Kanwad Yatra 2023: શું છે કાવડ યાત્રા? અહીં જાણો તેના પ્રકાર, મહત્વ અને નિયમ
Kanwar Yatra 2023: પવિત્ર કાવડ યાત્રાનો પ્રારંભ થઈ ચૂક્યો છે. તમે ભગવા વસ્ત્રો પહેરેલા શિવભક્તોને કાવડ લઈને રસ્તાઓ પર 'બમ-બમ ભોલે' ના નારા લગાવતા હવે જોશો. તમને જણાવી દઈએ કે શિવ ભક્તો કાવડમાં હરિદ્વાર-ઋષિકેશથી ગંગા જળ લાવવા નીકળે છે અને ત્યાંથી જળ લાવીને શિવલિંગ પર અભિષેક કરે છે.
માનવામાં આવે છે કે આમ કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે અને પોતાના ભક્તની દરેક મનોકામના પૂર્ણ કરે છે. આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે, પહેલુ તો એ કે તે પગપાળા યાત્રા હોય છે અને બીજું તમે રસ્તામાં ક્યાંય કાવડને જમીન પર પણ મૂકી શકતા નથી.

તમને જણાવી દઈએ કે ભક્તો જે કાવડ લઈ જાય છે તે વાંસનું બનેલું હોય છે, જેના બંને છેડે ઘડા બાંધેલા હોય છે, જેમાં તેઓ ગંગાજળ ભરીને શિવલિંગનો અભિષેક કરે છે.
કાવડ યાત્રાના પ્રકાર
સામાન્ય કાવડ યાત્રાઃ આ યાત્રામાં કાવડિયાઓ ગમે ત્યાં રોકાઈ શકે છે, આરામ કરી શકે છે અને પોતાની અનુકૂળતા મુજબ કાવડને લટકાવી પણ શકે છે.
ડાક કાવડ યાત્રાઃ આ યાત્રા ખૂબ જ મુશ્કેલ હોય છે, આમાં ભક્તો કાવડને સતત લઈ જતા રહે છે અને જ્યાં સુધી તેઓ શિવલિંગને ગંગાના જળથી અભિષેક ન કરે ત્યાં સુધી રોકાતા નથી.
ઉભી કાવડઃ આ યાત્રામાં યાત્રી સાથે તેનો સહાયક પણ હોય છે, જે પોતે થાકી જાય ત્યારે કાવડને ઉપાડે છે.
દાંડી કાવડઃ આ યાત્રામાં યાત્રિકો દંડવત કરતા-કરતા શિવ મંદિરે પહોંચે છે.
કાવડ યાત્રાના નિયમ
- કોઈ પણ કાવડિયા તેના કાવડને સ્નાન કર્યા વિના સ્પર્શી શકતા નથી.
- પ્રવાસ દરમિયાન દારૂ, માંસાહારી અને તામસિક આહાર ન લેવો જોઈએ.
- યાત્રા દરમિયાન દરેક વ્યક્તિનું શરીર અને મન સ્વચ્છ અને શિવની ભક્તિમાં મગ્ન હોવું જોઈએ.
- કાવડને જમીન પર રાખવાની મનાઈ છે.
- કાવડને ચામડાથી દૂર રાખવુ.
- કાવડ યાત્રા પગપાળા યાત્રા છે, આ દરમિયાન વાહનોનો ઉપયોગ કરી શકાતો નથી.
- કાવડને ફક્ત બનાવેલા શિબિરોમાં લટાવવી, તેને કોઈ ઝાડ પર લટકાવવી નહિ.
-
તમિલનાડુના રાજકારણમાં મોટી ઉથલપાથલ, શશિકલાએ નવી પાર્ટીની જાહેરાત કરી -
Gujarat Titans Schedule: ગુજરાત ટાઇટન્સ આ દિવસે રમાશે પ્રથમ મેચ, રાજસ્થાન અને દિલ્હી સામે પણ થશે જોરદાર ટક્કર -
Gujarat Weather: રાજ્યના આ જિલ્લાઓમાં ગરમીનું યલો એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: 13 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Dhurandhar 2: ક્યારે અને ક્યાં જોઈ શકશો રણવીર સિંહની 'ધુરંધર 2', આવી ગઈ સંપૂર્ણ વિગતો -
Israel Iran War: શું સંકટ વચ્ચે ભારતમાં સસ્તું થશે Petrol-Diesel? શું છે સમુદ્ર પર તરતું 'ઓઇલ માર્કેટ'? -
T20 World Cup જીત્યા બાદ મોહમ્મદ સિરાજ પર આ હસીનાએ વરસાવ્યો પ્રેમ! જાહેરમાં કહી દિલની વાત -
IMD Weather Forecast Today: ગુજરાત-રાજસ્થાનમાં હીટવેવની આશંકા, યુપી-બિહાર સહિત 5 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
ખેડૂતો માટે ખુશખબર: ગુજરાત સરકારનો મોટો નિર્ણય, સિંચાઈ માટે કેનાલમાંથી અપાશે પાણી -
પીએમ કિસાનનો 22મો હપ્તો જારી કરાયો, આવી રીતે કરો ચેક -
Petrol Diesel Price: 14 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
LPG સિલિન્ડરને લઈને સરકારનો લુલો બચાવ, સંસદમાં કોઈ અછત ન હોવાનું ગાણું ગાયું










Click it and Unblock the Notifications
