For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નવરાત્રિના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા

|
Google Oneindia Gujarati News

નવરાત્રિ પર્વના બીજા દિવસે મા બ્રહ્મચારિણીની પૂજા-અર્ચના કરવામાં આવે છે. માનુ આ સ્વરૂપ ખૂબ જ શાંત, સૌમ્ય અને મોહક છે. માના આ રૂપને પૂજવાથી વ્યક્તિને તપ, ત્યાગ, વૈરાગ્ય, સદાચાર તેમજ સંયમ જેવા ગુણોની પ્રાપ્તિ થાય છે જે તમને જીવનમાં આગળ લઈ જવામાં મદદ કરે છે. બ્રહ્મચારિણીનો અર્થ જ છે તપની ચારિણી એટલે કે તપનુ આચરણ કરનાર એટલે કે જે લોકો આની પૂજા કરે છે તેને સાધક હોવાનુ તો ફળ મળે છે.

પૂજા માટે શ્લોક

પૂજા માટે શ્લોક

માને પૂજવા માટે જાતકે આ શ્લોકથી પૂજાની શરૂઆત કરવી જોઈએ. दधांना कर पहाभ्यामक्षमाला कमण्डलम। देवी प्रसीदतु मयि ब्रह्मचारिण्यनुत्तमा।। પૌરાણિક ગ્રંથો અનુસાર આ હિમાલયની પુત્રી હતી તથા નાદરના ઉપદેશ બાદ આ ભગવાનને પતિ તરીકે મેળવવા માટે તેમણે કઠોર તપ કર્યુ. જેના કારણે તેમનુ નામ બ્રહ્મચારિણી પડ્યુ.

કથા

કથા

પૂર્વજન્મમાં આ દેવીએ હિમાલયના ઘરે પુત્રી રૂપે જન્મ લીધો હતો અને નારદજીના ઉપદેશથી ભગવાન શંકરને પતિ તરીકે મેળવવા માટે ઘોર તપસ્યા કરી હતી. આ કઠોર તપસ્યાના કારણે તેમને તપશ્ચારિણી એટલે કે બ્રહ્મચારિણી નામથી ઓળખવામાં આવ્યા. એક હજાર વર્ષ સુધી તેમણે માત્ર ફળ-પૂલ ખઈને વીતાવ્યા અને સો વર્ષો સુધી માત્ર જમીન પર રહીને નિર્વાહ કર્યો. ખુલ્લા આકાશ નીચે વરસાદ અને તડકાના ઘોર કષ્ટો સહન કર્યા, ઉપવાસ કર્યા. ત્રણ હજાર વર્ષો સુધી તૂટેલા બિલી પત્રો ખાધા અને ભગવાન શંકરની આરાધના કરતા રહ્યા. ત્યારબાદ તેમણે સૂકા બિલી પત્ર ખાવાનુ છોડી દેવાના કારણે જ તેમનુ નામ અપર્ણા પડી ગયુ.

કથાનો સાર

કથાનો સાર

દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ કઠોર તપસ્યાના કારણે દેવીનુ શરીર એકદમ ક્ષીણ થઈ ગયુ. દેવતા, ઋષિ, સિદ્ધગણ, મુનિ બધાએ બ્રહ્મચારિણીની તપસ્યાને અભૂતપૂર્વ પુણ્ય કૃત્ય ગણાવ્યુ. પ્રશંસા કરી અને કહ્યુ કે દેવી આજ સુધી કોઈએ આ રીતની કઠોર તપસ્યા નથી કરી. આ તમારાથી જ સંભવ હતુ. તમારી મનોકામના પરિપૂર્ણ થશે અને ભગવાન ચંદ્રમૌલિ શિવજી તમને પતિ તરીકે મળશે. હવે તપસ્યા છોડીને ઘરે પાછા જાઓ. જલ્દી તમારા તમને બોલાવવા આવી રહ્યા છે. મા બ્રહ્મચારિણી દેવી કૃપાથી સર્વસિદ્ધિ મળે છે. આ દેવીની કથાનો સાર એ છે કે જીવનના કઠોર સંઘર્ષોમાં પણ મન વિચલિત ન થવુ જોઈએ.

Navratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથાNavratri 2020: માં શૈલપુત્રી સાથે જોડાયેલી પૌરાણિક કથા

English summary
On the Navratri second day Goddess Brahmacharini is worshipped.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X