આ જગ્યાઓ પર બુટ ચપ્પલ પહેરીને ના જાવ નહી તો થઇ જશો ગરીબ
કહેવાઈ છે કે ઘરની અંદર પવિત્ર સ્થળ પર બુટ ચપ્પલ પહેરીને જવું જોઈએ નહી. એવું કરવા થી તેની પવિત્રતા જતી રહે છે. શાસ્ત્રો મુજબ ઘરમાં કેટલાક એવા સ્થળ હોઈ છે જ્યાં બુટ ચપ્પલ પહેરીને જવું જોઈએ નહી ધર્મ શાસ્ત્રો મુજબ જો તમે તેવું કરો છો તો તમે પાપ ના ભાગીદાર બની જાવ છો.
એટલું જ નહી પરંતુ તમારી આ હરકતથી ઘરની સુખ શાંતિ પણ ભંગ થઇ શકે છે. એવું કરવાથી તમે ગરીબીને આમંત્રિત કરો છો. એવામાં તમારું જાણવું જરૂરી છે કે ઘરમાં એવી કઈ જગ્યા છે જ્યાં તમારે બુટ ચપ્પલ પહેરીને ના જવું જોઈએ.
ભંગ થશે ઘરની સુખ શાંતિ
જે રૂમમાં પૈસાની તિજોરી રાખવામાં આવી હોઈ ત્યાં કદી પણ બુટ ચપ્પલ પહેરીને જવું જોઈએ નહી.
રસોડામાં
રસોડામાં બુટ ચપ્પલ પહેરીને જવું જોઈએ નહી તેનાથી તમે દરિદ્રતાને આમંત્રણ આપો છો.
સ્ટોર રૂમ
ભંડાર ઘર એટલે કે સ્ટોર રૂમ એ અન્નપુર્ણનો વાસ હોઈ છે એટલે ત્યાં પણ બુટ ચપ્પલ પહેરીને જવું જોઈએ નહી.
નદીમાં ચામડાનો ઉપયોગ ના કરો
હિંદુ ધર્મમાં નદીને દેવીનું રૂપ માનવામાં આવે છે એટલે તેમાં કદી પણ ચામડાની બનેલી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ નહી.
મંદિરમાં રાખો ખાસ ધ્યાન
ઘરના મંદિરમાં ક્યાં તો પછી ગમે તે મંદિરમાં બુટ ચપ્પલ પહેરી ને ફરવું જોઈએ નહી.