Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો, એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે, આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે, વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વળી, આજે ક્યાંક કૌમુદી ઉત્સવ મનાવવામાં આવે છે.

ઋતુઓનો રાજા છે વસંત
વસંત આવતા જ પ્રકૃતિનો કણ-કણ ખીલી ઉઠે છે. માનવ તો શું પશુ-પક્ષી પણ ઉલ્લાસથી ભરાઈ જાય છે. રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. પ્રાચીનકાળથી તેને જ્ઞાન અને કલાની દેવી મા સરસ્વતીનો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે. જે શિક્ષણવિદ ભારત અને ભારતીયતાથી પ્રેમ કરે છે, તે આ દિવસે મા શારદાની પૂજા કરીને તેમને હજુ વધુ જ્ઞાની બનાવવાન પ્રાર્થના કરે છે.

પૌરાણિક મહત્વ
માન્યતા છે કે જ્યારે રાવણ દ્વારા સીતાના હરણ બાદ શ્રીરામ મા સીતાને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા, અહીં શબરી નામની ભીલ રહેતી હતી. જ્યારે રામ તેમની કુટિરમાં પધાર્યા તો તે શાનભાન ભૂલી બેઠી અને ચાખી ચાખીને મીઠા બોર રામજીને ખવડાવવા લાગી. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા. એ ક્ષેત્રના વનવાસી આજે પણ એક શિલાને પૂજે છે, જેના માટે તેમની શ્રદ્ધા છે કે શ્રીરામ અહીં આવીને બેઠા હતા,ત્યાં શબરી માતાનુ મંદિર પણ છે.

વીર પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે...
વસંત પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે. તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ઘોરીને 16 વાર પરાજીત કર્યો અને ઉદારતા બતાવીનેદર વખતે જીવિત છોડી દીધો પરંતુ જ્યારે સત્તરમી વાર તે પરાજિત થયા તો મોહમ્મદ ઘોરીએ તેમને ના છોડ્યા. તે તેમને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા અને તેમની આંખો ફોડી દીધી. ત્યારબાદની ઘટના તો જગપ્રસિદ્ધ જ છે. મોહમ્મદ ઘોરીએ મૃત્યુદંડ આપતા પહેલા તેમના શબ્દભેદી બાણનો કમાલ જોવા ઈચ્છતા હતા. પૃથ્વીરાજના સાથી કવિ ચંદબરદાઈ સાથે ચર્ચા પર ઘોરીએ ઉંચા સ્થાને બેસીને સંકેત આપ્યો. ત્યારે ચંદબરદાઈએ પૃથ્વીરાજને સંદેશ આપ્યો.
ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ.
તા ઉપર સુલ્તાન હે, મત ચૂકો ચૌહાન.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન





Click it and Unblock the Notifications
