Astrological Benefits of Camphor in Gujarati : જાણો કપૂરના વાસ્તુ અને જ્યોતિષીય ફાયદાઓ
ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વ આપવામાં આવે છે. કપૂરથી જોડાયેલા એવા ઉપાયોવિશે જાણીશું જેનાથી તમને રોજીંદા જીવનમાં ઘણા કારગત છે.
Astrological Benefits of Camphor in Gujarati : વાસ્તુ શાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રમાં કપૂરને અતિ શુદ્ધ માનવામાં આવ્યું છે. કપૂરનો ઉપયોગ પૂજા-પાઠ અને શુભ કાર્યો તેમજ હવનમાં થાય છે. આ સાથે એવી પણ માન્યતા છે કે, કપૂર બાળવાથી વાતાવરણમાં શુદ્ધ થાય છે.
આ સાથે સાથે સકારાત્મક ઉર્જા પણ વધે છે. ધાર્મિક માન્યતાઓ અને વાસ્તુ શાસ્ત્રમાં પણ મહત્વ આપવામાં આવે છે. કપૂરથી જોડાયેલા એવા ઉપાયોવિશે જાણીશું જેનાથી તમને રોજીંદા જીવનમાં ઘણા કારગત છે.
કપૂર બાળવાના ફાયદા
પૂજા-આરતીમાં કપૂર બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઊર્જાને દૂર કરવાની સાથે તમારા ઘરમાં સકારાત્મકતા લાવેછે.
જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે. જો તમારા ઘરમાં કોઈ કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું અથવા કામમાં કોઈ અડચણ આવીરહી છે, તો તમે લોબાન સાથે કપૂર સળગાવી શકો છો. તેના પરિણામો તમને ટૂંક સમયમાં જોવા મળશે.
રસોડામાં સળગાવો કપૂર
રાત્રે રસોઈ કર્યા બાદ સૂતા પહેલા રસોડું સાફ કર્યા બાદ ચાંદીની વાટકીમાં લવિંગ સાથે કપૂર સળગાવી દો. દરરોજ આવું કરવાથી તમારાઘરમાં ધન અને સમૃદ્ધિ હંમેશા બની રહેશે.
શનિવારે કપૂરના તેલથી સ્નાન કરો
જો તમે સ્નાન કરતી વખતે કપૂરના થોડા ટીપાં નાખો છો, તો તે તમારા શુક્ર દોષને દૂર કરે છે. આ સાથે જો તમે શનિવારના રોજ કપૂર અનેચમેલીના તેલને લગાવો છો, તો તેનાથી તમારા રાહુ, કેતુ અને શનિદોષ પણ દૂર થાય છે.
રાત્રે કપૂર બાળો
જો તમને રાત્રે ખરાબ સપના આવે છે, તો રાત્રે સૂતા પહેલા બેડરૂમમાં કપૂર સળગાવી દો. તેનાથી વાસ્તુ દોષ દૂર થાય છે. આ સાથે સકારાત્મક ઉર્જા મળે છે.
ખિસ્સામાં રાખો કપૂર
ધન લાભ માટે તમે સફેદ કપડામાં કપૂર બાંધીને તમારા ખિસ્સામાં રાખી શકો છો. જેના કારણે તમારી પાસે પૈસાની કમી નહીં રહે. આનીસાથે અચાનક ધન લાભ થવાની સંભાવના બની શકે છે.