Lunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચંદ્ર ગ્રહણ, જાણો કેમ
Lunar Eclipse: કુંવારાઓ માટે સારો નથી હોતો ચંદ્ર ગ્રહણ, જાણો કેમ
નવી દિલ્હીઃ આજ સવારે 8 વાગીને 37 મિનિટથી લઇ 11.22 વાગ્યા સુધી ચદ્ર ગ્રહણ છે, ગ્રહણની કુલ અવધિ 2 કલાક 45 મિનિટની છ, આ ગ્રહણ આફ્રીકી મહાદ્વીપ, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, પ્રશાંત મહાસાગર, અટલાંટિક અને હિંદ મહાસાગરમાં જોવા મળશે, જો ક ભારતમાં આ ગ્રહણનો કોઇ પ્રભાવ નથી, પરંતુ જ્યોતિષવિદો મુજબ ચંદ્ર ગ્રહણની અસર લોકોના જીવન પર પડે છે માટે લોકોએ વિશેષ ધ્યાન રાખવાની જરૂરત છ માટે આજના દિવસે પણ ભારતીયોએ ખાસ ધ્યાન રાખવું જરૂરી છે, જણાવી દઇએ કે ચદ્ર ગ્રહણને લઇ ઘણી માન્યતાઓ છે.
વાંઢાઓએ ચંદ્ર ગ્રહણ ના જોવું જોઇએ
આવી જ એક માન્યતા છે કે અવિવાહિત લોકોએ ચંદ્ર ગ્રહણ ના જોવું જોઇએ કેમ કે આવું કરવાથી આ લોકોના લગ્નમાં ઘણી અડચણ આવે છે, આ લોકોના લગ્ન કાં તો અટકી જાય છે અથવા તો મુશ્કેલીમાંથી પસાર થાય છે, જણાવી દઇએ કે ચંદ્રમાને લોકો શ્રાપિત માને છે, તેનું વૈવાહિક જીવન પણ બહુ મુશ્કેલીથી પસાર થયું હતું માટે કુંવારા લોકોને ગ્રહણ જોતાં રોકવામાં આવે છે.
ચંદ્ર ગ્રહણ
ખગોળશાસ્ત્ર મુજબ ચંદ્ર ગ્રહણ ત્યારે જ થાય છે જ્યારે ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી આવી જાય, તેને ચદ્ર ગ્રહણ કહેવાય છે, આ દરમિયાન પૃથ્વીનો પડછાયાથી ચદ્રમા આંશિક રૂપે ઢકાઇ જાય છે, આ સ્થિતિમાં પૃથ્વીના કિરણોને ચંદ્રમા સુધી નથી પહોંચવા દેતા, ચંદ્ર ગ્રહણ હમેશાને નગ્ન આંખી જોઇ શકાય છે, આ ખગોળીય ઘટનાથી મનુષ્યની આંખો પર કોઇ અસર નથી પડતી.
ગ્રહણ કાળમાં આ વાતોનું ધ્યાન રાખો
- ગ્રહણ કાળમાં ભોજન ના કરો
- ગર્ભવતી મહિલાઓ બહાર ના નીકળો
- સહવાસ ના કરો, જૂઠ ના બોલો અને ઊંઘો નહિ.
- માંસ- મદિરાનું સેવન ના કરો.
- ડૂંગળી- લસણ ના ખાવ.
- ઝઘડા- લડાઇ કરવાનું ટાળો.
- પૂજા સ્થળે સ્પર્શ ના કરો.
- આ દરમિયાન શિવ અને ગાયત્રીનો જાપ કરવો જોઇએ.
- ચંદ્ર ગ્રહણ બાદ ભોજન અને કપડાં દાન કરવાં શુભ માનવામાં આવે છે.
Guru Purnima 2020: જેમના કોઇ નથી તેમના ગુરુ ભગવાન હનુમાન છે, ગુરુ પૂર્ણિમાના દિવસે આ કામ કરો