શનિ અને મંગળની યુતિથી બનશે સમસપ્તક યોગ, જાણો શું થશે અસર?
ન્યાયના દેવતા તરીકે ઓળખાતા શનિને મંગળનો શત્રુ ગ્રહ માનવામાં આવે છે. આ સાથે મંગળ ગ્રહ અગ્નિ તત્વની રાશિ સિંહમાં 1 જુલાઇ, 2023 ના રોજ પ્રવેશ કરશે, જે કારણે શનિ મંગળ સમસપ્તક યોગ બનાવી રહ્યા છે.
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સિંહ અને કુંભ બંને શત્રુ રાશિ છે. આવી સ્થિતિમાં આ યોગ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આજે આપણે આ અહેવાલમાં જાણીશું કે, સમસપ્તક યોગના શું ગેરફાયદા છે અને અમે તમને સમસપ્તક યોગ શું છે, તે વિશે પણ જણાવીશું.

સમસપ્તક યોગ શું છે?
વાસ્તવમાં જ્યારે બે ગ્રહો અલગ-અલગ રાશિઓમાં સાતમા સ્થાનમાં હોય છે, ત્યારે તે સ્થિતિને સમસપ્તક યોગ કહેવાય છે. આવી સ્થિતિમાં, 1 જુલાઈના રોજ જ્યારે મંગળ સિંહ રાશિમાં ગોચર કરશે, ત્યારે તે સમયે શનિ કુંભ રાશિમાં સાતમા સ્થાનમાં હશે. સમસપ્તક યોગ ભલે શુભ છે, પરંતુ ગ્રહોના સંયોગને કારણે તેની અસર બદલાય છે.
સમસપ્તક યોગની અસર
વાસ્તવમાં આ વખતે શનિ અને મંગળથી સંસપ્તક યોગ બની રહ્યો છે. આ બંને રાશિઓને અશુભ ગ્રહ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં તેની અસર અશુભ રહેશે. આ ગ્રહોના સંયોગને કારણે કુદરતી આફતનો ખતરો બની શકે છે.
સરહદ પર તણાવની સ્થિતિ સર્જાઈ શકે છે. ભૂકંપ, એર ક્રેશ થવાની પણ સંભાવના છે. રાજકીય ઉથલપાથલ પણ જોવા મળી રહી છે.
આ ઉપરાંત આંદોલન, ધરણાં, કૌભાંડ, આગચંપી જેવી ઘટનાઓ પણ બની શકે છે. મનોરંજન અને રમતગમતની દુનિયા સાથે જોડાયેલા અશુભ સમાચાર પણ સાંભળવા મળી શકે છે. કોઈ મોટા નેતા તરફથી દુઃખદ સમાચાર પણ આવી શકે છે.
આ બધી આડઅસરોથી બચવા માટે તમારે હનુમાનજીની પૂજા કરવી જોઈએ. તમારે કપાળ પર લાલ ચંદન અથવા સિંદૂરનું તિલક લગાવવું જોઈએ. આ સાથે જ ઘઉં અને દાળનું દાન કરવું જોઈએ. આ સિવાય મધ ખાધા બાદ ઘરની બહાર નીકળો તો સારું રહેશે.












Click it and Unblock the Notifications
