Basant Panchami 2020: જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. જાણો વસંત પંચમીનો તહેવાર કેમ મનાવાય છે, શું છે તેનુ મહત્વ
વસંત પંચમીનો દિવસ કલા અને સંગીતની દેવી મા સરસ્વતીને સમર્પિત હોય છે. કહેવાય છે કે જ્યાં સુધી વ્યક્તિને મા સરસ્વતીના આશીર્વાદ ન મળે ત્યાં સુધી તે પ્રગતિના પંથે આગળ નથી વધી શકતો, એટલા માટે વસંત પંચમીના દિવસે લોકો પોત-પોતાના ઘરોમાં સરસ્વતી માતાની પ્રતિમાની પૂજા-અર્ચના કરે છે, આ પર્વને મુખ્ય રીતે વસંત એટલે કે નવા પાક પર ફૂલ આવ્યાના દિવસ તરીકે મનાવવામાં આવે છે, વસંત પંચમીને શ્રી પંચમી પણ કહેવામાં આવે છે. વળી, આજે ક્યાંક કૌમુદી ઉત્સવ મનાવવામાં આવે છે.

ઋતુઓનો રાજા છે વસંત
વસંત આવતા જ પ્રકૃતિનો કણ-કણ ખીલી ઉઠે છે. માનવ તો શું પશુ-પક્ષી પણ ઉલ્લાસથી ભરાઈ જાય છે. રોજ નવા ઉમંગ સાથે સૂર્યોદય થાય છે. પ્રાચીનકાળથી તેને જ્ઞાન અને કલાની દેવી મા સરસ્વતીનો જન્મદિવસ રૂપે મનાવવામાં આવે છે. જે શિક્ષણવિદ ભારત અને ભારતીયતાથી પ્રેમ કરે છે, તે આ દિવસે મા શારદાની પૂજા કરીને તેમને હજુ વધુ જ્ઞાની બનાવવાન પ્રાર્થના કરે છે.

પૌરાણિક મહત્વ
માન્યતા છે કે જ્યારે રાવણ દ્વારા સીતાના હરણ બાદ શ્રીરામ મા સીતાને શોધતા શોધતા દક્ષિણ તરફ આગળ વધ્યા તો આ દરમિયાન તે દંડકારણ્ય પહોંચ્યા હતા, અહીં શબરી નામની ભીલ રહેતી હતી. જ્યારે રામ તેમની કુટિરમાં પધાર્યા તો તે શાનભાન ભૂલી બેઠી અને ચાખી ચાખીને મીઠા બોર રામજીને ખવડાવવા લાગી. કહેવાય છે કે વસંત પંચમીના દિવસે જ રામચંદ્રજી ત્યાં આવ્યા હતા. એ ક્ષેત્રના વનવાસી આજે પણ એક શિલાને પૂજે છે, જેના માટે તેમની શ્રદ્ધા છે કે શ્રીરામ અહીં આવીને બેઠા હતા,ત્યાં શબરી માતાનુ મંદિર પણ છે.

વીર પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે...
વસંત પંચમીનો દિવસ આપણને પૃથ્વીરાજ ચૌહાણની યાદ અપાવે છે. તેમણે વિદેશી હુમલાખોર મોહમ્મદ ઘોરીને 16 વાર પરાજીત કર્યો અને ઉદારતા બતાવીનેદર વખતે જીવિત છોડી દીધો પરંતુ જ્યારે સત્તરમી વાર તે પરાજિત થયા તો મોહમ્મદ ઘોરીએ તેમને ના છોડ્યા. તે તેમને પોતાની સાથે અફઘાનિસ્તાન લઈ ગયા અને તેમની આંખો ફોડી દીધી. ત્યારબાદની ઘટના તો જગપ્રસિદ્ધ જ છે. મોહમ્મદ ઘોરીએ મૃત્યુદંડ આપતા પહેલા તેમના શબ્દભેદી બાણનો કમાલ જોવા ઈચ્છતા હતા. પૃથ્વીરાજના સાથી કવિ ચંદબરદાઈ સાથે ચર્ચા પર ઘોરીએ ઉંચા સ્થાને બેસીને સંકેત આપ્યો. ત્યારે ચંદબરદાઈએ પૃથ્વીરાજને સંદેશ આપ્યો.
ચાર બાંસ ચૌબીસ ગજ, અંગુલ અષ્ટ પ્રમાણ.
તા ઉપર સુલ્તાન હે, મત ચૂકો ચૌહાન.
-
Petrol Diesel Price: 15 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો! ₹2990 સસ્તું થયું સોનું, જાણો આજની લેટેસ્ટ કિંમત -
LPG Shortage: 'PNG ધારકોને નહીં મળે LPG કનેક્શન', નોટિફિકેશન જાહેર, આજે કેટલામાં મળી રહ્યો છે સિલિન્ડર? -
PNG New Rule: ઘરમાં પાઈપલાઈન ગેસ અને LPG બંને છે તો સાવધાન! તાત્કાલિક કરો આ કામ, સરકારનો નવો આદેશ લાગુ -
ગુજરાત-મહારાષ્ટ્ર સહિત 6 રાજ્યોમાં પેટાચૂંટણીનું શિડ્યુલ જાહેર, આ 8 બેઠકો પર સૌની નજર, ક્યારે આવશે પરિણામ? -
Weather News: રાજસ્થાનમાં વધશે ગરમી, હિમાચલ-ઉત્તરાખંડ સહિત 6 રાજ્યોમાં વરસાદનું એલર્ટ -
IPL 2026 Tickets: આઈપીએલની ટીકીટ કઈ રીતે કરી શકશો બુક, જાણો કિંમતથી લઈ તમામ જાણકારી -
ગુજરાતમાં LPG ગોડાઉન પર પોલીસ તૈનાત કરાશે, સુરક્ષા માટે સરકારનો નવો આદેશ -
સોનું છેલ્લા 10 દિવસમાં તળીએ, જાણો આજના ભાવ -
ખેડૂતો માટે પડ્યા પર પાટા જેવી સ્થિતી, ભરઉનાળે માવઠાની આગાહી -
Gold Price Today: ઈરાન યુદ્ધ વચ્ચે સોનાના ભાવમાં ઘટાડો, જાણો આજના ભાવ -
પરસેવો છોડાવતી ગરમી વચ્ચે માવઠાની આગાહી, ખેડૂતો ચિંતામાં








Click it and Unblock the Notifications
