Karwa Chauth Moonrise Timing: ક્યારે થશે ચાંદના દીદાર, કડવા ચોથ પર કેટલી રાહ જોવડાવશે, જાણી લો સમય

Karwa Chauth Moonrise Timing: કારતક માસના કૃષ્ણ પક્ષની ચતુર્થીના દિવસે ઉજવાતી કડવા ચોથ કાલે આવવાની છે. હિંદુ સંસ્કૃતિમાં, આ વ્રત પરિણીત મહિલાઓ તેમના જીવનસાથીના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્ય માટે રાખે છે.

આ વર્ષે કડવા ચોથ 1 નવેમ્બરે છે. આ દિવસે કડવા માતાની સાથે મહિલાઓ દેવી પાર્વતી અને ભગવાન ગણેશની પણ પૂજા કરે છે. આ દિવસે સૂર્યોદય પહેલા પરિણીત મહિલાઓ સરગીના રૂપમાં ભોજન લે છે અને ત્યારબાદ આખો દિવસ નિર્જળા વ્રત રાખે છે.

Karwa Chauth Moonrise

રાત્રે ચંદ્રોદય પછી ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરીને વ્રત તોડવામાં આવે છે. આવો જાણીએ કે 1લી નવેમ્બરે કડવા ચોથના દિવસે પૂજાનુ શુભ મુહૂર્ત કયુ રહેશે અને ભારતના કયા શહેરમાં ચંદ્રદર્શનનો સમય કયો રહેશે.

કડવા ચોથ પૂજાનો શુભ સમય

1લી નવેમ્બરે સાંજે 05:36થી 06:54 સુધીનો રહેશે.

આ સાથે અમૃત કાલ મુહૂર્ત સાંજે 07:34થી 09:13 સુધી રહેશે.

દેશના વિવિધ શહેરોમાં ચંદ્ર દેખાવાનો સમય

દિલ્હી - દિલ્હીમાં ચંદ્રોદયનો સમય રાત્રે 08:15 થશે.

મુંબઈ - ચંદ્ર અહીં 08:59 વાગ્યે દેખાશે.

પુણે - પૂણેમાં ચંદ્રોદયનો સમય રાત્રે 08:56 છે.

ઔરંગાબાદ - ઔરંગાબાદમાં રાત્રે 08:47 વાગ્યે ચંદ્ર દેખાશે.

કોલકાતા - કોલકાતામાં ચંદ્રોદયનો સમય સાંજે 07:46 છે.

પટના - કડવા ચોથનો ચંદ્ર પટનામાં સાંજે 07.51 કલાકે દેખાશે.

લખનઉ - લખનઉમાં ચંદ્રોદય રાત્રે 08:05 વાગ્યે થશે.

વડોદરા - વડોદરામાં રાત્રે 08:49 કલાકે ચંદ્ર દેખાશે.

કાનપુર - કાનપુરમાં ચંદ્રોદયનો સમય રાત્રે 08:08 છે.

પ્રયાગરાજ - પ્રયાગરાજમાં રાત્રે 08.05 વાગ્યે ચંદ્ર દેખાશે.

નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વન ઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X