Navratri 2023: નવરાત્રીમાં કરો બે લવિંગના ઉપાય, જીવનમાં આવશે મોટા પરિવર્તન
Navratri 2023: થોડા દિવસોમાં શારદિય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા શરૂ થવા જઇ રહ્યા છે. જેની તૈયારીમાં સમગ્ર દેશ હર્ષોઉલ્લાસ સાથે જોડાઇ ગયો છે. જ દિવસ સુધી ચાલનારા આ નોરતામાં લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે મન મૂકીને ગરબા પણ રમે છે.
આ અહેવાલમાં આપણે એવા ઉપાયો વિશે જાણીશું કે, જેને જો તમે અજમાવશો તો તમારું નસીબ ચમકી જશે. માતાજીને પ્રસન્ન કરવા માટે તમારે આ ઉપાય અજમાવવો પડશે, અને થોડા દિવસોમાં તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો. આ ઉપાય કરવા માટે, તમારે ફક્ત લવિંગની એક જોડીની જરૂર છે. કારણ કે, લવિંગ મા દુર્ગાની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે.

આર્થિક સંકટને દૂર કરવા માટે લવિંગના ઉપાય - જો તમે મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તમારા સુતેલા ભાગ્યને જગાડવા માંગતા હોવ તો એક પીળા કપડામાં લવિંગની જોડી રાખો અને તેની સાથે માતાજીને 5 એલચી અને 5 સોપારી અર્પણ કરો. બીજા દિવસે દેવી માતાની પૂજા કર્યા પછી, આ કપડાને તે સ્થાન પર રાખો, જ્યાં તમે પૈસા અથવા સોનું અને ચાંદી રાખ્યું છે.
રાહુ-કેતુના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લવિંગના ઉપાય - રાશિચક્રમાં રાહુ-કેતુના કારણે ઘણી વખત આપણું કામ બગડી જાય છે. જો તમે તેના પ્રભાવથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી ચઢાવો. આમ કરવાથી રાહુ-કેતુની અશુભ અસર તમારી કુંડળીમાંથી દૂર થઈ જશે.
લવિંગ સાથે બાળો કપૂર - જો તમારા ઘરમાં કોઈની ખરાબ નજર પડી ગઈ હોય અથવા દરેક કામમાં કોઈ અડચણ આવી રહી હોય તો સૂર્યાસ્ત બાદ 5 લવિંગ, કપૂર અને એક ઈલાયચીને એક વાસણમાં સળગાવીને આખા ઘરની આસપાસ ફરો. આ પછી આ બાઉલને ઘરની બહાર અથવા કોઈપણ ચોક પર રાખો. તેનાથી તમારા ઘરની સુખ-શાંતિ જળવાઈ રહેશે અને દરેક કામ સરળતાથી થઈ જશે.
અસરકારક છે લવિંગ કપૂરનો ધુમાડો - 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન નિયમિતપણે આખા ઘરમાં લવિંગ અને કપૂરનો ધુમાડો ફેલાવો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો તમે નવ દિવસ સુધી દરરોજ સવારે આ કામ કરશો, તો ઘરમાં ચાલી રહેલી તમામ નકારાત્મકતા અને પરેશાનીઓ દૂર થઈ જશે.
કપૂર બાળવાના ફાયદા - પૂજા-આરતીમાં કપૂર બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઊર્જાને દૂર કરવાની સાથે તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે. જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે. જો તમારા ઘરમાં કોઈ કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું અથવા કામમાં કોઈ અડચણ આવી રહી છે, તો તમે લોબાન સાથે કપૂર સળગાવી શકો છો. તેના પરિણામો તમને ટૂંક સમયમાં જોવા મળશે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર





Click it and Unblock the Notifications
