Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

હિંદુ નવ સંવત્સર 2074નો આરંભ, આ વર્ષ ભારત માટે કેવું રહેશે જાણો

પ્રતિપદા તિથિનો ક્ષય થવાથી ગ્રંથ નિર્ણય સિંધુ અનુસાર 28 માર્ચ દિવસ મંગળવારે નવ સંવત્સરની શરૂઆત મનાશે.

વિક્રમ સંવતની શરૂઆત ચૈત્ર માસના શુક્લ પ્રતિપદાથી થાય છે. આ દિવસે સવારે 8 વાગ્યાને 30 મિનિટ સુધી અમાસ છે. ત્યારબાદ આગલા સૂર્યોદય પહેલા પ્રતિપદા સમાપ્ત થઈ રહી છે. પરિણામે પ્રતિપદા તિથિનો ક્ષય થવાથી ગ્રંથ નિર્ણય સિંધુ અનુસાર 28 માર્ચના દિવસ મંગળવારે નવ સંવત્સરની શરૂઆત મનાશે.

NAVRATRI

વિક્રમ સંવત 2074

વિક્રમ સંવત 2074

આ વખતે વિક્રમ સંવત 2074નું નામ સાધારણ સંવત્સર છે. આ સંવત્સરનો રાજા મંગળ અને મંત્રી ગુરુ છે. સૂર્ય ગ્રહ પાસે નીરસેશ અને સસ્યેશ બે પદો છે. મંગળની પાસે રસેશ ના બે મહતત્વપૂર્ણ વિભાગ છે. શુક્ર પાસે ધાન્યેશ અને શનિની પાસે ધનેશ વિભાગ છે. બુધની પાસે મેઘેશ, ફલેશ અને દુર્ગેશ ત્રણ વિભાગ છે. પરિણામે આકાશીય મંત્ર મંડળ 5 મંત્રી મંડળ શુભ ગ્રહોની પાસે છે અને પાંચ મંત્રી મંડળ અશુભ ગ્રહોની પાસે છે.

સંવત્સરનો રાજા મંગળ

સંવત્સરનો રાજા મંગળ

સાધારણ નામક સંવત્સરનો રાજા મંગળ છે અને મંત્રી ગુરુ છે. મંગળની અંદર અગ્ન કારક, વિસ્ફોટક, સાહસી, ઉર્જાવાન વગેરે ગુણ હોય છે. ગુરુ સત્વ પ્રધાન છે, રાજનીતિ અને શિક્ષા કારક પણ છે. પરિણામે રાજા સલાહકાર ખૂબ જ બુધ્ધિમાન અને હોંશિયાર રહેશે. જેને કારણે રાજાને સાચો માર્ગદર્શક મળશે. રાજા મંગળ હોવાના ફળસ્વરૂપે ભ્રષ્ટાચાર પર અંકુશ આવશે.

રાજાના કાર્યો વખણાશે

રાજાના કાર્યો વખણાશે

પાડોશી રાજ્યો સાથે મધુર સંબંધો સ્થાપવામાં નિષ્ફળતા મળશે. રાજા દેશ અને રાજ્યના હિત માટે કઠોર નિર્ણયો લેશે. રાજાના કાર્યોની ભરપૂર પ્રશંસા થશે. આર્થિક વિકાસનો દર વધશે. આતંકવાદી પ્રયત્નો નિષ્ફળ રહેશે. ભ્રષ્ટાચારના મુદ્દા ખુલ્લા પડશે. દોષીઓને કઠોર સજા થશે. રો થશે અને માનવીય મૂલ્યોનું હનન પણ થઈ શકે છે.

આર્થિક ઉદય

આર્થિક ઉદય

મંત્રી ગુરુ હોવાને કારણએ સંસદ અને વિધાન સભાઓમાં તનાવ હોવા છતાં રાજાના સલાહકારો રાજાને એવી સલાહ આપશે જેનાથી સત્તા પક્ષ અને વિપક્ષમાં વિવાદ ઓછો થાય. આર્થિક ઉન્નતિ માટે મોટી યોજનાઓની શરૂઆત થશે. આ સંવત્સરમાં બે ચંદ્ર ગ્રહણ પણ આવી રહ્યા છે, જેનુ ધાર્મિક મહત્વ છે પણ આ ગ્રહણોને કારણે અનેક આપદાઓમાં વધારો થશે અને માનવીય મૂલ્યોનું હનન પણ થઈ શકે છે.

 મોટી હોનારતો

મોટી હોનારતો

દેશના પૂર્વ અને ઉત્તરના રાજ્યોની સુરક્ષામાં કોઈપણ પ્રકારની બેદરકારી મોટી ઘટનાઓને સર્જશે. સંવત્સરનું મંત્રી પરિષદ સુગઠિત અને વૈચારિક દ્રષ્ટિથી એકમત વાળું રહેશે. વરસાદ સારો રહેશે, ઉત્તમ કૃષિ અને જનતામાં સુખ-શાંતિ રહેશે. ન્યાય વ્યવસ્થામાં સુધારો લાવવા અનેક કઠોર નિર્ણયો લેવા પડે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X