Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Navratri 2023: નવરાત્રીમાં કરો બે લવિંગના ઉપાય, જીવનમાં આવશે મોટા પરિવર્તન

Navratri 2023: થોડા દિવસોમાં શારદિય નવરાત્રી એટલે કે માતાજીના નોરતા શરૂ થવા જઇ રહ્યા છે. જેની તૈયારીમાં સમગ્ર દેશ હર્ષોઉલ્લાસ સાથે જોડાઇ ગયો છે. જ દિવસ સુધી ચાલનારા આ નોરતામાં લોકો માતાજીની આરાધના કરે છે. આ સાથે મન મૂકીને ગરબા પણ રમે છે.

આ અહેવાલમાં આપણે એવા ઉપાયો વિશે જાણીશું કે, જેને જો તમે અજમાવશો તો તમારું નસીબ ચમકી જશે. માતાજીને પ્રસન્ન કરવા માટે તમારે આ ઉપાય અજમાવવો પડશે, અને થોડા દિવસોમાં તમે તમારા જીવનમાં પરિવર્તન જોશો. આ ઉપાય કરવા માટે, તમારે ફક્ત લવિંગની એક જોડીની જરૂર છે. કારણ કે, લવિંગ મા દુર્ગાની સૌથી પ્રિય વસ્તુઓમાંથી એક છે.

Navratri 2023

આર્થિક સંકટને દૂર કરવા માટે લવિંગના ઉપાય - જો તમે મા દુર્ગાને પ્રસન્ન કરવા અને તમારા સુતેલા ભાગ્યને જગાડવા માંગતા હોવ તો એક પીળા કપડામાં લવિંગની જોડી રાખો અને તેની સાથે માતાજીને 5 એલચી અને 5 સોપારી અર્પણ કરો. બીજા દિવસે દેવી માતાની પૂજા કર્યા પછી, આ કપડાને તે સ્થાન પર રાખો, જ્યાં તમે પૈસા અથવા સોનું અને ચાંદી રાખ્યું છે.

રાહુ-કેતુના અશુભ પ્રભાવોને દૂર કરવા માટે લવિંગના ઉપાય - રાશિચક્રમાં રાહુ-કેતુના કારણે ઘણી વખત આપણું કામ બગડી જાય છે. જો તમે તેના પ્રભાવથી છુટકારો મેળવવા માંગતા હોવ, તો દરરોજ શિવલિંગ પર લવિંગની જોડી ચઢાવો. આમ કરવાથી રાહુ-કેતુની અશુભ અસર તમારી કુંડળીમાંથી દૂર થઈ જશે.

લવિંગ સાથે બાળો કપૂર - જો તમારા ઘરમાં કોઈની ખરાબ નજર પડી ગઈ હોય અથવા દરેક કામમાં કોઈ અડચણ આવી રહી હોય તો સૂર્યાસ્ત બાદ 5 લવિંગ, કપૂર અને એક ઈલાયચીને એક વાસણમાં સળગાવીને આખા ઘરની આસપાસ ફરો. આ પછી આ બાઉલને ઘરની બહાર અથવા કોઈપણ ચોક પર રાખો. તેનાથી તમારા ઘરની સુખ-શાંતિ જળવાઈ રહેશે અને દરેક કામ સરળતાથી થઈ જશે.

અસરકારક છે લવિંગ કપૂરનો ધુમાડો - 9 દિવસ સુધી ચાલતી નવરાત્રિ દરમિયાન નિયમિતપણે આખા ઘરમાં લવિંગ અને કપૂરનો ધુમાડો ફેલાવો. તેનાથી ઘરમાંથી નકારાત્મક ઉર્જા દૂર થશે. જો તમે નવ દિવસ સુધી દરરોજ સવારે આ કામ કરશો, તો ઘરમાં ચાલી રહેલી તમામ નકારાત્મકતા અને પરેશાનીઓ દૂર થઈ જશે.

કપૂર બાળવાના ફાયદા - પૂજા-આરતીમાં કપૂર બાળવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. કપૂર નકારાત્મક ઊર્જાને દૂર કરવાની સાથે તમારા ઘરમાં સકારાત્મકતા લાવે છે. જેના કારણે ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે. જો તમારા ઘરમાં કોઈ કામ યોગ્ય રીતે નથી થઈ રહ્યું અથવા કામમાં કોઈ અડચણ આવી રહી છે, તો તમે લોબાન સાથે કપૂર સળગાવી શકો છો. તેના પરિણામો તમને ટૂંક સમયમાં જોવા મળશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X