લગ્ન રેખા પરથી જાણી શકાય કેવો જીવનસાથી મળશે, કેવુ રહેશે દામ્પત્ય જીવન
પ્રેમ અને દામ્પત્ય જીવન કેવુ રહેશે તેના વિશે હથેળીની લગ્ન રેખાની સ્થિતિથી જાણી શકાય છે.
નવી દિલ્લીઃ હસ્તરેખા શાસ્ત્રમાં જીવન ઉપરાંત જીવનસાથી વિશે પણ જાણી શકાય છે. પ્રેમ અને દામ્પત્ય જીવન કેવુ રહેશે તેના વિશે હથેળીની લગ્ન રેખાની સ્થિતિથી જાણી શકાય છે. લગ્ન રેખા પરથી જાણી શકાય છે કે વ્યક્તિના લગ્ન ક્યારે થશે, કેવો જીવન સાથી મળશે, તેની આર્થિક સ્થિતિ કેવી હશે. વ્યક્તિનુ લગ્નજીવન કેવુ જશે? ચાલો જાણીએ કે હાથની લગ્ન રેખાની કેવી સ્થિતિ શું સૂચવે છે.

હાથની સૌથી નાની આંગળીની નીચે નાની આડી રેખાઓ હોય છે, આ રેખાઓ હથેળીની બહારથી અંદરની તરફ આવે છે. તેને લગ્ન રેખાઓ કહેવામાં આવે છે. આ રેખાઓ હૃદય રેખાની ઉપર હોય છે.
- જે લોકોના હાથમાં લગ્નની રેખા સ્પષ્ટ હોય છે અને ચંદ્ર પર્વતથી આવતી રેખાને મળતી હોય છે તો આવા લોકો લગ્નના મામલામાં ખૂબ જ ભાગ્યશાળી હોય છે. તેમને સમૃદ્ધ જીવનસાથી મળે છે. સાસરિયા તરફથી અઢળક ધન-સંપત્તિ મળે છે.
- જો ચંદ્ર પર્વતની રેખા લગ્ન રેખા સાથે આગળ વધે છે તો આવા વ્યક્તિને તેના જીવનસાથી તરફથી ઘણો પ્રેમ મળે છે. તેમના લગ્ન જીવનમાં હંમેશા પ્રેમ રહે છે.
- જે લોકોની લગ્ન રેખા હલકી અને પાતળી હોય છે, તેઓ પોતાના જીવનસાથી પ્રત્યે બહુ ગંભીર નથી હોતા. આ લોકોને એક કરતા વધુ પ્રેમ સંબંધ હોય છે. લગ્ન પછી પણ તેમના અફેરની શક્યતા છે.
- જો લગ્ન રેખાનો રંગ લાલ હોય તો આવા લોકોના લગ્ન જીવનમાં હંમેશા પ્રેમ અને ઉત્સાહ રહે છે. જ્યારે લગ્નરેખા પીળી કે સફેદ હોવી એ યુગલ પ્રત્યે ઉદાસીનતા દર્શાવે છે.
- જે લોકોના હાથમાં 2 સરખી લગ્ન રેખા હોય છે, તેમના 2 લગ્ન થવાની સંભાવના છે. આવી વ્યક્તિ પોતાના બંને જાતક સાથે ખૂબ જ પ્રેમમાં હોય છે. બીજી તરફ જો કોઈ એક રેખા તુલનાત્મક રીતે પાતળી અને ઓછી ઊંડી હોય તો આવા વ્યક્તિના લગ્ન ફક્ત એક જ વાર થાય છે પરંતુ તેનો એક પ્રેમી હોય છે જેને તે ખૂબ પ્રેમ કરે છે.
- બીજી બાજુ અસ્પષ્ટ, વિકૃત લગ્ન રેખા સૂચવે છે કે જીવનસાથીનુ સ્વાસ્થ્ય સારુ રહેશે નહીં અથવા કોઈ કારણોસર તેમનુ લગ્ન જીવન નીરસ રહેશે.
More From
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
