Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ

વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ

વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો, એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે, આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે, વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વળી, આજે ક્યાંક કૌમુદી ઉત્સવ મનાવવામાં આવે છે.

ઋતુઓનો રાજા છે વસંત

ઋતુઓનો રાજા છે વસંત

વસંત આવતા જ પ્રકૃતિનો કણ-કણ ખીલી ઉઠે છે. માનવ તો શું પશુ-પક્ષી પણ ઉલ્લાસથી ભરાઈ જાય છે. રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. પ્રાચીનકાળથી તેને જ્ઞાન અને કલાની દેવી મા સરસ્વતીનો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે. જે શિક્ષણવિદ ભારત અને ભારતીયતાથી પ્રેમ કરે છે, તે આ દિવસે મા શારદાની પૂજા કરીને તેમને હજુ વધુ જ્ઞાની બનાવવાન પ્રાર્થના કરે છે.

પૌરાણિક મહત્વ

પૌરાણિક મહત્વ

માન્યતા છે કે જ્યારે રાવણ દ્વારા સીતાના હરણ બાદ શ્રીરામ મા સીતાને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા, અહીં શબરી નામની ભીલ રહેતી હતી. જ્યારે રામ તેમની કુટિરમાં પધાર્યા તો તે શાનભાન ભૂલી બેઠી અને ચાખી ચાખીને મીઠા બોર રામજીને ખવડાવવા લાગી. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા. એ ક્ષેત્રના વનવાસી આજે પણ એક શિલાને પૂજે છે, જેના માટે તેમની શ્રદ્ધા છે કે શ્રીરામ અહીં આવીને બેઠા હતા,ત્યાં શબરી માતાનુ મંદિર પણ છે.

વીર પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે...

વીર પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે...

વસંત પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે. તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ઘોરીને 16 વાર પરાજીત કર્યો અને ઉદારતા બતાવીનેદર વખતે જીવિત છોડી દીધો પરંતુ જ્યારે સત્તરમી વાર તે પરાજિત થયા તો મોહમ્મદ ઘોરીએ તેમને ના છોડ્યા. તે તેમને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા અને તેમની આંખો ફોડી દીધી. ત્યારબાદની ઘટના તો જગપ્રસિદ્ધ જ છે. મોહમ્મદ ઘોરીએ મૃત્યુદંડ આપતા પહેલા તેમના શબ્દભેદી બાણનો કમાલ જોવા ઈચ્છતા હતા. પૃથ્વીરાજના સાથી કવિ ચંદબરદાઈ સાથે ચર્ચા પર ઘોરીએ ઉંચા સ્થાને બેસીને સંકેત આપ્યો. ત્યારે ચંદબરદાઈએ પૃથ્વીરાજને સંદેશ આપ્યો.
ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ.
તા ઉપર સુલ્તાન હે, મત ચૂકો ચૌહાન.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X