Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sharad Purnima 2024: જાણો શરદ પૂર્ણિમાની સાચી તારીખ, ધાર્મિક મહત્વ અને શુભ મુહૂર્ત

Sharad Purnima 2024: નવરાત્રીની નવ રાત ગરબે ઘુમ્યા બાદ ખૈલેયાઓ ગરબા રમવા માટે શરદ પૂનમની રાહ જોતા હોય છે.

શરદ પૂર્ણિમા ગુજરાતી કેલેન્ડર વર્ષની અંતિમ પૂર્ણિમા છે. જે આસો પૂનમની તિથિએ ઉજવવામાં આવે છે.

હિન્દુ ધર્મમાં પૂર્ણિમાની તિથિનું વિશેષ મહત્વ હોય છે. જેનો સંબંધ ભગવાન વિષ્ણુ અને લક્ષ્મી સાથે છે. શરદ પૂર્ણિમાના દિવસે દાન પૂણ્ય સાથે દુધ પૈવાનું ખાસ મહત્વ છે. આ સાથે ઘણા વિસ્તારોમાં શરદ પૂનમના ગરબાનું આયોજન પણ કરવામાં આવે છે.

આ સાથે શરદ પૂર્ણિમા પર ગંગામાં સ્નાન કરવાનું અને શુભ મુહૂર્તમાં દાન કરવાનું પણ મહત્વ છે. જે બાદ વિષ્ણુજીની વિધિપૂર્વક પૂજા કરવામાં આવે છે.

આ ઉપરાંત એવી ધાર્મિક માન્યતા પણ છે કે, આવું કરવાથી વ્યક્તિને જીવનમાં શુભ ફળ મળે છે. તેમજ સુખ અને સૌભાગ્યની પ્રાપ્તિ થાય છે. આ સિવાય કામમાં આવતી અડચણો દૂર થાય છે.

શરદ પૂર્ણિમાના અવસરે ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે, જેને અમૃત કાલ તરીકે ઓળખવામાં આવે છે. તેથી, આ તહેવારની રાત્રે, ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે, અને બીજા દિવસે તેનું સેવન કરવામાં આવે છે. ઘણા લોકો દુધપૌવા ખાય છે.

Sharad Purnima 2024

આ પ્રસાદ લેવાથી વ્યક્તિના સૌભાગ્યમાં વધારો થાય છે, શું તમે જાણો છો કે, શરદ પૂર્ણિમાનો તહેવાર ક્યારે અને શા માટે ઉજવવામાં આવે છે? જો તમે નથી જાણતા તો આ અહેવાલમાં આપણે શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી વિશે જાણીશું.

પંચાંગ અનુસાર દર વર્ષે આસો માસની પૂર્ણિમાની તિથિએ શરદ પૂર્ણિમા ઉજવવામાં આવે છે. ધાર્મિક માન્યતા છે કે, શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોથી અમૃત વર્ષા થાય છે. તેથી પૂર્ણિમાની રાત્રે ખીરને ચંદ્રના પ્રકાશમાં રાખવામાં આવે છે.

આ ખીરનું સેવન કરવાથી સાધકને શાંતિ મળે છે, અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે. આ સિવાય આ દિવસે દીવો પ્રગટાવવાથી જીવનની તમામ પરેશાનીઓમાંથી મુક્તિ મળે છે. આ બધા કારણોસર શરદ પૂર્ણિમાના તહેવારની ઉજવણી કરવામાં આવે છે.

શરદ પૂર્ણિમા 2024 તારીખ અને શુભ મુહૂર્ત - પંચાંગ અનુસાર, આસો મહિનાની પૂર્ણિમા તિથિ 16 ઓક્ટોબરની રાત્રે 08:40 કલાકે શરૂ થશે.

આવા સમયે આ તારીખ બીજા દિવસે એટલે કે 17 ઓક્ટોબરની સાંજે 04:55 કલાકે સમાપ્ત થશે. આવી સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર 16 ઓક્ટોબરના રોજ ઉજવવામાં આવશે. આ દિવસે સાંજે 5:05 મિનિટે ચંદ્રોદય થશે.

શરદ પૂર્ણિમા 2024 શુભ મુહૂર્ત

  • બ્રહ્મ મુહૂર્ત - સવારે 04:42 થી 05:32 સુધી
  • વિજય મુહૂર્ત - બપોરે 02:01 થી 02:47 સુધી
  • ગોધુલી મુહૂર્ત - સાંજે 05:50 થી 06:15 સુધી
  • નિશિતા મુહૂર્ત - 17 ઓક્ટોબરના રોજ બપોરે 11:42 થી 12:32 સુધી

નોંધ : આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. OneIndia Gujarati આ લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા લાગુ કરતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લેવી જરૂરી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X