Janmashtami 2023: જન્માષ્ટમીના દિવસે વાંસળીનો ઉપાય કરતી વખતે લાભના બદલે નુકશાન ના થઈ જાય, આ વાતનુ રાખો ધ્યાન
Flute Remedies: હિન્દુ સંસ્કૃતિનો વિશેષ તહેવાર જન્માષ્ટમી આ વર્ષે 6 અને 7 સપ્ટેમ્બરે ઉજવવામાં આવશે. આ તહેવાર સમગ્ર દેશમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ દિવસની ભવ્યતા કૃષ્ણ મંદિરોમાં અને ખાસ કરીને ઈસ્કોન મંદિરોમાં જોઈ શકાય છે.
જન્માષ્ટમીના દિવસે શ્રીકૃષ્ણની પૂજા કરવાની સાથે કાન્હાના વિશેષ આશીર્વાદ મેળવવા માટે કેટલાક ખાસ ઉપાય પણ કરવામાં આવે છે. ધાર્મિક ગ્રંથોમાં કહેવાયું છે કે શ્રી કૃષ્ણને વાંસળી ખૂબ જ પસંદ છે. જન્માષ્ટમીના દિવસે વાંસળી સંબંધિત કેટલાક ઉપાય કરી શકાય છે જેનાથી મેળવી શકાય છે કાન્હાના વિશેષ આશીર્વાદ.

વાસ્તુ દોષોથી મુક્તિ મેળવવા
જન્માષ્ટમીના દિવસે ઘરમાં વાંસળી લાવવી. રાત્રે કૃષ્ણની પૂજામાં કૃષ્ણના ચરણોમાં વાંસળી અર્પણ કરો અને બીજા દિવસે તે વાંસળીને ઘરની પૂર્વ દિવાલ પર ત્રાંસી લગાવી દો.
વેપારમાં નફો મેળવવા
લાકડાની વાંસળીને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. જન્માષ્ટમીના દિવસે તેને ઘરના મુખ્ય દરવાજા પર લટકાવવાથી ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ ઉપાયથી ઘરની આર્થિક સ્થિતિ સુધરે છે અને વેપારમાં લાભ થાય છે. જો તમારી પાસે દુકાન છે તો ત્યાં પણ વાંસળી રાખવાથી ફાયદો થશે.
નકારાત્મક ઉર્જા દૂર કરવા
જ્યારે કૃષ્ણ વાંસળી વગાડતા હતા ત્યારે દરેક જણ સંમોહિત અને શાંત થઈ જતા હતા. તેમની વાંસળીના સૂર સમગ્ર વાતાવરણમાં મધુરતા ઉમેરતા હતા. ઘરમાંથી નકારાત્મકતા અને તણાવપૂર્ણ વાતાવરણને દૂર કરવા માટે શ્રી કૃષ્ણને ચાંદીની વાંસળી ચઢાવો. જો ચાંદી શક્ય ન હોય તો ઘરના મંદિરમાં કાન્હાને લાકડાની વાંસળી ચઢાવો. જન્માષ્ટમી પૂજા પછી આ વાંસળીને ઘરના મુખ્ય ભાગમાં ક્યાંક મૂકી દો.
દામ્પત્ય જીવનમાં સુખ મેળવવા
શ્રી કૃષ્ણ અને તેમની વાંસળીને વિવાહિત જીવનમાં ખુશીઓ માટે પ્રેમનું પ્રતીક પણ માનવામાં આવે છે. વિવાહિત જીવનમાં બધું ઠીક કરવા અને પ્રેમ વધારવા માટે તમારા બેડરૂમમાં વાંસળી રાખો. તેનાથી વિવાહિત જીવન મધુર બનશે.
-
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
નવસારીના સરામાં ધર્માનંતરણને લઈને હંગામો, જાણો શું છે પુરો વિવાદ? -
Gold Rate Today: સોનાના ભાવમાં મામૂલી ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
ગુજરાત પોલીસે જપ્ત કરેલુ 2332 કિલો ડ્રગ્સ ઉંદરો ખાઇ ગયા, CAG રિપોર્ટમાં દાવો -
Petrol Diesel Price: 26 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
કચ્છમાં કરા સાથે વરસાદ, ખેડૂતોને મોટુ નુકસાન -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતમાં માવઠાનો વધુ એક રાઉન્ડ આવશે, 28 એપ્રિલથી વાતાવરણમાં પલટાની આગાહી -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
નર્મદા નદી પર બનેલો ભારતનો પ્રથમ 8 લેન એક્સ્ટ્રાડોઝ રિવર બ્રિજ શરૂ થયો, જાણો ખાસિયત -
બનાસકાંઠાના CNG પ્લાન્ટને દેશના 15 રાજ્યો અપનાવશે, 60 કરોડ ફળવાયા








Click it and Unblock the Notifications
