Bhai Dooj 2024 Date: ક્યારે અને કેમ મનાવવામાં આવે છે ભાઈ બીજનો પર્વ? જાણો શુભ મૂહુર્ત
Bhai Dooj 2024 Date: દિવાળીના તહેવારમાં દર દિવસનું અનેરું મહત્વ રહેલુ છે. ત્યારે આ તહેવારના દિવસોમાં આવતા ભાઈ-દિવસના દિવસનું પણ વિશેષ મહત્વ રહેલુ છે.
દર વર્ષે કારતક માસના શુક્લ પક્ષની બીજા દિવસે ભાઈ બીજનો તહેવાર ઉજવવામાં આવે છે. તેને યમ દ્વિતિયા તરીકે પણ ઓળખવામાં આવે છે.
ભાઈ બીજના આ તહેવારને દેશભરમાં ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ ખાસ અવસર પર બહેનો તેમના ભાઈને તિલક કરે છે અને તેમના ભાઈના લાંબા આયુષ્ય અને સુખ-સમૃદ્ધિ વધે તેવી પ્રાર્થના કરે છે.
શું તમે જાણો છો ભાઈ બીજનો તહેવાર શા માટે ઉજવવામાં આવે છે? - પૌરાણિક કથાઓ અનુસાર, વિશ્વના સર્જનહાર ભગવાન શ્રી કૃષ્ણએ રાક્ષસ નરકાસુરનો વધ કર્યો અને તેમની બહેન સુભદ્રાને મળ્યા.
આ દરમિયાન સુભદ્રાએ શ્રી કૃષ્ણને તિલક લગાવ્યું અને માળા અર્પણ કરીને તેમનું સ્વાગત કર્યું. તેમને મીઠાઈ પણ ખવડાવી. સુભદ્રાએ તેના ભાઈના લાંબા આયુષ્યની કામના કરી.

ભાઈ દૂજની આ વાર્તા સનાતન ધર્મના ગ્રંથોમાં વાંચવા મળે છે. આ કથા અનુસાર, કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે ભગવાન યમ તેમની બહેન યમુનાને મળ્યા હતા, તે સમયે માતા યમુનાએ ભગવાન યમનું સન્માન કર્યું હતું અને તેમને ભોજન આપ્યું હતું. આનાથી યમદેવ ખૂબ પ્રસન્ન થયા.
તેમણે વચન આપ્યું હતું કે કારતક મહિનાના શુક્લ પક્ષની બીજી તારીખે જે પણ તેની બહેનના ઘરે જશે. તે વ્યક્તિની દરેક મનોકામના ચોક્કસપણે પૂર્ણ થશે. સુખ અને સૌભાગ્યમાં પણ વધારો થશે. ત્યારથી ભાઈ બીજની ઉજવણી શરૂ થઈ હતી.
2024માં ભાઈબીજ ક્યારે છે? (ભાઈ દૂજ 2024 શુભ મુહૂર્ત)
પંચાંગ અનુસાર, કારતક મહિનાના કૃષ્ણ પક્ષની બીજી તિથિ 02 નવેમ્બર, 2024 ના રોજ રાત્રે 08:21 વાગ્યે શરૂ થશે. જો કે, આ તારીખ 03 નવેમ્બર, 2024 ના રોજ સમાપ્ત થશે. કેલેન્ડરના આધારે, આ વર્ષે ભાઈ બીજનો તહેવાર 3 નવેમ્બર 2024, રવિવારના રોજ ઉજવવામાં આવશે.
ભાઈ બીજના દિવસે તિલક લગાવવાનો સમય
- ભાઈ બીજ બપોરનો સમય - બપોરે 01:10થી 03:22 સુધી.
- બ્રહ્મ મુહૂર્ત - 04:51 AMથી 05:43 AM.
- વિજય મુહૂર્ત - બપોરે 01:54થી 02:38 સુધી.
- સંધિકાળ સમય - સાંજે 05:34થી 06 વાગ્યા સુધી.












Click it and Unblock the Notifications
