Mercury Transit: બુધ હવે 8 જુલાઈએ જશે કર્ક રાશિમાં, અહીં જાણો દરેક રાશિ પર પ્રભાવ
Mercury Transit: શિક્ષણ, બૌદ્ધિક ક્ષમતા, નિર્ણય ક્ષમતા, વ્યવસાયનો પ્રતિનિધિ ગ્રહ બુધ 8 જુલાઈ, 2023, શનિવારના રોજ બપોરે 12.14 કલાકે ચંદ્ર રાશિ કર્કમાં જશે. 24 જુલાઈ સુધી બુધ આ રાશિમાં રહેશે. બુધ 17 દિવસ સુધી કર્ક રાશિમાં રહેશે. કર્ક રાશિ ચંદ્રની રાશિ હોવાથી બુધ પણ આ સમયગાળા દરમિયાન અસ્થિર રહેશે.
તેની અસરને કારણે તમામ રાશિના લોકોએ આ 17 દિવસોમાં કોઈપણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવો જોઈએ. જો કે કર્ક રાશિમાં બુધની અસર એટલી ખરાબ નહીં હોય પરંતુ મનની વિચલિત સ્થિતિને કારણે કેટલાક નિર્ણયો ખોટા સાબિત થઈ શકે છે.

8 જુલાઈએ કર્ક રાશિમાં ગયા બાદ બુધ 9 જુલાઈએ પુષ્ય નક્ષત્રમાં પ્રવેશ કરશે અને ત્યાર બાદ 12 જુલાઈએ પશ્ચિમ દિશામાં ઉદય કરશે. ચાલો જાણીએ તમામ રાશિઓ પર બુધના સંક્રમણની અસર-
મેષ: સુખ મળશે. પૈસા આવશે. કાર્યોમાં બદલાવ આવી શકે છે. સંબંધીઓ સાથેના સંબંધો બગડી શકે છે. આરોગ્યનુ ધ્યાન રાખો.
વૃષભ: ભાઈ-બહેનો તરફથી સુખ મળશે. પ્રોપર્ટી વિવાદ ટળી શકે છે. પૈસાને લઈને સાવધાન રહો. ઉધાર આપવાનું ટાળો.
મિથુન: પૈસા આવશે. નિર્ણયો સાચા ઠરશે. પરિવારમાં શુભ પ્રસંગો બનશે. વાણીનો પ્રભાવ વધશે. સ્વાસ્થ્ય સારું રહેશે.
કર્કઃ માનસિક રીતે વિચલિત રહી શકો છો. નાણાકીય કટોકટીનો સામનો કરવો પડશે. માથાનો દુખાવો વારંવાર થશે. કામકાજમાં બદલાવની સંભાવના છે.
સિંહઃ ખર્ચ વધુ થશે. નિર્ણય ખોટા સાબિત થઈ શકે છે. મન વિચલિત રહેશે. પૈસાની તંગી અનુભવાઈ શકે છે.
કન્યા: આવક કરતાં ખર્ચ વધુ થશે. તમને નવું કામ મળશે જે ભવિષ્યમાં સારો નફો આપશે. નોકરી-ધંધામાં રસ નહીં રહે.
તુલા: કામકાજમાં બદલાવ આવી શકે છે. ઉતાવળમાં કોઈ નિર્ણય ન લો. સ્વાસ્થ્ય બગડી શકે છે. પૈસા આવશે.
વૃશ્ચિક: ભાગ્યને બળ મળશે. ઘણા કાર્યો સરળતાથી પૂરા થશે, પરંતુ નોકરી અને વ્યવસાયમાં સમજી વિચારીને ફેરફાર કરો.
ધન: તણાવ અનુભવશો. મન વિચલિત રહેશે. કામ અટકશે તો ગુસ્સો આવશે. સ્વાસ્થ્ય પણ બગડી શકે છે. પૈસાની તંગી રહેશે.
મકર: જીવનસાથી સાથેના સંબંધોમાં સુધારો થશે. તણાવ ઓછો થશે. પૈસા આવશે. ભાગીદારીના કાર્યોમાં લાભની શક્યતા.
કુંભ: સ્વાસ્થ્ય બગડી શકે છે. દુશ્મનો તમને પરેશાન કરશે. અચાનક પૈસાની જરૂર પડી શકે છે. પરિવાર સાથે સારો તાલમેલ રહેશે.
મીનઃ પ્રેમ સંબંધો ગાઢ રહેશે. શિક્ષણ અને વ્યવસાયમાં પ્રગતિ થશે. નોકરીમાં બદલાવ આવી શકે છે. વેપારમાં લાભ મળશે.
શું ઉપાય કરવા
કર્ક રાશિમાં બુધના ગોચર દરમિયાન દરેક રાશિના લોકોએ દરરોજ ભગવાન શ્રી ગણેશની પૂજા કરવી જોઈએ. ગણેશજીને દુર્વા અર્પણ કરો અને તમારા કપાળ પર સિંદૂરનું તિલક લગાવો.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
