાગ્ય રેખા, મસ્તક રેખા અને જીવન રેખા સાથે ત્રિકોણનું ચિન્હ બનેલું હોય અને તેમાં કાળા ડાઘ દેખાય તો તે શુભ સંકેત માનવામાં આવતું નથી. આવા લોકોને પોતાનું ઘર બનાવ્યા બાદ પણ સુખ નથી મળતું.
  • જો ગુરુ પર્વત પર સ્પષ્ટ ચતુર્ભુજ ચિન્હ હોય તો આવા લોકોને મકાનનું સુખ ચોક્કસપણે પ્રાપ્ત થાય છે. જોકે, ગુરુ પર્વતની સ્થિતિ પણ સારી હોવી જોઈએ.
  • જો મંગળ પર્વતની બાજુમાંથી કોઈ રેખા નીકળે છે અને શનિ પર્વત તરફ જાય છે, તો વ્યક્તિને જીવનમાં ઘરનું સુખ ચોક્કસ મળે છે. તેમજ આવા લોકોને આ સુખ 35 વર્ષ પછી જ મળે છે. આ સિવાય જો શનિ પર્વત પર બે સ્પષ્ટ ઊભી રેખાઓ હોય તો વ્યક્તિને મકાનનો આનંદ મળે છે, પરંતુ આવો યોગ ધીમે ધીમે બને છે.
English summary
If you have this mark on your hand, you will got a home! know at what age this wish will be fulfilled.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X