Sankat Chaturthi 2023: આજે છે સંકટ ચતુર્થી વ્રત, જાણો પૂજા વિધિ, મુહૂર્ત અને મહત્વ
Sankat Chaturthi 2023: અષાઢ માસના કૃષ્ણ પક્ષમાં આજે સંકટ ચતુર્થી વ્રત છે. આ દિવસે ભગવાન ગણેશનો પ્રિય દિવસ બુધવાર હોવાથી બ્રહ્મ યોગ પણ બની રહ્યો છે. આ દિવસથી બુધ ગ્રહ પોતાની રાશિ બદલીને શુક્રની રાશિમાં પોતાનું સંક્રમણ શરૂ કરી રહ્યો છે.
ઘણા બધા શુભ યોગ-સંયોગો સાથે આ સંકટ ચતુર્થી વ્રત તમારા જીવનમાં અપાર સુખ, સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ લઈને આવશે. અષાઢ માસની સંકટ ચતુર્થીને વર્ષની મોટી ચતુર્થીઓમાં સ્થાન મળ્યું છે. એટલા માટે આ વ્રત રાખવાથી દરેક રીતે સુખ-સમૃદ્ધિ વધે છે.

આ દિવસે વ્રત રાખીને ભગવાન શ્રી ગણેશની પૂજા કરવામાં આવે છે અને રાત્રે ચંદ્રોદય પછી ઉપવાસ તોડવામાં આવે છે. ચંદ્રોદયનો સમય રાત્રે 10:44 પર રહેશે. આજે ચતુર્થી તિથિ રાત્રે 9.51 વાગ્યા સુધી રહેશે. બ્રહ્મયોગ સૂર્યોદયથી રાત્રે 10.23 સુધી રહેશે. આ દિવસે ઉત્તરાષાઢા નક્ષત્ર રહેશે.
પૂજા વિધિ
સવારે સ્નાન કરીને નિવૃત્ત થયા પછી ઘરના પૂજા સ્થાનને સાફ કરો. ચતુર્થીવ્રતનો સંકલ્પ કરો. ભગવાન ગણેશને સ્નાન કરાવીને પૂજા પૂર્ણ કરો. ચતુર્થીની કથા સાંભળો કે વાંચો. ગણેશજીને નૈવેદ્ય અર્પણ કરો. દુર્વા અર્પણ કરો. દિવસભર ઉપવાસ રાખો. જો તમારી ભૂખ્યા રહેવાની ક્ષમતા ના હોય તો તમે ફળો ખાઈ શકો છો. સાંજે ફરીથી ગણેશજીની પૂજા કરો. સૂર્યાસ્ત પછી પાણી પણ લેવામાં આવતું નથી. ચંદ્રોદય સમયે ચંદ્રની પૂજા કરો. ઉપવાસ ખોલો.
સંકટચતુર્થીનુ વ્રત કેમ કરવુ જોઈએ
જો તમારા જીવનમાં સંકટ ઓછા ના થતા હોય તો તમારે સંકટ ચતુર્થીનું વ્રત અવશ્ય કરવું જોઈએ. જો તમારા બાળકો ખોટા રસ્તે ચાલ્યા ગયા હોય તો તેમને સાચા માર્ગ પર પાછા લાવવા માટે આ વ્રત કરો. જો આર્થિક સંકટ હોય, કામ ન થતું હોય, ધનહાનિ થતી હોય તો સંકટ ચતુર્થીનો ઉપવાસ કરવાથી લાભ થાય છે. જો તમારુ કોઈ કામ ન થઈ રહ્યું હોય તો આ વ્રત કરવાથી બધી પરેશાનીઓ દૂર થઈ જાય છે.
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત





Click it and Unblock the Notifications
