Raksha Bandhan 2024: રક્ષાબંધન પછી ક્યારે ખોલવી જોઈએ રાખડી? કાઢેલી રાખડીનુ શું કરવુ જોઈએ?
Raksha Bandhan 2024: રક્ષાબંધનનો પવિત્ર તહેવાર ભાઈ-બહેન વચ્ચેના પ્રેમનું પ્રતિક છે. રક્ષાબંધનનો પવિત્ર તહેવાર દેશભરમાં ખૂબ જ આનંદ અને ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ દિવસે, એક શુભ સમયે, એક બહેન તેના ભાઈના હાથ પર પ્રેમનુ સૂત્ર રાખડી બાંધે છે.
રાખડી બાંધવા માટેના શુભ સમયની આતુરતાપૂર્વક રાહ જોવાય છે જેથી કરીને તે ભાઈના જીવનમાં સુખ, શાંતિ, સમૃદ્ધિ અને પ્રગતિમાં મદદ કરી શકે. રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર રાહુકાળ અને ભદ્રકાળનો ત્યાગ કરવામાં આવે છે. રાહુકાળ અને ભદ્રા બંને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. રાખડી બાંધવા માટે, મુખ્યત્વે એ સમય પસંદ કરવામાં આવે છે જ્યારે ન તો ભદ્રકાળ હોય કે ન તો રાહુકાળ.

રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર ભાઈ પોતાના હાથ પર લાંબા સમય સુધી રાખડી બાંધે છે અને કેટલાક લોકો તેને આખું વર્ષ બાંધીને રાખે છે. ચાલો જાણીએ આખા વર્ષ દરમિયાન રાખડી બાંધવી જોઈએ? રક્ષાબંધન પછી ક્યારે ખોલવી જોઈએ રાખડી?
રક્ષાબંધન 2024: રાખડી બાંધવાનો શુભ સમય
જ્યોતિષીઓના જણાવ્યા અનુસાર, આ વર્ષે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર 19 ઓગસ્ટ, સોમવારના રોજ છે. તેમજ રક્ષાબંધન પર રાખડી બાંધવાનો શુભ સમય બપોરે 1:30થી 9:08 સુધીનો છે. રક્ષાબંધન પર સવારે રાખડી બાંધવાનુ કોઈ મૂહુર્ત નથી કારણ કે વહેલી સવારથી ભદ્રાની છાયા છે અને આ ભદ્રા પાતાલ લોકની છે.
રાખી ક્યારે ખોલવી જોઈએ?
જ્યોતિષનું કહેવું છે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર શ્રાવણ પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે. જે દિવસે તમારા હાથ પર રાખડી બાંધવામાં આવે તે દિવસે તેને ઓછામાં ઓછા 24 કલાક સુધી બાંધીને રાખવી જોઈએ. 24 કલાક એટલે એક આખો દિવસ. દિવસ પૂરો થયા પછી, તે રાખડી ખોલવી અને ઉતારવી જોઈએ. ઘણી જગ્યાએ લોકો રક્ષાબંધનથી લઈને જન્માષ્ટમી સુધી રાખડી બાંધે છે અને પછી તેને ખોલે છે.
રાખડી ખોલવા માટે કોઈ ચોક્કસ દિવસ, તારીખ કે સમય નથી. શાસ્ત્રોમાં પણ તેનો ઉલ્લેખ નથી. આ કારણથી લોકો ઘણા દિવસો સુધી રાખડી બાંધે છે. ઘણા એવા છે જેઓ આખું વર્ષ રાખડી બાંધે છે. જો કે જ્યોતિષશાસ્ત્રમાં પવિત્રતાનું ખૂબ મહત્વ છે, જો તમે તમારા હાથ પર રાખડીને ઘણા દિવસો સુધી બાંધીને રાખો છો તો તે સંપૂર્ણપણે અશુદ્ધ થઈ જાય છે અને તમને કોઈપણ પ્રકારની ખામીનો સામનો કરવો પડી શકે છે.
શ્રાવણ પૂર્ણિમા પછી ભાદ્ર પદ પૂર્ણિમાથી પિતૃપક્ષ શરૂ થાય છે. તે દરમિયાન પણ જો તમે રાખડી બાંધતા રહો તો તે અપવિત્ર થઈ જાય છે. વાસ્તુશાસ્ત્રમાં તેનો ઉલ્લેખ નથી પરંતુ અશુદ્ધ વસ્તુઓ નકારાત્મક ઉર્જા ફેલાવે છે. આ કારણોસર પણ તમે એક દિવસ પછી રાખી કાઢી શકો છો.
રક્ષાબંધન પછી રાખડીનું શું કરવું?
આ સવાલ તમારા મનમાં હશે કે રાખી ખોલ્યા પછી તેનું શું કરવું? રક્ષાબંધન પછી, રાખડી ખોલો અને તેને કોઈપણ પવિત્ર જળાશય અથવા નદીમાં પધરાવી દો અથવા તમે તે રાખડીને તમારી સાથે બૉક્સમાં પેક કરીને રાખી શકો છો અથવા તેને દેવ વૃક્ષ પર બાંધી શકો છો.
રક્ષાબંધન માટે રાખી કેવી હોવી જોઈએ?
રક્ષાબંધનના પવિત્ર તહેવાર પર બહેનોએ તેમના ભાઈઓ માટે એવી રાખડી પસંદ કરવી જોઈએ જે દેખાવમાં સુંદર હોય, કાચા દોરા, રેશમ વગેરેની બનેલી હોય અને ભૂલથી પણ પ્લાસ્ટિકની રાખડીનો ઉપયોગ ન કરવો જોઈએ. આ ઉપરાંત, તમારા ભાઈઓને ક્યારેય ભૂરા અને કાળા રંગની રાખડી ન બાંધો. આ સાથે ચાંદી અને સોનાની રાખડી પણ આ દિવસોમાં પ્રચલિત છે, તમે તેને પણ બાંધી શકો છો. જોકે આ દરેક માટે શક્ય નથી.
નોંધ: આ માહિતી ઇન્ટરનેટ પર ઉપલબ્ધ ધારણાઓ અને માહિતી પર આધારિત છે. વનઈન્ડિયા લેખ સંબંધિત કોઈપણ ઇનપુટ અથવા માહિતીની ચકાસણી કરતું નથી. કૃપા કરીને કોઈપણ માહિતી અને ધારણાઓ પર કાર્ય કરતા પહેલા અથવા અમલમાં મૂકતા પહેલા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.
-
Petrol Diesel Price: 22 માર્ચે પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવ્યો ફેરફાર, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Gold Rate Today: સોનું ફરી થયું સસ્તું, જાણો લેટેસ્ટ કિંમત -
Gujarat Weather: રાજ્યમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, જાણો તમારા જિલ્લાની સ્થિતિ -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Ishan Kishan: IPLની પ્રથમ મેચમાં ઈતિહાસ રચશે ઈશાન કિશન, 2 રન બનાવીને કોહલી-રોહિતના ક્લબમાં થશે સામેલ -
New Income Tax Rules: સેલેરીથી લઈને શેરબજાર સુધી! 1 એપ્રિલથી બદલાઈ જશે આ મોટા નિયમ -
IPL 2026 પહેલા આવ્યા મોટા સમાચાર! ફેન્સને FREEમાં મળશે આ સુવિધા, આ બાબતોનું રાખવું પડશે ધ્યાન -
Weather Alert: યુપી-બિહાર સહિત 17 રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ, IMDએ આપી ચેતવણી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ વડોદરા પોલીસના કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટરનું કર્યું ઉદ્ધાટન












Click it and Unblock the Notifications
