ગણેશ પૂજાની વિધી અને રીત-રિવાજ
ગણેશોત્સવ આખાય ભારતમાં ધામધૂમથી મનાવવામાં આવતો તહેવાર છે. આ તહેવારને માત્ર મંદિરો જ નહિં, પણ પંડાલો અને ઘરોમાં પણ મનાવવામાં આવે છે. લોકો પોતાના ઘરે યથાશક્તિ મુજબ શ્રીની સ્થાપના કરે છે.
ગણેશપૂજામાં ઘણા રોચક રિતી-રિવાજો પણ છે. દરેક પરિવાર અને સમુદાય ગણેશ પૂજાના આ રીત-રિવાજોનું અનુષ્ઠાન દરમ્યાન પાલન કરે છે. ગણેશ ચતુર્થી એક દિવસનો તહેવાર નથી. આ તહેવારને દસ દિવસ સુધી ધામધૂમથી મનાવવામાં આવે છે. ભક્ત દોઢ દિવસ, ત્રણ દિવસ, પાંચ દિવસ, સાત દિવસ, અને નવ દિવસ સુધી ગણેશ ભગવાનની પૂજા, આરાધના કરતા હોય છે.
અહીં ગણેશ પૂજા સાથે સંકળાયેલા કેટલાક હિંદુ અનુષ્ઠાન અંગે જણાવવામાં આવ્યું છે.

મૂર્તિની સ્થાપના
સૌ પ્રથમ ભગવાન ગણેશની મૂર્તિને ઉંચા અને શુદ્ધ સ્થાન પર શાસ્રોક્ત વિધિથી સ્થાપિત કરવામાં આવે છે. નાના મોટા સૌ કોઈ પરિવારના સદસ્યો પ્રભુના સિંહાસનને શણગારે છે. સજાવટ માટે ફુલ, રંગીન પાન, લાઈટીંગ, વિવિધ ક્રાફ્ટ વગેરેનો પણ ઉપયોગ કરી શકો છો.

પવિત્ર જળ
મૂર્તિની સ્થાપના કર્યા બાદ પવિત્ર જળનો છંટકાવ કરીને પ્રભુની પ્રાણ પ્રતિષ્ઠાન કરવામાં આવે છે. હિંદુ ગ્રંથો અનુસાર આ રીતે મૂર્તિમાં પ્રાણ આવે છે, આ વિધિ દરમ્યાન વૈદિક મંત્રોચ્ચાર પણ કરવામાં આવે છે.

રિદ્ધિ અને સિદ્ધિ
ઘણાં પરિવાર ભગવાન ગમેશની સાથે રિદ્ધિ અને સિદ્ધિની પણ સ્થાપના કરે છે. રિદ્ધિ અને સિદ્ધિની પૂજા પણ ભગવાન ગણેશની સાથે નવ દિવસ સુધી કરવામાં આવે છે.

ગણપતિજીની આરતી
ગણેશ પૂજાની સાથે આરતીનું મહત્વ પણ ઘણું છે. આરતી ભક્તિમય ભાવ સાથે લયમાં ગાવામાં આવે છે. ગણેશોત્સવ દરમ્યાન સાંજે અને સવારે બંને ટાઈમ ભગવાનની આરતી ઉતારવાનું આયોજન કરવામાં આવે છે. આરતી દરમ્યાન થાળીમાં ઘીનો દીવો રાખવામાં આવે છે, અને કપૂરનો ધુપ આપવામાં આવે છે.

મોદક અને લાડું
ભગવાન ગણેશને મોદક અને લાડું ઘણાં જ ભાવે છે. મીઠાઈ તેમની કમજોરી માનવામાં આવે છે. આ કારણે જ ભગવાન ગણેશની પૂજા દરમ્યાન મોદક અને લાડુનો ભોગ લગાવવામાં આવે છે.

કડુવા મોદક
ગણેશ ભગવાનને જ્યારે ભોગ લગાવવામાં આવે છે, થાળીમાં દરેક પ્રકારના લાડું મૂકવામાં આવે છે. આરતી અને થાળ બાદ પ્રસાદ તરીકે લાડું અને મોદકને વહેચવામાં આવે છે. માનવામાં આવે છે કે જે વ્યક્તિને આ મોદક મળે છે, તેનું આખુય વર્ષ સારૂં જાય છે.

વિસર્જન
ભગવાનનું યથાશક્તિ દિવસોની પૂજા, પ્રાર્થના અને અર્ચના બાદ વિસર્જન કરવામાં આવે છે. ભગવાન આવતા વર્ષે જલ્દી આવો તેવી આસ્થા સાથે તેમને વિદાય આપવામાં આવે છે, અને પાણીમાં વિસર્જીત કરવામાં આવે છે.
-
'Mann Ki Baat'માં PMનું એલર્ટ: વૈશ્વિક તણાવ વચ્ચે બોલ્યા - કઠિન સમયમાં દેશહિત પર ફોકસ જરૂરી, જાણો 5 મોટી વાતો -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
31 માર્ચે મેટ્રો અમદાવાદ મેટ્રોના સમયમાં ફેરફાર, અત્યારે જ જાણી લો નવુ ટાઈમ ટેબલ -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
IPL 2026: મુંબઈએ જીત્યો ટોસ, KKR પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11 -
વાતચીતની ચર્ચા વચ્ચે ટ્રમ્પ ઈરાન સાથે દગો કરી રહ્યા છે? જાણો કેવી રીતે? -
સતાધાર ધામની અનોખી પહેલ: રોજ 10 હજાર યાત્રાળુઓનું ભોજન બાયોગેસ પર થાય છે તૈયાર -
MI vs KKR: આજે વાનખેડેમાં નાઈટ રાઈડર્સ કરશે મોટો ઉલટફેર! હેડ-ટુ-હેડ રેકોર્ડમાં કોનું પલ્લું છે ભારે? -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી? -
મોંઘવારી વચ્ચે હવે ટોલ ટેક્સ વધારાનો માર, 1 એપ્રિલથી વધી જશે -
ગુજરાતમાં વાતાવરણમાં પલટો, અમરેલી પંથકમાં માવઠુ -
Petrol Diesel Price: 29 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત






Click it and Unblock the Notifications
