Mole On Body : આ અંગો પર તલ છે, તો આવું હશે તમારું વ્યક્તિત્વ
શરીર પર તલ હોવું સુંદરતાની નિશાની માનવામાં આવે છે. ઘણા લોકો એવું પણ માને છે કે, તલ તમારા ભાગ્યનો નિર્ણય કરે છે.
Mole On Body : કદાચ દુનિયામાં કોઇ એવો શખ્સ હોય, જેના શરીર પર તલ ન હોય. શરીર પર તલ હોવા ક્યારેક સુંદરતામાં વધારો કરે છે, તો ક્યારે દાગને કારણે તેનો ચહેરો ખરાબ દેખાય છે.
સમુદ્રશાસ્ત્રમાં શરીરના વિવિધ અંગો પર તલ હોવા અંગે જણાવવામાં આવ્યું છે, આ સાથે આ તલ હોવાને કારણે વ્યક્તિ નસીબદાર કે અનલકી બને છે, તે પણ જણાવવામાં આવ્યું છે.

સીધી આંખ પર તલ
સીધી આંખ પર તલ ધરાવતા લોકો માટે કહેવાય છે કે, તેઓ ખૂબ જ કામુક હોય છે. આ સિવાય આ લોકો પ્રેમના મામલામાં ભાવુક હોય છે. સીધી આંખ પર તલ ધરાવતા લોકો પોતાના પર નિર્ભર રહેવાને બદલે બીજાની મદદ પર આધાર રાખે છે.
હોઠ પર તલ
હોઠ પર તલ હોવાના બે અર્થ થઈ શકે છે. એક તો, જો તમારા હોઠની જમણી બાજુ પર તલ હોય, તો તમે જે પણ કાર્ય કરશો, તેમાં તમને સફળતા મળશે. બીજું કે, જો તમારા હોઠની ડાબી બાજુએ તલ હોય, તો તમારું વ્યક્તિત્વ કામુક છે. આવા લોકોને તેના કારણે ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે.
ડાબા ગાલ અથવા અંગૂઠા પર તલ
ડાબા ગાલ પર તલ ધરાવતા લોકોના સપના મોટા હોય છે. આ લોકો તેમના જીવનમાં ઘણું બધું કરવા માંગે છે અને બદલાતા સમય સાથે નવી વસ્તુઓ શોધતા રહે છે. આવા લોકોનું મન પણ ખૂબ જ તેજ હોયછે. બીજી તરફ જો તમારા અંગૂઠા પર તલ છે, તો તમે ખરેખર ખૂબ જ ભાગ્યશાળી છો. અંગૂઠા પર તલ ધરાવતા લોકો ખૂબ જ સ્માર્ટ અને બુદ્ધિશાળી માનવામાં આવે છે.
તર્જની આંગળી પર તલ
તર્જની આંગળી પર તલ એટલે કે, અંગૂઠા અને મધ્ય આંગળીની વચ્ચેની આંગળી પર તલ હોવાનો અર્થ એ છે કે, તમારી પાસે ઘણા પૈસા હોય શકે છે, પરંતુ તમારે પણ સાવધાન રહેવાની જરૂર છે. કારણ કે, કહેવાય છે કે જેની તર્જની પર તલ હોય છે, તેમના દુશ્મનો વધારે હોય છે.
શરીર પર તલ
જો તમારા શરીર પર પણ તલ છે, તો તમારે તમારા વ્યક્તિત્વ વિશે આ ખાસ વાતો પણ જાણવી જોઈએ. શરીરના અલગ-અલગ ભાગો પરના તલ અલગ-અલગ વસ્તુઓ દર્શાવે છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
