Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Sankat Chaturthi 2023: ક્યારે છે સંકટચતુર્થી? શું છે પૂજા વિધિ, કથા અને મહત્વ

ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થી 11 માર્ચ, 2023 ને શનિવારે સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ઉપવાસ પૂર્ણ થાય છે.

lord ganesha

Sankat Chaturthi 2023: ચૈત્ર મહિનાની સંકટ ચતુર્થી 11 માર્ચ, 2023 ને શનિવારે સર્વાર્થસિદ્ધિ યોગમાં આવી રહી છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરીને અને રાત્રે ચંદ્રના દર્શન કરવાથી ઉપવાસ પૂર્ણ થાય છે. ભગવાન ગણેશ અને ચંદ્રદેવની કૃપાથી તમામ પરેશાનીઓનો અંત આવે છે. આ વ્રત પુરૂષો અને સ્ત્રીઓ બંને સમાન રીતે કરે છે. તેનાથી પરિવારની તમામ પરેશાનીઓ દૂર થાય છે, આર્થિક સમસ્યાઓ દૂર થાય છે. ચૈત્ર માસની આ સંકટ ચતુર્થી ભાલચંદ્ર સંકષ્ટી ચતુર્થી તરીકે પણ ઓળખાય છે. 11 માર્ચે રાત્રે 10 વાગે ચંદ્રોદય થશે. સર્વાર્થસિદ્ધિ યોગમાં આવનારી આ ચતુર્થીમાં વ્રત કરનારની તમામ પરેશાનીઓ દૂર થઈ જશે.

કેવી રીતે કરવી પૂજા

ચતુર્થીના દિવસે સૂર્યોદય પહેલા જાગીને સ્નાન કરીને સૂર્યને જળ અર્પણ કરો. તમારા પૂજા સ્થળને સાફ કરો અને દૈનિક પૂજા કર્યા પછી સંકટ ચતુર્થી વ્રતનુ વ્રત લો. જમણા હાથમાં થોડુ પાણી, સિક્કો, પૂજા સોપારી, અક્ષત અને ફૂલ લઈને વ્રતનો સંકલ્પ લેવો. તમે જે કાર્ય માટે ઉપવાસ કરી રહ્યા છો તેનુ માનસિક રીતે ધ્યાન કરો. આ પછી ષોડશોપચારમાં ગણેશજીની પૂજા કરો. ગણેશજીને દુર્વા, સિંદૂર, ફૂલ વગેરે અર્પણ કરો. આ પછી આખો દિવસ ઉપવાસ કરો. જે લોકો ભૂખ અને તરસ સહન કરી શકતા નથી તેઓ ફળ અથવા ફળોનો રસ લઈ શકે છે. આ પછી સાંજે સૂર્યાસ્ત સમયે ફરીથી ગણેશજીની પૂજા કરો, દીવો કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો. આ પછી ચંદ્રોદય સુધી પાણી પણ લેવામાં આવતુ નથી. ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. આ પછી ગણેશજીને ભોજન અર્પણ કરો અને ભોજન ગ્રહણ કરો.

સંકટચતુર્થીની કથા

સંકટ ચતુર્થી વિશે પુરાણોમાં ઘણી વાર્તાઓ પ્રચલિત છે. સૌથી પ્રચલિત અને પૌરાણિક કથા અનુસાર, એકવાર દેવતાઓ પર સંકટ આવ્યુ. પછી તેઓ મદદ માટે ભગવાન શિવ પાસે ગયા. તે સમયે ગણેશ અને કાર્તિકેય બંને ભગવાન શિવની સાથે બેઠા હતા. શિવજીએ કાર્તિકેય અને ગણેશજીને પૂછ્યુ કે દેવતાઓની સમસ્યાઓનુ નિરાકરણ કોણ કરશે, આના પર બંનેએ સ્વયંને સક્ષમ ગણાવીને સંકટનુ નિવારણ કરવાની વાત કહી. આના પર ભગવાન શિવે બંનેની પરીક્ષા કરવાનું નક્કી કર્યુ અને કહ્યુ કે જે પૃથ્વીની પરિક્રમા કર્યા પછી પ્રથમ આવશે તે દેવતાઓની મદદ કરવા જશે.

બધા સંકટ થશે દૂર

પિતા શિવનો આદેશ સાંભળીને કાર્તિકેય પોતાના વાહન મોર પર બેસીને પૃથ્વીની પરિક્રમા કરવા લાગ્યા. પરંતુ ગણેશજીએ એક યુક્તિ વાપરી અને પોતાના માતા-પિતાની સાત પરિક્રમા કરીને પાછા પોતાના સ્થાને બેસી ગયા. આના પર શિવજી પ્રસન્ન થયા અને ગણેશજીને દેવતાઓના સંકટ દૂર કરવાનો આદેશ આપ્યો. સાથે જ કહ્યુ કે જે વ્યક્તિ ચતુર્થીના દિવસે ગણેશજીની પૂજા કરે છે અને રાત્રે ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરે છે તેની બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X